મીતલીમાં દલિતોના કૂવા પાસે પોલીસ પહેરો ગોઠવોઃ મેવાણી

ખંભાતના મીતલીમાં દલિત સમાજના કૂવામાં શૌચ કરી જનાર તત્વોને રોકીને પકડી પાડવા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પોલીસ પહેરો ગોઠવવાની માંગ કરી છે.
mitali khambhat news

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મીતલી ગામમાં અસામાજિક તત્વો દ્વારા દલિત સમાજના કૂવામાં શૌચ કરી જવાનો મામલો હાલ ગરમાયેલો છે. દલિતોના કૂવામાં ગંદકી ફેંકાતા 100 જેટલા દલિત પરિવારો માટે પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. જાતિવાદી તત્વો દ્રારા દલિતોને અવારનવાર હેરાન કરવામાં આવતા હોવાથી હવે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ દલિત સમાજના કૂવા પાસે પોલીસ પહેરો ગોઠવવા અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે કલેક્ટર અને એસપીને પત્ર લખ્યો છે.

મેવાણીએ કલેક્ટર અને એસપીને લેખિત રજૂઆત કરી

મેવાણીએ આણંદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મીતલી ગામે લુખ્ખા તત્વો દ્વારા પીવાના પાણીના કૂવામાં અને આસપાસ મળ નાંખી ગંદકી ફેલાવતા અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોની કલમોનો ભંગ થયો છે. આ ઘટનાની જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ નિષ્પક્ષ તપાસ થાય, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત મુલાકાત કરી અનુસૂચિત સમાજના લોકોને સાંભળી પાણીની કાયમી સમસ્યા ઉકેલી સરકારને રિપોર્ટ કરવો જોઈએ.

આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી

24 કલાક પોલીસ પહેરો ગોઠવોઃ મેવાણી

જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે કે, એસસીસીપી ખાસ અંગભૂત યોજનાના બજેટમાંથી અનુસૂચિત જાતિ વિસ્તારમાં પાણીનો બોર, ટાંકી, સંપ અને ઘરે ઘરે નળ કનેકશનની લાઇનો નાખવા માટે નાણાંકીય જોગવાઈ કરી કામગીરી કરે. એટલું જ નહીં આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી દલિત સમાજના કૂવા અને મુખ્ય વિસ્તારમાં 24 કલાક પોલીસ પહેરો ગોઠવી આ કૃત્ય કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે.

મીતલી ગામમાં શું બન્યું હતું?

ઉલ્લેખનીય છે કે, ખંભાતના મીતલી ગામે દલિત સમાજના પીવાના પાણીના કૂવામાં અસામાજિક તત્વો દ્વારા મળ નાખી 100 જેટલા દલિત પરિવારજનોને હેરાન પરેશાન કરાતા હોબાળો મચી ગયો છે. કૂવા પર અગાઉ એક દલિત મહિલાને જાતિવાદી તત્વો દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો. દલિત સમાજના લોકો કૂવામાંથી પણ પાણી પી ન શકે તેવું લુખ્ખા તત્વો દ્વારા આ શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

આ ઘટનાના માત્ર આણંદ જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્ય કક્ષાએ પડઘા પડ્યા છે. હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ મામલે કલેક્ટર અને એસપીને રજૂઆત કરતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. જોવાનું એ રહેશે કે, દલિતોના મતો મેળવવા માટે ચૂંટણી આવે ત્યારે ડો.આંબેડકરને હારતોરા કરતા અને દલિતોના ઘરે ભોજન કરવા બેસી જતા ભાજપના નેતાઓ મીતલીના દલિતોની પીવાના પાણીની સમસ્યાને દૂર કરવામાં કેટલો રસ ધરાવે છે.

આ પણ વાંચો: ખંભાતના મીતલીમાં વણકરોના કૂવામાં લુખ્ખા તત્વો શૌચ કરી ગયા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
5 hours ago

Aa, Jatankvadi manu, ni paidash che,, tene hail na saliya pachad dhakelidiyo,,,

શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x