શાહજહાંપુરમાં હોળી પહેલા 67 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવી પડી

હોળીના તહેવારમાં અહીં નીકળતા લાટ સાહબ જુલૂસ દરમિયાન હિંદુત્વવાદીઓ મસ્જિદ પર લાલ રંગ ઉડાડીને કોમી વૈમનસ્ય પેદા કરી શકે તેવો ભય હોવાથી પગલું ભરાયું.
mosques

જાતિવાદના એપી સેન્ટર ગણાતા ઉત્તર પ્રદેશમાં સમયાંતરે કોમી ઘર્ષણો ફાટી નીકળે છે. યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા બાદથી આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે હવે અહીંનો મુસ્લિમ સમાજ હિંદુ તહેવારો દરમિયાન વધુ સતર્કતા રાખતો થયો છે. આવું જ કંઈક હાલ હોળીના તહેવારને લઈને અહીંના શાહજહાપુરમાં જોવા મળી રહ્યું છે. જ્યાં હોળી દરમિયાન હિંદુઓ દ્વારા કાઢવામાં આવતા લાટ સાહેબ જુલૂસ દરમિયાન કોઈ કોઈ છમકલું ન થાય તે માટે 67 જેટલી મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ હોળીનો તહેવાર ઉજવવાનું શરૂ થઈ ગયું છે. અહીંના શાહજહાંપુરમાં દર વર્ષે લાટ સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવે છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શહેરની 67 મસ્જિદોને તાડપત્રી અને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી છે. મસ્જિદની દિવાલો પર રંગ પડવાથી કોઈ વિવાદ ન થાય તે માટે આવું કરવામાં આવ્યું છે. પીએસીની બે કંપનીઓને બોલાવવામાં આવી છે. RAF કંપની પણ આવવાની છે. સમગ્ર વિસ્તારમાં ૧૮૦૦ પોલીસકર્મીઓ સહિત ૩૫૦૦ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.

mosques

તમને જણાવી દઈએ કે લાટ સાહેબના જુલૂસની પરંપરા આઝાદી પછી શાહજહાંપુરમાં શરૂ થઈ હતી. જેમાં અંગ્રેજોના પ્રતીક તરીકે એક વ્યક્તિને લાટ સાહેબ બનાવવામાં આવે છે અને તેને ભેંસ ગાડી પર ફરવા લઈ જવામાં આવે છે. એ દરમિયાન લોકો રંગો ઉડાડે છે.


એસપી રાજેશ એસ. એ જણાવ્યું હતું કે અમે એક મહિના પહેલા શાંતિ સમિતિની બેઠક શરૂ કરી હતી અને જરૂરી સંખ્યામાં સુરક્ષા દળોની માંગણી કરી હતી. લગભગ 3,500 સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. લાટ સાહેબનું જુલુસ જે રૂટ પરથી પસાર થશે તેની બંને બાજુની બધી મસ્જિદોને પ્લાસ્ટિકથી કવર કરી લેવામાં આવી છે. અમે ડ્રોન અને સીસીટીવી દ્વારા નજર રાખી રહ્યા છીએ. તે માટેની બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે 438 લોકોને પ્રતિબંધિત કર્યા છે. જુલુસના દિવસે ગુનાહિત વૃત્તિ ધરાવતા 22 લોકોને પોલીસ સ્ટેશનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંપરા મુજબ, લાટ સાહેબ પોલીસ સ્ટેશને પહોંચે પછી પોલીસ અધિકારી તેમને સલામ કરે છે. એ પછી લાટ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી વર્ષ દરમિયાન નોંધાયેલા ફોજદારી કેસોની વિગતો માંગે છે. ત્યારે પોલીસ અધિકારી તેમને લાંચ તરીકે રોકડ અને દારૂની બોટલ આપે છે.

આ પણ વાંચો: સમીમાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ રીલ્સ બનાવી અપલોડ કરી

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x