Shibu Soren death: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન(Shibu Soren)નું અવસાન થયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મોટા નેતાઓએ દિગ્ગજ આદિવાસી નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને શિબુ સોરેનને એક પાયાના નેતા ગણાવતા કહ્યું કે તેમણે લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે જાહેર જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરી હતી. પીએમએ હેમંત સોરેન સાથે ફોન પર પણ વાત કરીને સાંત્વના પાઠવી હતી. પીએમ ઉપરાંત, આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શિબુ સોરેનના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
શિબુ સોરેન એક જમીન સાથે જોડાયેલા નેતા હતા – પીએમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પરની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘શિબુ સોરેનજી એક જમીન સાથે જોડાયેલા નેતા હતા. તેમણે આદિવાસી સમાજ, ગરીબો અને વંચિતો માટે કામ કર્યું.’ પીએમએ આગળ લખ્યું કે ‘મને તેમના નિધનથી દુઃખ થયું છે. મારી સંવેદના તેમના પરિવાર અને લોકો સાથે છે.’
આ પણ વાંચોઃ આદિવાસી વિદ્યાર્થીએ સ્માર્ટફોન-ઈન્ટરનેટ વિના NEET UG પાસ કરી
Shri Shibu Soren Ji was a grassroots leader who rose through the ranks of public life with unwavering dedication to the people. He was particularly passionate about empowering tribal communities, the poor and downtrodden. Pained by his passing away. My thoughts are with his…
— Narendra Modi (@narendramodi) August 4, 2025
તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશેઃ રાહુલ ગાંધી
શિબુ સોરેનના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે ‘આ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. સોરેનજી લોકોના હિતો અને અધિકારો માટે લડ્યા. ઝારખંડના નિર્માણમાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે.’
આ પણ વાંચોઃ ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર
झारखंड के पूर्व मुख्यमंत्री और JMM के वरिष्ठ नेता शिबू सोरेन जी के निधन का समाचार सुनकर गहरा दुख हुआ।
आदिवासी समाज की मज़बूत आवाज़, सोरेन जी ने उनके हक़ और अधिकारों के लिए आजीवन संघर्ष किया। झारखंड के निर्माण में उनकी भूमिका को हमेशा याद रखा जाएगा।
हेमंत सोरेन जी और पूरे सोरेन… pic.twitter.com/sFiQrFHF2e
— Rahul Gandhi (@RahulGandhi) August 4, 2025
શિબુ સોરેનના નિધનથી દુઃખ થયું છેઃ મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિબુ સોરેનના નિધન પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે ‘શિબુ સોરેનજીના નિધનથી હું દુઃખી છું. તેમણે ઝારખંડ રાજ્ય અને તેના લોકોના જળ, જંગલ, જમીન અને આદિવાસી સંસ્કૃતિના અધિકારોને બચાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો છે.’
આ પણ વાંચોઃ આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત
झारखंड के पूर्व मुख्यमंत्री, पूर्व केंद्रीय मंत्री और झारखंड मुक्ति मोर्चा के संस्थापक, शिबू सोरेन जी के निधन से मैं दुःखी हूँ।
उन्होंने अलग झारखंड प्रदेश और वहाँ के लोगों के जल, जंगल, जमीन के अधिकार और आदिवासी संस्कृति के संरक्षण के लिए आजीवन संघर्ष किया।
मैंने उनके… pic.twitter.com/flcIdfovqE
— Mallikarjun Kharge (@kharge) August 4, 2025
ભારતના દલિત અને આદિવાસી સમાજ માટે દુઃખદ સમાચારઃ લાલુ પ્રસાદ
શિબુ સોરેનના નિધન પર લાલુ પ્રસાદ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ‘શિબુ સોરેન લાંબા સમયથી રાજકારણમાં સક્રિય હતા અને તેઓ હંમેશા સમાજના વંચિત વર્ગના અધિકારો માટે લડ્યા હતા. તેમની વિદાય માત્ર ઝારખંડ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના દલિત અને આદિવાસી સમાજ માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.’
આ પણ વાંચોઃ સુરતના અંતરિયાળ ગામનો આદિવાસી છોકરો ઈન્ડિગોનો પાયલોટ બન્યો
संघर्षों के आदि हमारे साथी झारखंड के पूर्व मुख्यमंत्री दिशोम गुरु श्री शिबू सोरेन जी के निधन से मर्माहत हूँ।
उनके साथ सांझा संघर्षों की अनेक यादें जुड़ी है। सामाजिक न्याय और वंचित वर्गों के उत्थान में उनकी महत्ती भूमिका रही है।
समस्त राष्ट्रीय जनता दल परिवार दुख की इस घड़ी में…
— Lalu Prasad Yadav (@laluprasadrjd) August 4, 2025
મૃત્યુના સમાચાર ખૂબ જ પીડાદાયક છેઃ કેજરીવાલ
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિબુ સોરેનના મૃત્યુને પીડાદાયક ગણાવ્યું. તેમણે લખ્યું કે ‘આદરણીય દિશોમ ગુરુનું મૃત્યુ એક યુગનો અંત છે.’ કેજરીવાલે આગળ લખ્યું કે ‘તેમની વિદાય દેશના રાજકારણ અને આદિવાસી ચળવળ માટે ન ભરી શકાય તેવી ખોટ છે.’
આ પણ વાંચોઃ 70 વર્ષના આદિવાસી વૃદ્ધને માર મારી થૂંક ચાટવા મજબૂર કર્યા
आदरणीय दिशोम गुरु श्री शिबू सोरेन जी के निधन का समाचार बेहद पीड़ादायक है।
दिशोम गुरु श्री शिबू सोरेन जी केवल एक राजनेता नहीं, बल्कि झारखंड और आदिवासी समाज की आत्मा थे। उन्होंने आदिवासी अधिकारों, जल-जंगल-ज़मीन और संविधानिक न्याय के लिए जीवन भर संघर्ष किया। उनका निधन एक युग का… https://t.co/bxBgXLqMs9 pic.twitter.com/Xux20XJZO1
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 4, 2025
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે ‘તેમણે આદિવાસી ભાઈઓ-બહેનો અને વંચિતોના અધિકારો માટે કામ કર્યું. શિબુ સોરેનજી તેમના સરળ, સહજ વ્યક્તિત્વ માટે સામાન્ય માણસમાં લોકપ્રિય હતા. તેમના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે.’
આ પણ વાંચોઃ સ્કૂલમાં આદિવાસી રસોઈયા હોવાથી અન્ય જાતિના બાળકો જમતા નથી
झारखंड के पूर्व मुख्यमंत्री श्री शिबू सोरेन जी के निधन का समाचार अत्यंत दुःखद है।
जनजातीय भाई – बहनों और वंचितों के अधिकारों के लिए वे सदैव संघर्षरत रहे। अपने सरल, सहज व्यक्तित्व के लिए शिबू सोरेन जी आमजनों में काफी लोकप्रिय थे।
शोक संतप्त परिजनों के प्रति गहरी संवेदना व्यक्त…
— Jagat Prakash Nadda (@JPNadda) August 4, 2025
આ પણ વાંચોઃ પોલીસે 4 આદિવાસી યુવકોને નગ્ન કરી ગુપ્તાંગમાં મરચું ભરી માર્યા