કડીની SC અનામત બેઠક પર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટયો

ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા, તેમના પિતા પૂનમ મકવાણા પણ દાવેદાર. ભાજપ SC મોરચાના મહામંત્રીઓ સહિતના હોદ્દેદારો સેન્સમાં દોડ્યાં.
kadi sc reserved seat

રાજયની વિસાવદર અને કડી (SC અનામત) બેઠક માટેની પેટા ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે. જે અંતર્ગત આજે કડી અનામત બેઠક માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના બંને મહામંત્રીઓ, ઉપપ્રમુખ સહિતના દાવેદારી માટે ઉમટી પડ્યા હતા. ભાજપમાં પરિવારવાદ ચાલતો નથી તેવો દાવો કરવામાં આવે છે તેમ છતાં પૂર્વ સાંસદના પુત્ર, પૂર્વ ધારાસભ્ય અને તેમના પૂર્વ મેયર પુત્ર પણ ટિકિટ માટે દોડ્યા હતા.

કડી અનુસૂચિત જાતિ અનામત બેઠક માટે આગામી તા. 19 મી જૂનના રોજ મતદાનની પ્રક્રિયા યોજાવાની છે અને 23 જૂને મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેના અનુસંધાનમાં ભાજપ દ્વારા આજે કડી બેઠક માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક માટેના પ્રભારીઓ સુરેશ પટેલ (પૂર્વ ધારાસભ્ય-મણિનગર) અને દશરથ ઠાકોર (પૂર્વ પ્રમુખ, પાટણ જિલ્લા ભાજપ) અને સંયોજક વિનોદ રણછોડ પટેલ (ચેરમેન, મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક) અને સહ સંયોજક હિમાંશુ બંસી ખમાર (વાઇસ ચેરમેન, કડી એપીએમસી) ની ઉપસ્થિતિમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:  ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?

આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માના પૂત્ર અને અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી દેવેન વર્મા અન્ય મહામંત્રી વિક્રમ ચૌહાણ, ઉપપ્રમુખ અનીતા પરમાર, કારોબારી સભ્ય ભરત બાંટયા, શહેર મોરચાના પ્રમુખ ભદ્રેશ મકવાણા સહિત મોરચાના તમામ આગેવાનો કડી બેઠકના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે ઉમટી પડ્યા હતા.

આ ઉપરાંત ભાજપના દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા, તેમના પુત્ર અને ગાંધીનગર પૂર્વ મેયર હિતેશ મકવાણા પણ કડી બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવવા સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા હતા.

જ્યારે સેન્સ પ્રક્રિયાના અંતિમ સમયમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્ય રમણલાલ વોરાના ખાસ નજીકના એવા લોકોનું પ્રતિનિધિ મંડળ અશ્વિન બેન્કરની આગેવાની હેઠળ પહોંચ્યું હતું. સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદની નજીકના મનાતા એડવોકેટ પ્રકાશ ધારવા પણ કડી બેઠકમાં દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા હાલમાં વિદેશ પ્રવાસે છે પરંતુ તેમના નજીકના વર્તુળના સભ્યો દ્વારા તેમના નામ માટે રજૂઆત કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો: ગ્વાલિયર હાઈકોર્ટમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા સામે બ્રાહ્મણ વકીલોનો વિરોધ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં SC-ST-OBC યુવકોને અન્યાય થાય છે?
0
Would love your thoughts, please comment.x
()
x