‘તેઓ ચૂંટણી કમિશનર નહીં, મુસ્લિમ કમિશનર હતા’

ભાજપ સાંસદ Nishikant Dubey એ સુપ્રીમ કોર્ટ બાદ વક્ફ કાયદાનો વિરોધ કરનાર ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર S. Y. Quraishi પર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
Election Commissioner

ભાજપ(BJP) ના સાંસદ નિશિકાંત દુબે(Nishikant Dubey) ફરી એકવાર તેમના નિવેદનને કારણે વિવાદમાં ઘેરાયા છે. સુપ્રીમ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાને દેશમાં ગૃહયુદ્ધ માટે જવાબદાર ગણાવ્યાના એક દિવસ પછી દુબેએ હવે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) S. Y. Quraishi ને ‘મુસ્લિમ કમિશનર’ ગણાવ્યા છે.

એસ.વાય. કુરેશી (S. Y. Quraishi) ભારતના 17મા મુખ્ય ચૂંટણી કમિશનર હતા. તેમણે 30 જુલાઈ 2010 થી 10 જૂન 2012 સુધી આ જવાબદારી નિભાવી હતી. એસ.વાય. કુરેશીએ 17 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વકફ સુધારા કાયદાનો વિરોધ કરતી પોસ્ટ મૂકી હતી.

તેઓએ લખ્યું હતું કે, વકફ એક્ટ નિઃશંકપણે મુસ્લિમોની જમીન હડપ કરવા માટે સરકારની ખૂબ જ ભયંકર/દુષ્ટ યોજના છે. મને ખાતરી છે કે સુપ્રીમ કોર્ટ આ અંગે પ્રશ્ન ઉઠાવશે. તોફાની પ્રોપેગેન્ડા મશીનરી દ્વારા ફેલાયેલી ખોટી જાણકારીએ પોતાનું કામ સારી રીતે કર્યું છે.

આ પણ વાંચો: બધાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છેઃ નિત્યસ્વરૂપદાસજી

એસ.વાય. કુરેશી(S. Y. Quraishi)ની આ ટ્વિટને લઈને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમના પર કટાક્ષ કર્યો હતો. દુબેએ કુરેશીને કહ્યું કે તેઓ ચૂંટણી કમિશનર નહીં પણ ‘મુસ્લિમ કમિશનર’ હતા. દુબેએ આરોપ લગાવ્યો હતો કે કુરેશીના કાર્યકાળ દરમિયાન ઝારખંડના સંથાલ પરગણા

ક્ષેત્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને સૌથી વધુ મતદાર ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. આ વિસ્તાર દુબેના સંસદીય મતવિસ્તાર ગોડ્ડા હેઠળ આવે છે.

દુબેએ પોતાની પોસ્ટમાં લખ્યું, “તમે ચૂંટણી કમિશનર નહોતા, તમે મુસ્લિમ કમિશનર હતા. તમારા કાર્યકાળ દરમિયાન ઝારખંડના સંથાલ પરગણામાં સૌથી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોને મતદાર બનાવવામાં આવ્યા હતા. પયગંબર મુહમ્મદ સાહેબનો ઇસ્લામ ભારતમાં 712 માં આવ્યો, તે પહેલાં આ ભૂમિ હિન્દુઓ અથવા તે ધર્મ સાથે સંકળાયેલા આદિવાસીઓ, જૈનો કે બૌદ્ધોની હતી. ૧૧૮૯ માં બખ્તિયાર ખિલજી દ્વારા મારા ગામ વિક્રમશિલાને બાળી નાખવામાં આવ્યું હતું, વિક્રમશિલા યુનિવર્સિટીએ આતિશ દીપાંકરના રૂપમાં વિશ્વને તેના પ્રથમ કુલપતિ આપ્યા. દેશને જોડો, ઇતિહાસ વાંચો, તોડવાથી પાકિસ્તાનનું બન્યું, હવે ભાગલા નહીં પડે?”

આ પહેલા દુબેએ સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ સંજીવ ખન્ના પર પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે CJI સંજીવ ખન્ના ‘ગૃહયુદ્ધ’ માટે જવાબદાર છે અને સુપ્રીમ કોર્ટ ‘ધર્મ યુદ્ધ’ માટે જવાબદાર છે. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સુપ્રીમ કોર્ટે બંધારણના કયા આર્ટિકલ હેઠળ રાષ્ટ્રપતિને રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

નિશિકાંત ઉપરાંત ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ દિનેશ શર્માએ પણ તાજેતરમાં સંસદ અને રાષ્ટ્રપતિને સૂચના આપવા બદલ સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી. જોકે, ભાજપે નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા કરવામાં આવેલા આ વિવાદાસ્પદ નિવેદનોથી હાથ ખંખેરી લીધાં છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ X પર લખ્યું, “ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા ન્યાયતંત્ર અને દેશના મુખ્ય ન્યાયાધીશ પર આપવામાં આવેલા નિવેદનો સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવાદેવા નથી. આ તેમનું અંગત નિવેદન છે. ભાજપ આવા નિવેદનો સાથે સહમત નથી અને ન તો ક્યારેય આવા નિવેદનોને સમર્થન આપે છે. ભાજપ આ નિવેદનોને સંપૂર્ણપણે નકારી કાઢે છે.”

જોકે, SY કુરેશી પર આપેલા નિવેદન પર પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. એસવાય કુરેશીએ પણ તેમના પર કરવામાં આવેલા નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો: ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x