નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અત્યંત આક્રમક રીતે ‘બ્રાહ્મણવાદ’ અને ‘હિંદુત્વ’ના નામે ઉશ્કેરણીજનક નિવેદનો આપતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેઘા લવારિયાનો તાજેતરનો એક ઇન્ટરવ્યૂ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વરિષ્ઠ પત્રકાર શ્વેતા જયાએ લીધેલા આ ઇન્ટરવ્યૂમાં મેઘા લવારિયાના બોલતી બંધ થઈ ગઈ હતી. જે યુવતી રસ્તાઓ પર ઉતરીને “બ્રાહ્મણવાદ જિંદાબાદ” અને “દેશ કે ગદ્દારો કો ગોલી મારો…” જેવા હિંસક નારા લગાવતી હતી, તે પત્રકારના સામાન્ય તાર્કિક સવાલો સામે સાવ ‘મૂર્ખ’ સાબિત થઈ છે. આ ઇન્ટરવ્યૂએ સાબિત કર્યું છે કે કેવી રીતે અલ્પજ્ઞાની યુવાનો માત્ર પ્રોપેગેન્ડાના જોરે સમાજમાં ઝેર ભેળવવાનું કામ કરી રહ્યા છે.
વેદ-પુરાણ, મનુસ્મૃતિ વાંચ્યા વિના તર્ક કરવો મોંઘો પડ્યો
ઇન્ટરવ્યૂની શરૂઆતમાં જ શ્વેતા જયાએ મેઘાને તેની વિચારધારાના પાયા વિશે પ્રશ્ન કર્યો હતો. મેઘા લવારિયા જે બ્રાહ્મણવાદને સર્વોપરી ગણાવતી હતી, તેને જ્યારે પૂછવામાં આવ્યું કે “શું તમે ક્યારેય ચાર વેદ, અઢાર પુરાણ, ઉપનિષદો કે મનુસ્મૃતિ વાંચ્યા છે?” ત્યારે મેઘા પાસે કોઈ જવાબ નહોતો. તેણે અત્યંત શરમજનક રીતે સ્વીકાર્યું હતું કે તેણે આમાંથી એક પણ ધર્મગ્રંથનો અભ્યાસ કર્યો નથી. જે પરંપરાના તે ગુણગાન ગાઈ રહી છે, તેના મૂળભૂત સિદ્ધાંતો વિશે તે સંપૂર્ણપણે અજાણ હોવાનું લાઈવ ઇન્ટરવ્યૂમાં દેખાઈ આવતું હતું. વાંચ્યા વિના જ કોઈ વિચારધારાને વળગી રહેવું એ માત્ર અંધભક્તિ જ કહી શકાય.

આ પણ વાંચો: આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?
બંધારણ વિરોધી માનસિકતા અને કાયદાકીય અજ્ઞાન

મેઘા લવારિયાએ ભૂતકાળમાં ભારતીય બંધારણની કલમો (Articles) તોડવાની અને તેને બદલવાની વાતો કરી હતી. જ્યારે પત્રકાર શ્વેતાએ પૂછ્યું કે, “તમને બંધારણની કઈ કલમથી વાંધો છે? અથવા કઈ કલમ દેશના હિતમાં નથી?” ત્યારે મેઘાના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા હતા. તે એક પણ કલમનું નામ આપી શકી નહોતી. તે કલમ અને કાયદા વચ્ચેનો સામાન્ય તફાવત પણ સમજાવી શકી નહોતી. બંધારણ જેવા પવિત્ર દસ્તાવેજ વિશે પાયાની જાણકારી રાખ્યા વિના તેને પડકારવાની તેની હિંમત માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવાની એક સસ્તી યુક્તિ સાબિત થઈ હતી.
• दीदी का नाम मेघा लवारिया है
• दीदी देश में क्रांति करना चाहती हैं
• दीदी सनातन धर्म बचाने की बात करती हैं
• दीदी दिनभर वेद-पुराण के उदाहरण देती हैंमगर दीदी..
श्वेता जया के पॉडकास्ट पर चली गईं, जहां दीदी की बत्ती गुल हो गई।
और दीदी ने रायता फैला दिया, सुनिए 👇🏼 pic.twitter.com/3rPaG1Yh08
— Govind Pratap Singh | GPS (@govindprataps12) March 2, 2026
દલિત-બહુજન વિરોધી એજન્ડા અને હિંસક નારેબાજી
આ ઇન્ટરવ્યૂમાં શ્વેતા જયાએ મેઘાના એ વીડિયો પર પણ તીખા સવાલો કર્યા હતા જેમાં તે “દેશ કે ગદ્દારો કો ગોલી મારો સાલો કો” જેવા ભડકાઉ નારા લગાવતી જોવા મળી હતી. પત્રકારે પૂછ્યું કે ગદ્દાર કોણ છે અને ગોળી મારવાનો અધિકાર તમને કોણે આપ્યો? આ પ્રશ્ન પર મેઘા લવારિયા પાસે ગોળ-ગોળ વાતો કરવા સિવાય કોઈ ઠોસ દલીલ નહોતી. આ ઉપરાંત, તે દલિત અને બહુજન સમાજના હિતોને નુકસાન પહોંચાડવાના હેતુથી UGC એક્ટ હટાવવા માટેના વિરોધ પ્રદર્શનોમાં પણ જોડાઈ હતી. શૈક્ષણિક અને સામાજિક અનામતના પાયાના ખ્યાલો વિશે તેની સમજમાં દ્વેષ વધુ અને તર્ક ઓછો જોવા મળ્યો હતો.
Full podcast Link: https://t.co/HMOSdx10kC
YT channel- Social Copyright By Shweta Jaya
“मैं गुंडा हूं” | मैं संविधान की सारी धाराएं तोड़ सकती हूं…”
ब्राह्मणवाद ज़िंदाबाद का नारा लगाने वाली लड़की- Megha Lawadiya vs Journalist, Shweta Jaya
Is this aggression? Ideology? Or… pic.twitter.com/J97HsCUOZF
— SHWETA JAYA (@Shweta__Jaya) March 2, 2026
આ પણ વાંચો: સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?
મનુવાદી પ્રોપેગેન્ડાનો ભાંડો ફૂટ્યો
મેઘા લવારિયાનો આ ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર પ્રોપેગેન્ડા ફેલાવતા તત્વો માટે એક અરીસો છે. જે લોકો માત્ર વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજ વાંચીને રસ્તા પર ઉતરી આવે છે અને બીજા સમાજો પ્રત્યે નફરત ફેલાવે છે, તેમની વાસ્તવિકતા આ ઇન્ટરવ્યૂમાં ખુલ્લી પડી ગઈ છે. શ્વેતા જયાએ પોતાની પત્રકારત્વની કુશળતાથી બતાવ્યું કે જ્યારે હકીકતો અને પુસ્તકોના જ્ઞાનની વાત આવે છે, ત્યારે નફરત ફેલાવનારાઓનું ‘ટાંય ટાંય ફીસ’ થઈ જાય છે. લોકોએ આવા અલ્પજ્ઞાની ઇન્ફ્લુએન્સરથી સાવધ રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: ‘પાઈથનનું કામ માત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય કરે, તું Java કે સફાઈકામ કર!’










