પંજાબ સરકારે રાજ્યના હજારો દલિત પરિવારોને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં અનુસૂચિત જાતિ જમીન વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન માફ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયનો સીધો લાભ 4,727 દલિત પરિવારોને થશે.
કેબિનેટનો આ નિર્ણય 31 માર્ચ, 2020 સુધી કોર્પોરેશન પાસેથી લીધેલી એવી લોન પર લાગુ થશે, જેમાં દલિતોએ નાની દુકાનો ખોલવા, ડેરી વ્યવસાય, સ્વરોજગાર કે અન્ય જરૂરિયાતો માટે લોન લીધી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ માત્ર લોન માફી નથી, પરંતુ સામાજિક ન્યાય અને સન્માન આપવાનો પ્રયાસ છે.
લોન માફીમાં મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે
નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે તેમણે આ વર્ષના બજેટ ભાષણ દરમિયાન આ વચન આપ્યું હતું અને હવે તેને મંજૂરી આપવામાં આવી છે. માફ કરાયેલા 68 કરોડ રૂપિયામાં માત્ર મુદ્દલ જ નહીં પરંતુ તેના પરનું સંપૂર્ણ વ્યાજ પણ સામેલ છે. આ લોન છેલ્લાં 20 વર્ષથી પેન્ડિંગ હતી, પરંતુ કોઈ પણ સરકારે તેને ગંભીરતાથી લીધી નથી.
આ પણ વાંચો: વલસાડમાં આદિવાસી કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા
મુખ્યમંત્રી ભગવંત માને અગાઉની કોંગ્રેસ અને અકાલી-ભાજપ સરકારો પર નિશાન સાધતા કહ્યું કે આ પક્ષોએ લાંબા સમય સુધી સત્તામાં રહીને પણ દલિતોની આ આર્થિક સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કર્યો નથી. હવે આમ આદમી પાર્ટીની સરકારે તેને પ્રાથમિકતા આપી છે.
સરકારનો નિર્ણય પંજાબના દલિતોની મોટી જીત
આ નિર્ણયને વર્ષોથી દેવાના બોજ તળે દબાયેલા દલિત સમાજ માટે મોટી જીત માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે તેમની સરકાર ભવિષ્યમાં પણ ગરીબ અને વંચિત વર્ગોને રાહત આપવા માટે આવા જ નક્કર પગલાં લેવાનું ચાલુ રાખશે. આ નિર્ણય સાથે, એક તરફ, સરકારે પોતાનું ચૂંટણી વચન પૂર્ણ કર્યું છે, જ્યારે બીજી તરફ તેણે દલિત પરિવારોને નવી શરૂઆત કરવાની તક પણ આપી છે.
ਅੱਜ ਚੰਡੀਗੜ੍ਹ ਵਿਖੇ ਪੰਜਾਬ ਕੈਬਨਿਟ ਦੀ ਅਹਿਮ ਮੀਟਿੰਗ ਸੱਦੀ ਗਈ। ਜਿਸ ਦੌਰਾਨ ਵਿੱਤ ਮੰਤਰੀ ਹਰਪਾਲ ਚੀਮਾ ਜੀ ਵੱਲੋਂ ਵਿਧਾਨ ਸਭਾ ਦੇ ਬਜਟ ਸੈਸ਼ਨ ‘ਚ ਕੀਤੇ ਵਾਅਦੇ ਨੂੰ ਨਿਭਾਉਂਦੇ ਹੋਏ ਅਨੁਸੂਚਿਤ ਜਾਤੀ ਦੇ ਪਰਿਵਾਰਾਂ ਦਾ 68 ਕਰੋੜ ਰੁਪਏ ਦਾ ਕਰਜ਼ਾ ਮੁਆਫ਼ ਕਰਨ ਦਾ ਫ਼ੈਸਲਾ ਲਿਆ ਗਿਆ।
Punjab Scheduled Castes Land Development and… pic.twitter.com/7wWseQoxe1
— Bhagwant Mann (@BhagwantMann) June 3, 2025
આવું કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય
તાજેતરમાં જ, મુખ્યમંત્રી ભગવંત માન અને આપના વડા વડા અરવિંદ કેજરીવાલે મોહાલીમાં ડેપ્યુટી કમિશનર ઓફિસ ખાતે સમગ્ર પંજાબમાં મિલકતની સરળ નોંધણી શરૂ કરી હતી. આના કારણે, હવે મિલકત સંબંધિત કામકાજ અંગે વધુ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને આ કામો ઝડપથી પૂર્ણ થશે. પંજાબ આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
આ પણ વાંચો: નકલી ST સર્ટિ પર ACP બની ગયેલા બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા