બહુજન-મૂળનિવાસી સાહિત્યમાં સર્જનાત્મક લેખન પર કાર્યશિબિર યોજાઈ

શિબિરમાં દિલ્હીથી ખાસ આમંત્રિત વક્તા શીલ બોધિએ બહુજન-મૂળનિવાસી સાહિત્યના ગૂઢાર્થો, પ્રાચીન સાહિત્ય, મહામાનવોની વાણી વિશે વિસ્તારથી વાત કરી.
dalit news

તા. 15 જૂન 2025, રવિવારના રોજ મૂળનિવાસી સભ્યતા સંઘ અને શરૂઆત પબ્લિકેશનના સંયુક્ત ઉપક્રમે ભારતીય શિક્ષણ સમુદાય સંઘ અમદાવાદ ખાતે ‘સર્જનાત્મક લેખન’ પર કાર્યશિબિર યોજાઈ ગઈ.

આ શિબિરમાં દિલ્હીથી ખાસ આમંત્રિત વક્તા શીલ બોધિ (ચીફ કન્વીનર-ઇન્ડિયન નેશનલ લિટરેચર કોન્ફરન્સ) એ દલિત, આદિવાસી, ઓબીસી સાહિત્ય તેમજ બહુજન – મૂળનિવાસી મહામાનવોની વાણી, તેનો ગૂઢાર્થ, પ્રાચીન સાહિત્ય, વગેરે વિશે વિગતવાર વાત કરી હતી. સાથે જ લેખકોએ સાહિત્ય લેખકના કેવી કેવી બાબતો ધ્યાને લેવી, કેવી રીતે પોતાની વાત વણી લેવી, વિગેરે બાબતે સૂક્ષ્મ છણાવટ કરી હતી.

આ પણ વાંચો: દાહોદમાં મતદાર યાદીમાં દલિતો માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો

dalit news

કાર્યક્રમનું સંચાલન જયેશ પ્રિયદર્શીએ કર્યું અને વ્યવસ્થાપન સુનીલ કુમારે કર્યું. સ્વાગત પ્રવચનમાં કૌશિક શરૂઆતે કાર્યક્રમના ઉદ્દેશ્ય અને શરૂઆત પબ્લિકેશન વિશે માહિતી આપી. સુનિલ કુમાર મૂળનિવાસી સભ્યતા સંઘ અને તેની શાખાઓના કામકાજ વિશે પરિચય આપ્યો.

dalit news

કાર્યક્રમમાં સાહિલ પરમાર, અશોક ચાવડા, ગોવિંદ ગોહિલ, પુરુષોત્તમ જાદવ, ડૉ. ધીરજ વણકર, પ્રકાશ બેન્કર, જીતુ વાઘેલા, વર્ષા સોલંકી, રાકેશ બૌદ્ધ, તુષાર કુમાર, વગેરે નામાંકીત લેખકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

આ પણ વાંચો: સારવારના અભાવે 11 વર્ષની રેપ પીડિતા દલિત બાળકીનું મોત

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x