અમે અનામતની 50 ટકાની મર્યાદાને તોડી નાખીશું: રાહુલ ગાંધી

અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.
rahul gandhi

અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના 84મા રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. આ ઉપરાંત ફરી એકવાર તેમણે જાતિગત વસ્તી ગણતરી અને અનામતની મર્યાદા વધારવાની વાત કરી. જો કે કોંગ્રેસે તેલંગાણામાં જે રીતે SC-ST ગેરબંધારણીય ક્રિમીલેયર સૌથી પહેલા દાખલ કરી અને રાહુલે તે મામલે ભેદી મૌન સેવ્યું તેને ધ્યાનમાં રાખીને જોતા રાહુલના આ દાવાઓ પર દેશના દલિતો-આદિવાસીઓ કેટલો ભરોસો કરશે તે સવાલ છે.

પોતાના વક્તવ્યમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મજૂરોને ગિગ વર્કર કહેવામાં આવે છે. તેઓ ઘરે ઘરે ફૂડ ડિલિવર કરે છે. તેઓ એમેઝોનની ડિલિવરી લે છે અને રસ્તા પર મૃત્યુ પામે છે. તેલંગાણામાં, અમે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કર્યો છે. જ્યારે આ લોકોની યાદી બહાર પાડવામાં આવી ત્યારે તે બધા દલિત, ઓબીસી અથવા આદિવાસી હતા. તેલંગાણામાં જાતિગત આધારિત વસ્તી ગણતરીએ એક નવું હથિયાર આપ્યું છે. આના દ્વારા આપણે વિકાસ કાર્યો કરી શકીએ છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે મને ખુશી છે કે જાતિ વસ્તી ગણતરી પછી તરત જ અમારા મુખ્યમંત્રી અને અમારી ટીમે OBC અનામત વધારીને 42 ટકા કરી દીધી. તેમણે કહ્યું કે જો આપણે ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો 90 ટકા વસ્તી ધરાવતા લોકો ત્યાં નથી. પીએમ મોદી હંમેશા ઓબીસી, દલિતો અને આદિવાસીઓ વિશે વાત કરે છે, પરંતુ તેમની ભાગીદારીની વાત આવે ત્યારે ચૂપ થઈ જાય છે. તેલંગાણાએ એક પગલું ભર્યું છે અને સમગ્ર દેશને રસ્તો બતાવ્યો છે. અમે દેશભરમાં ૫૦ ટકા અનામતની મર્યાદાને તોડી નાખીશું. અમે તેલંગાણામાં જે શરૂઆત કરી છે, તે જ અમે દિલ્હીમાં સમગ્ર ભારતમાં કરીશું.

રાહુલે આગળ કહ્યું કે આ લોકો ભારતની તમામ સંસ્થાઓ પર હુમલો કરી રહ્યા છે. જ્યાં પેહલા પછાતો અને દલિતોને જગ્યા મળતી હતી, તે રસ્તા હવે તેઓ બંધ કરી રહ્યા છે. પહેલા, દરેક સમાજના યુવાનો સેનામાં જોડાઈ શકતા હતા. તેમને પગાર, પેન્શન અને ભૂતપૂર્વ સૈનિકોનો દરજ્જો આપવામાં આવ્યો. આ લોકોએ બધું ખતમ કરી નાખ્યું. આજે સરકાર કહે છે કે જો તમે યુદ્ધમાં શહીદ થાઓ અને તમે અગ્નિવીર છો, તો ન તો પરિવારને પેન્શન મળશે અને ન તો તમને શહીદનો દરજ્જો મળશે. આ રસ્તો કોના માટે બંધ કરવામાં આવ્યો? ગરીબો, દલિતો, પછાત અને અતિપછાત અને આદિવાસીઓ માટે. પહેલા એક જાહેર ક્ષેત્ર હતું. દરેક જાતિના લોકો તેમાં જઈ શકતા હતા – BSNL, HAL વગેરે. પહેલા બધાને નોકરી મળતી હતી, પરંતુ હવે બધું એક પછી એક બંધ થઈ રહ્યું છે.

રાયબરેલીના સાંસદે કહ્યું કે હવે બધો જ વ્યવસાય અદાણી અને અંબાણીને સોંપવામાં આવી રહ્યો છે. જો તમે અદાણી અને અંબાણીની કંપનીઓની મેનેજમેન્ટ યાદી જુઓ તો તમને એક પણ દલિત, આદિવાસી કે ઓબીસી વ્યક્તિ નહીં મળે. આજે ૯૦ ટકા લોકો માટે કંઈ બચ્યું નથી. તેમની પાસે ફક્ત ગરીબી અને બેરોજગારી છે. પીએમ મોદીએ છેલ્લી વાર ટ્રમ્પને ગળે લગાવ્યા હતા. પણ આ વખતે આવો ફોટો આવ્યો નથી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ આ વખતે ટેરિફ લાદશે. એ વાત સાચી છે કે આર્થિક તોફાન આવવાનું છે. તેઓ ટ્રમ્પ સામે એક શબ્દ પણ બોલી શક્યા નહીં.

આર્થિક તોફાન લાખો લોકોને નુકસાન પહોંચાડશે. આજે બેરોજગારી ૫૦ વર્ષમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી કેવી રીતે જીતી? અમે ચૂંટણી પંચ પાસે ત્યાંથી મતદાર યાદી માંગી હતી, પરંતુ આજ સુધી તે મળી નથી. આરએસએસના લોકો પાસે સ્વતંત્રતા સંગ્રામની વિચારધારા નથી. જે દિવસે બંધારણ લાગુ થયું તે દિવસે RSS એ તેનો વિરોધ કરવા માટે રામલીલા મેદાનમાં તેને બાળી નાખ્યું હતું.

આ પણ વાંચો: ‘હિંમત હોય તો આભડછેટને દૂર કરવાનું બિલ લાવો, હું સમર્થન કરીશ’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x