જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં દલિતોની જમીન પર જાતિવાદી તત્વો દ્વારા કબ્જો જમાવવાનો સિલસિલો યથાવત છે. અહીંના પ્રયાગરાજના કરછણા વિસ્તારમાં એક દલિત પરિવારની જમીન પર જાતિવાદી તત્વોએ ગેરકાયદેસર કબજો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, જમીન પર કબ્જો કરનારા લોકો ભાજપના સ્થાનિક નેતાઓ છે. તેમણે કથિત રીતે બરદહા ગામના બુદ્ધિમાન કોટાર્યના કૈથી ગામમાં આવેલી કરોડો રૂપિયાની જમીન પર કબજો કર્યો હતો.
શુક્રવારે સવારે 3 વાગ્યે, ભાજપના નેતાઓએ ગુપ્ત રીતે જમીન પર બાંધકામ ઉભું કરી દીધું હતું. આજે સવારે જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પીડિત પરિવારના રાકેશ અને દિનેશને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.

આ પણ વાંચો: ‘તમે દલિત છો? નીચે ઉતરી જાવ’ કહી BJP MLAએ સરપંચનું અપમાન કર્યું
પીડિત દલિત પરિવારે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી તેમની જમીન પર સતત અતિક્રમણના પ્રયાસો થઈ રહ્યા હતા. તેમણે કરછણા પોલીસ અને તાલુકાના વહીવટીતંત્રને ઘણી વખત ફરિયાદ કરી હતી. પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અનૂપ સરોજ કહે છે કે તેમને આ બાબત અંગે કોઈ માહિતી નથી. સ્થાનિક લોકોનો આરોપ છે કે કરચણા પોલીસ અને તહસીલ વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે આ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણની ઘટનાઓ વધી રહી છે.
આ પણ વાંચો: કોરોનાનો મૃત્યુ આંક છુપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે










