અયોધ્યામાં 22 વર્ષીય દલિત યુવતીના હત્યારાઓ પકડાઈ ગયા છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓના નામ હરિ રામ કોરી, વિજય સાહુ અને દિગ્વિજય સિંહ હોવાનું સામે આવ્યું છે. આ લોકોએ દારૂના નશામાં છોકરીની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે ગામની જ એક શાળામાં યુવતીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને આરોપીઓએ ગટરમાં ફેંકી દીધો હતો.
એસએસપી રાજ કરણ નૈયરે આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ આરોપીને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં પોલીસની ચાર ટીમો સર્ચ ઓપરેશનમાં રોકાયેલી હતી. શરૂઆતની તપાસમાં ત્રણેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ચાર્જશીટ તૈયાર કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી આરોપીઓને સૌથી કડક સજા અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
In #UttarPradesh‘s #Ayodhya, the #UPPolice claimed to have solved the rape and murder of a #Dalit girl within 36 hours with the arrest of three persons.
The accused, #HariramKori, #VijaySahu and #DigvijaySingh committed the crime under the influence of alcohol.
The accused had… pic.twitter.com/x1VgB49iHL
— Hate Detector 🔍 (@HateDetectors) February 3, 2025
અગાઉ એસએસપી રાજ કરણ નૈય્યરે કહ્યું હતું કે એસપી સિટીના નેતૃત્વ હેઠળ રચાયેલી ટીમ દ્વારા અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગુનાના સ્થળે પહેલી નજરે જોતાં એવું લાગે છે કે હત્યા તે સ્થળે થઈ નથી. પોલીસને શંકા છે કે આ ઘટનાને બીજે ક્યાંક અંજામ આપવામાં આવ્યો હશે અને બાદમાં લાશને અહીં મુકવામાં આવી હશે.
અયોધ્યામાં ગુમ થયેલી 22 વર્ષીય દલિત યુવતીનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં ગામ નજીક એક ઉજ્જડ નહેરમાંથી મળી આવ્યો હતો. યુવતીના પરિવારે હત્યાનો આરોપ લગાવતા દાવો કર્યો હતો કે તેની આંખો કાઢી નાખવામાં આવી હતી અને તેના શરીર પર ઊંડા ઘા અને ફ્રેક્ચર હતા. યુવતી 30 જાન્યુઆરીની રાતથી ગુમ હતી. દર્શન નગર સ્ટેશન પર આ અંગે જાણ કરવામાં આવી હતી. છોકરીની બહેને કહ્યું હતું કે તે રાત્રે તેની બહેન સાથે સૂઈ ગઈ હતી. સવારે જ્યારે તે ઉઠી ત્યારે તેની બહેન તેની સાથે નહોતી. જોકે, પોલીસે “આંખો ગુમ થવા અને શરીર પર ઊંડા ઘા અને ફ્રેક્ચર હોવાને લઈને કોઈ પ્રતિક્રિયા નથી આપી.
આ પણ વાંચો:Ayodhya માં દલિત યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો