નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે 11 ફેબ્રુઆરી 2026ના રોજ એક વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ભીમ આર્મીના સ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદના આહવાન પર હજારોની સંખ્યામાં કાર્યકરો યુજીસી (UGC) ના નવા નિયમોના સમર્થનમાં એકઠા થયા હતા. આ વિરોધ પ્રદર્શન માત્ર એક રેલી નહોતી, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં વર્ષોથી ચાલતા આવતા જાતિગત ભેદભાવ સામેનું રણશિંગું હતું. ચંદ્રશેખર આઝાદે આ મંચ પરથી દેશના તમામ મોટા રાજકીય પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોને ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી, જેણે દેશભરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
ચંદ્રશેખર આઝાદનો લલકાર અને રાજકીય પ્રહારો
પોતાના આક્રમક સંબોધનમાં ચંદ્રશેખર આઝાદે એવા પક્ષોના અધ્યક્ષોને નિશાન બનાવ્યા જેમનું લોકસભામાં પ્રતિનિધિત્વ છે. તેમણે કહ્યું કે, “હું કોઈ મોટા રાજકીય પરિવારનો વારસદાર નથી, હું જમીની સ્તરેથી લડીને આવેલો કાર્યકર છું. જો તમને વંચિતોના મુદ્દાઓ પર જાણકારી હોય, તો મારી સાથે ખુલ્લા મંચ પર ડિબેટ કરો.” તેમણે વધુમાં ઉમેર્યું કે દેશના મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખ, દલિતો, પછાત વર્ગો અને ખેડૂતોના અધિકારોની વાત કરવામાં મોટાભાગના નેતાઓ ખચકાય છે. યુનિવર્સિટીઓમાં દલિત વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ અને તેમને જે રીતે માનસિક ત્રાસ આપવામાં આવે છે, તે અટકાવવા માટે યુજીસીના નવા નિયમો અત્યંત અનિવાર્ય છે.

આ પણ વાંચો: બિહારમાં UGC નિયમોના સમર્થનમાં દલિત-OBC નેતાઓ એક થયા
સુપ્રીમ કોર્ટમાં પણ વંચિતોના હકોને દબાવવા પ્રયાસ
ચંદ્રશેખર આઝાદે આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં પણ વંચિતોના હિતોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી યુનિવર્સિટીઓના કુલપતિ (VC) અને પસંદગી સમિતિઓમાં પછાત વર્ગના લોકો નહીં હોય, ત્યાં સુધી શિક્ષણ જગતમાંથી જાતિવાદ ખતમ નહીં થાય. જંતર-મંતર પરના આ પ્રદર્શનમાં ‘શિક્ષણ પર સૌનો સમાન અધિકાર’ ના નારા ગુંજ્યા હતા. આઝાદે સ્પષ્ટ કર્યું છે કે જો 19 માર્ચની સુનાવણીમાં ન્યાય નહીં મળે, તો તેઓ દેશવ્યાપી આંદોલન કરશે. શિક્ષણ અને સમાનતાના મુદ્દે શરૂ થયેલો આ સંગ્રામ હવે આવનારા સમયમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

શું છે યુજીસી રેગ્યુલેશન 2026 વિવાદ?
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા 13 જાન્યુઆરી 2026ના રોજ ‘પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન્સ 2026’ જાહેર કરવામાં આવ્યા હતા. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ના વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય અને અત્યાચારને જડમૂળથી નાબૂદ કરવાનો છે. આ નિયમો હેઠળ દરેક યુનિવર્સિટીમાં ‘ઇક્વિટી કમિટી’ બનાવવી ફરજિયાત છે અને ભેદભાવ કરનાર પ્રોફેસર કે અધિકારી સામે કડક દંડની જોગવાઈ છે.
આ પણ વાંચો: UGC નિયમો પર આવ્યું માયાવતીનું નિવેદન, જાણો શું કહ્યું?
જોકે, આ નિયમોનો સામાન્ય વર્ગના સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારાઓનો દાવો છે કે આ નિયમો એકપક્ષીય છે. તેમનો તર્ક છે કે જો કોઈ વિદ્યાર્થી જાણીજોઈને કોઈ પ્રોફેસર પર ખોટો આક્ષેપ કરે, તો તેવા કિસ્સામાં નિર્દોષને બચાવવા માટે આ નિયમોમાં કોઈ જોગવાઈ નથી. વળી, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ સામે પણ ભેદભાવ થતો હોવાના દાવા સાથે તેઓ આ નિયમોને રદ કરવાની માંગ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટનો સ્ટે અને કાયદાકીય સ્થિતિ
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા, 29 જાન્યુઆરી 2026ના રોજ સર્વોચ્ચ અદાલતે યુજીસીના 2026ના નવા નિયમો પર વચગાળાનો સ્ટે (Stay) મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ નિયમોની બંધારણીય માન્યતા અને તેનાથી સમાજ પર પડતી અસરોની તપાસ ન થાય, ત્યાં સુધી 2012ના જૂના નિયમો જ અમલી રહેશે. કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસી પાસે આ મામલે જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 19 માર્ચ 2026ના રોજ થવાની છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
આ પણ વાંચો: UGC નિયમના સમર્થનમાં ઉતરેલી MLA ને પોલીસે વાળ પકડીને ઢસડી











સુપ્રીમ કોર્ટમાં ugc વિરુદ્ધ નો નિર્ણય ત્યાં વિરાજમાન મા.ના. ન્યાયાધીશ ની તટસ્થતા અને નિષ્પક્ષ પર આધારિત છે. કેમ કે હાલના સમયે દલિતો પર જેમ અત્યાચારો વધી રહ્યા છે. ત્યારે કેમ દેશ ના બધા ન્યાયાલય માં કોઈ પણ આરોપીઓ સામે કઠોર કાર્યવાહી કરવાનો હુકમ કે આદેશ આપતા નથી. કેમ કે પોતાના નિજ જાતી ભેદભાવ નો એક કીડો જે મગજ માં ઘર કરી ગયો છે. તેને લીધે આ અત્યાચારો વધી રહ્યા છે. ફકત ને ફકત કોર્ટ દબાયેલી વ્યક્તિ ને વધારે દબાવી પ્રક્રિયા ને મૂળ થી ખત્તમ કરવા માંગે છે.