મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર સનોજ મિશ્રાની રેપ કેસમાં ધરપકડ

કુંભમેળાની વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર કથિત ડિરેક્ટર સનોજ મિશ્રા વિશે યુટ્યુબરે કરેલી વાત અંતે સાચી પડી.
monalisa and sanoj mishra

મહા કુંભ મેળામાં વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઑફર કરનાર ડિરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. સનોજની રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન ફગાવવામાં આવ્યા બાદ દિલ્હીના નબી કરીમ પોલીસ સ્ટેશને સનોજ મિશ્રાની ધરપકડ કરી છે. આરોપ છે કે સનોજે એક નાના શહેરની છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો જે હિરોઈન બનવાની ઈચ્છા ધરાવતી હતી.

પીડિતાના જણાવ્યા મુજબ તે વર્ષ ૨૦૨૦માં ટીકટોક અને ઇસ્ટાગ્રામ દ્વારા સનોજ મિશ્રાના સંપર્કમાં આવી હતી. તે સમયે તે ઝાંસીમાં રહેતી હતી. થોડા સમય સુધી બંને વચ્ચે વાતચીત ચાલુ રહી અને પછી ૧૭ જૂન, ૨૦૨૧ના રોજ સનોજ મિશ્રાએ તેને ફોન કર્યો અને કહ્યું કે તે ઝાંસી રેલ્વે સ્ટેશન પહોંચી ગયો છે. જ્યારે પીડિતાએ સામાજિક દબાણને ટાંકીને મળવાની ના પાડી તો આરોપી સનોજ મિશ્રાએ આત્મહત્યા કરવાની ધમકી આપી. એ પછી ડરને કારણે પીડિતા તેને મળવા ગઈ. બીજા દિવસે ૧૮ જૂન ૨૦૨૧ના રોજ સનોજે ફરી ફોન કર્યો અને આત્મહત્યાની ધમકી આપીને રેલ્વે સ્ટેશન પર બોલાવી.

આ પણ વાંચો: કુંભ મેળા વાળી મોનાલીસા કઈ જાતિની છે?

આરોપ છે કે ત્યાંથી સનોજ તેને એક રિસોર્ટમાં લઈ ગયો અને તેને નશો આપીને તેના પર બળાત્કાર કર્યો. પીડિતાએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે સનોજે તેની વાંધાજનક તસવીરો અને વીડિયો બનાવ્યા અને ધમકી આપી કે જો તે વિરોધ કરશે તો તે તેને સાર્વજનિક કરી દેશે. એ પછી તેણે તેને લગ્નના બહાને અનેકવાર અલગ-અલગ જગ્યાએ બોલાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ ઉપરાંત તેને ફિલ્મોમાં કામ કરવાની લાલચ પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સમાચાર આવી રહ્યા હતા કે મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે અને સનોજ મિશ્રાએ મોનાલિસાને તેમની આગામી ફિલ્મ ધ ડાયરી ઓફ ૨૦૨૫માં કાસ્ટ કરવાની જાહેરાત કરી હતી. એવા સમાચાર પણ આવ્યા હતા કે સનોજ મિશ્રા મોનાલિસાને અભિનયની તાલીમ પણ આપી રહ્યા છે અને કેટલીક જગ્યાએ તેને સાથે લઈ જઈ રહ્યા છે.

હાલમાં જ મોનાલિસા સનોજ મિશ્રા સાથે પ્લેનમાં મુસાફરી કરતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ એવા આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે કે સનોજ મિશ્રા મોનાલિસાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઘણાં લોકોએ મોનાલિસાને સનોજ મિશ્રાથી દૂર રહેવાની સલાહ આપી હતી. હવે કદાચ તે સાચી લાગી રહી છે.

આ પણ વાંચો: કોટેશ્વરમાં આદિવાસીઓનો સામૂહિક અસ્થિ વિસર્જન મેળો ભરાયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x