બસપા(BSP)ના વડા માયાવતી(Mayawati)એ એક નિવેદનમાં કહ્યું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું મારા અંગત હિતો, મારા ભાઈઓ, બહેનો અને સંબંધીઓ વગેરેના સ્વાર્થમાં ક્યારેય પણ પાર્ટીને નબળી નહીં પડવા દઉં. આમ પણ, મારા ભાઈબહેન અને અન્ય સગાસંબંધીઓ વગેરે મારા માટે માત્ર બહુજન સમાજનું જ એક અંગ છે, તેનાથી અલગ નથી. આ ઉપરાંત, બહુજન સમાજમાંથી જે કોઈ પણ પક્ષ અને આંદોલનના હિતમાં પ્રામાણિકતા અને સમર્પણ સાથે કામ કરે છે, તેમને ચોક્કસપણે પક્ષમાં પ્રગતિ કરવાની તક આપવામાં આવશે, આ મામલામાં મારા સગાસંબંધો આડે નહીં આવે.
બીએસપીએ બહુજન મહાપુરુષોના સપનાં સાકાર કર્યા
માયાવતી(Mayawati)એ વધુમાં કહ્યું કે 2007 માં યુપીમાં પૂર્ણ બહુમતી સાથે બસપા સરકાર સત્તામાં આવી તે પહેલાં, બહુજન સમાજ ઉચ્ચ જાતિના લોકો સામે ન તો ખાટલા પર બેસી શકતો નહોતો, ન તેમની બરાબરની ખુરશી પર પણ બેસવાની હિંમત ભેગી કરી શકતો હતો. પરંતુ 2007 માં બસપાએ પોતાના દમ પર પૂર્ણ બહુમતીની સરકાર બનાવી ત્યારથી આ બધું ઘણું બદલાઈ ગયું છે.
આ પણ વાંચો: દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…
17-03-2025-BSP PRESSNOTE-BEHEN MAYAWATI JI PRESS WARTA pic.twitter.com/EHLu4XoDPF
— Mayawati (@Mayawati) March 17, 2025
હકીકતમાં, આ જ સાચું સામાજિક પરિવર્તન છે. જેનાથી ઉત્તરપ્રદેશમાં આપણા સંતો, ગુરુઓ અને મહાપુરુષોના સપના મોટાભાગે સાકાર થયા છે.
પીએમ મોદીની પણ આકરી ઝાટકણી કાઢી
માયાવતીએ કહ્યું કે પ્રધાનમંત્રી સમયાંતરે પોતાની ગરીબીનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેમણે ક્યારેય દલિતો અને અન્ય ઉપેક્ષિત વર્ગોના લોકો જેવા જાતિ ભેદભાવનો સામનો કર્યો નથી, જે આપણા સંતો, ગુરુઓ અને મહાપુરુષોએ કર્યો છે. આજે તેમના અનુયાયીઓ હજુ પણ મોટા પ્રમાણમાં આવા ભેદભાવોનો સામનો કરી રહ્યા છે.
વક્ફ બિલ પર શું કહ્યું?
BSP સુપ્રીમોએ કહ્યું કે હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને વકફ બિલ પર શાસક અને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી રાજનીતિ પણ ચિંતાનો વિષય છે. જો આ મામલો સમયસર સર્વસંમતિથી ઉકેલાયો હોત તો વધુ સારું થાત. કેન્દ્ર સરકારે આ બાબત પર વિચાર કરવો જોઈએ.
આ પણ વાંચો: Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા