બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિતવાસ પર હુમલો, 250 લોકો ફરિયાદ

બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિતવાસ પર જીવલેણ હુમલો. 70 લોકો સામે નામજોગ સહિત 220 લોકો સામે એફઆઈઆર નોંધાઈ. ગામમાં સન્નાટો.
Attack on Dalits in Bihars Kusheshwar

બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિત અત્યાચારની એક મોટી ઘટના બની છે. અહીં મજૂરીના બાકી નીકળતા પૈસા માંગતા માથાભારે તત્વોએ દલિતવાસ પર હુમલો કરી દીધો હતો. જેમાં ડઝનેક દલિતો ઘાયલ થયા હતા. 31 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ ગામમાં તણાવનો માહોલ છે.

મામલો શું હતો?

31 જાન્યુઆરીએ કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હરિનગર ગામમાં જાતિવાદી ગુંડાઓએ દલિતવાસ પર હુમલો કરી દીધો હતો. દલિતોનો વાંક માત્ર એટલો જ હતો કે, તેમાના એક વ્યક્તિએ મજૂરીના બાકી નીકળતા 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેનાથી ઉશ્કેરાયેલા માથાભારે તત્વોએ દલિતોને પાઠ ભણાવવા માટે હુમલો કરી દીધો હતો. જેમાં દલિતવાસના અનેક યુવકો, વૃદ્ધો, મહિલાઓ વગેરે ઘાયલ થયા હતા. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: કાંકરિયા દલિત યુવક હત્યા કેસના ચારેય આરોપી ઝડપાયા

પોલીસે બેઠક બોલાવી પણ કોઈ ગુંડાઓ ફરક્યા નહીં

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રવિવારે SDO શશાંક રાજ અને SDPO પ્રભાકર તિવારીની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે શાંતિ બેઠક યોજાઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ અધિકારીઓએ હુમલાખોરોને સમજાવવાને બદલે દલિતોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. અધિકારીઓએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે તેમની સલામતી માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ કોઈપણ સમસ્યાની તાત્કાલિક જાણ કરે. જોકે, બીજી બાજુ આરોપીઓમાંથી કોઈપણ વ્યક્તિ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી ન હતી. તેના પરથી જ મામલો કેટલો ગંભીર હશે તે સમજાય છે.

70 લોકો સામે નામજોગ, 150 અજાણ્યા લોકો સામે ફરિયાદ

ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસના દરોડા ચાલુ છે. પીડિત પક્ષના સભ્ય અશરફી પાસવાનના લેખિત નિવેદનના આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં 70 લોકોના નામ આપવામાં આવ્યા છે, જ્યારે 150 અજાણ્યા વ્યક્તિઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. એફઆઈઆર મુજબ, આરોપીઓ પર ગંભીર આરોપો છે, જેમાં ગ્રુપ બનાવી દલિતવાસ પર હુમલો કરવો, તોડફોડ કરવી વગેરે સામેલ છે.

આ પણ વાંચો: અમરેલીમાં BLO નું નામ પરિવાર સાથે કમી કરવા અરજી થઈ ગઈ!

ગામના બધાં પુરુષો ઘર છોડી ફરાર થઈ ગયા

પીઆઈ અંકિત ચૌધરીએ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં એક ડઝન આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે બાકીના નામજોગ આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને અજાણ્યા આરોપીઓને ઓળખવાની પ્રક્રિયા પણ ચાલુ છે. ગામમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, અને પોલીસ ત્યાં કેમ્પિંગ કરી રહી છે. એફઆઈઆર દાખલ થયા પછી બીજી બાજુના બધા પુરુષો ફરાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપીએ ગોળીબાર કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Anu
Anu
1 month ago

ये सब को जेल में डालो और 10.साल की सजा होनी चाहिए।

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x