Praised godse was promoted and made directly dean: ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે’ – ગયા વર્ષે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) ના પ્રોફેસર ડૉ. શૈજા અંદાવને ફેસબુક પર એક કોમેન્ટમાં આ લખ્યું હતું. લોકોએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમની આ કોમેન્ટ જોઈ ત્યારે હોબાળો મચી ગયો. તેમને NIT માંથી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે એ જ ડૉ. શૈજાને NIT કાલિકટમાં ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂકને લઈને કેમ્પસમાં વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસે તેમની નિમણૂક રદ કરવાની માંગ કરી છે.
ઈન્ડિયન એક્સપ્રેસે કોંગ્રેસને ટાંકીને કહ્યું કે તે ડૉ. શૈજાની નિમણૂક રદ કરવા માટે સખત વિરોધ નોંધાવશે. કોંગ્રેસે કહ્યું કે ડૉ. શૈજાને ડીન (આયોજન અને વિકાસ) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય ખોટો છે અને તેને તાત્કાલિક રદ કરવો જોઈએ.
Dr. Shaija Anadavan has been appointed as the dean of NIT Calicut, violating seniority norms. She has two extraordinary qualifications, which made her eligible for this elevation.
a. She 'owns' NIT Calicut
b. She is proud of Godse, not GandhiWill NIT Calicut too join IIT… pic.twitter.com/Q1DElmGYb3
— Congress Kerala (@INCKerala) February 26, 2025
કેરળ કોંગ્રેસ યુનિટે X પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના રાજ્ય એકમે એક એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે સીનીયોરિટી સાથે સંબંધિત નિયમોની અવગણના કરીને ડૉ. શૈજાને ડીન બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના મતે ડૉ. શૈજા પાસે આ પદ સંભાળવા માટે બે લાયકાત છે – પ્રથમ, તે NIT કાલિકટની ‘માલિક’ છે, બીજું, તે ગોડસેની પ્રશંસા કરે છે, ગાંધીની નહીં.
આ પણ વાંચો: ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..
કોંગ્રેસે આ વિવાદમાં IIT મદ્રાસને પણ ઢસડ્યું છે. પાર્ટીએ પ્રશ્ન કર્યો કે શું NIT કાલિકટ IIT મદ્રાસ સાથે મળીને ગૌમૂત્ર પર સંશોધન કરશે? હાલમાં, ડૉ. શૈજા NIT કાલિકટમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર છે. ડીન તરીકેનો તેમનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલથી શરૂ થશે.
ફેસબુક પર શું લખ્યું હતું?
2024 માં ગાંધીજીની પુણ્યતિથિ પર એક વકીલે ફેસબુક પર પોસ્ટ કરી હતી- ‘હિન્દુ મહાસભાના કાર્યકર નાથુરામ ગોડસે ભારતના ઘણા લોકો માટે હીરો છે.’ ડૉ. શૈજાએ ગોડસેની પ્રશંસા કરતી આ જ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી- ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે.’
જ્યારે ઘણો હોબાળો થયો, ત્યારે ડૉ. શૈજાએ પોતાની કોમેન્ટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ તેનો સ્ક્રીનશોટ બધે વાયરલ થઈ ગયો હતો. આ કોમેન્ટ બદલ, કોઝિકોડ પોલીસે તેમની વિરુદ્ધ IPCની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદાથી જાણી જોઈને ઉશ્કેરણી) હેઠળ FIR નોંધી હતી.
કોંગ્રેસ અને ઘણા ડાબેરી સંગઠનોએ તેમને NIT કાલિકટમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. તે સમયે ડૉ. શૈજાએ સ્પષ્ટતા કરી હતી કે, ‘મારી કોમેન્ટ ગાંધીજીની હત્યાના વખાણ કરવા માટે નહોતી. હું ક્યારેય આવું કરવા નહોતી માંગતી. મેં ગોડસેનું પુસ્તક ‘Why I killed Gandhi’ વાંચ્યું હતું. ગોડસે પણ સ્વતંત્રતા સેનાની હતા. તેમના પુસ્તકમાં ઘણી બધી માહિતી અને ખુલાસાઓ છે જેનાથી સામાન્ય માણસ અજાણ છે.’
તેમણે આગળ કહ્યું, “ગોડસેએ તેમના પુસ્તકમાં આપણને જ્ઞાન આપ્યું છે. તેના આધારે મેં વકીલની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. જ્યારે મને લાગ્યું કે લોકોએ મારી કોમેન્ટને તોડી-મરોડીને રજૂ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે મેં તેને ડિલીટ કરી નાખી હતી.”
બીજી તરફ, કોંગ્રેસ કોઝિકોડ જિલ્લા સમિતિના પ્રમુખ પ્રવીણ કુમારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ડીન તરીકે તેમની (ડૉ. શૈજા) નિમણૂક રદ કરવી જોઈએ. આ દર્શાવે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નો એજન્ડા કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ સંસ્થાઓની અંદર લાગુ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ગાંધીજીનું અપમાન કરનાર પ્રોફેસરને બઢતી આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તેમની નિમણૂક રદ ન થાય ત્યાં સુધી અમે વિરોધ કરીશું.
આ પણ વાંચો: છત્તીસગઢમાં પહેલીવાર એક કિન્નર ચૂંટણી જીતી સરપંચ બની