ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.

કહેવાતું પ્રગતિશીલ ગુજરાત અંદરખાને કઈ હદે આભડછેટ અને જાતિવાદથી ખદબદે છે તેના વિશે નવેસરથી કોઈ દાખલા આપવાની જરૂર નથી. ગુજરાતના દલિતોના ચોપડે ગામોગામ આવી સેંકડો ઘટનાઓ ધરબાઈને પડી છે. ચોંકાવનારી વાત એ છે કે, મનુસ્મૃતિની ધરી પર ઉભેલો હિંદુ ધર્મ જેમને શુદ્ર ગણી ધુત્કારી કાઢે છે એજ વર્ણના લોકો સવાયા હિંદુ બનીને દલિતો પર અત્યાચાર કરવામાં મોખરે છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ગામમાં સામે આવી છે. જ્યાં રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાંથી દલિત સરપંચ સહિત સમસ્ત દલિત સમાજને બાકાત રાખતા 20 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચોઃ માણાવદરના ટીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થશે?

મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આભડછેટ રાખી

ડીસા તાલુકાના પાલડી ગામમાં નવા બનેલા દૂધેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 28થી 30 એપ્રિલ દરમિયાન યોજાયો હતો. જેમાં પાલડી અને આજુબાજુનાં ગામોના લોકોને આમંત્રણ અપાયું હતું. ગામની અન્ય જ્ઞાતિની કુંવારિકાઓને તાંબાના લોટા આપીને વહેવાર કરવામાં આવ્યો હતો પરંતુ ગામના દલિત સમાજે સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગામના સરપંચને પણ આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા નહોતા. પોતાને સવાયા સવર્ણ માનતા રબારી સમાજના આરોપીઓએ આ ધાર્મિક ઉત્સવમાં દલિતોને આમંત્રણ પણ આપ્યું નહોતું અને તેમનો ફાળો પણ સ્વીકાર્યો નહોતો. જેના કારણે સરપંચ સહિતના દલિતોને ભારે માઠું લાગી ગયું હતું. જો કે ઉત્સવ ચાલતો હોવાથી તેમણે આ મામલે કોઈ હોબાળો મચાવ્યો નહોતો પરંતુ હવે તેમણે 20 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ ચંદ્ર ગોવિંદ દાસ સામે સુરતમાં રાજદ્રોહ-એટ્રોસિટીની અરજી થઈ

પાલડી ગામનું મંદિર, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. (Image-divya Bhaskar)
પાલડી ગામનું મંદિર, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. (Image-divya Bhaskar)
દલિત સરપંચે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

પાલડીના દલિત સમાજમાંથી આવતા સરપંચ બાબુભાઈ ચૌહાણે ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આરોપ મૂક્યો છે કે આ ધાર્મિક ઉત્સવના આયોજકોએ ગુનાહિત કાવતરું રચીને દલિતોનો બહિષ્કાર કર્યો હતો. સરપંચ પોતે દલિત સમાજના છે અને ગામની જવાબદાર વ્યક્તિ હોવા છતાં તેમની સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હતો. દલિત સમાજને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ દલિતવાસ પર હુમલામાં 27 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ

ન્યાય નહીં મળે તો દલિતોની ધર્મપરિવર્તનની ચીમકી

સરપંચ બાબુભા ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે મહોત્સવમાં વિક્ષેપ ન પડે એ માટે એ સમયે અમે ફરિયાદ કરી ન હતી. પરંતુ હવે અમારા સમાજ સાથે થયેલા અત્યાચાર અંગે અમે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરપંચ બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અપનાવી લેશે. તેમણે આ મામલે સખત કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ APP ધવન જયસ્વાલ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

deesa dalit sarpanch atrocity fir
પાલડીના સરપંચ બાબુભાઈ ચૌહાણ (Image – Divya Bhaskar)
સરપંચની ફરિયાદના આધારે પોલીસે 20 લોકો સામે FIR નોંધાઈ

આ ઘટના ડીસા તાલુકામાં જાતિગત ભેદભાવની કડવી વાસ્તવિકતાને ફરી એકવાર ઉજાગર કરે છે. પાલડી ગામના સરપંચ બાબુભાઈ આલાભાઈ ચૌહાણે ભીલડી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદના આધારે પાલડી ગામના આ 20 જેટલા લોકો સામે એટ્રોસિટી એક્ટ અનુસાર પોલીસ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચોઃ ઈડરમાં ડો.આંબેડકર વિશે અભદ્ર કોમેન્ટ કરનાર ઈસમ સામે ફરિયાદ

દલિતોને મંદિરમાં જવાનો મોહ કેમ છૂટતો નથી?

મનુસ્મૃતિની ધરી પર ઉભેલા હિંદુ ધર્મમાં દલિતોને વર્ણ વ્યવસ્થાની બહાર ગણવામાં આવ્યા છે. સવર્ણ હિંદુઓ દલિતોને હિંદુ ગણતા નથી અને તેમની સાથે આભડછેટ પાળે છે. એનું જ કારણ છે કે, ડો.આંબેડકરે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. સવાલ એ છે કે, પોતે હિંદુ નથી એ જાણતા હોવા છતાં ગુજરાતના દલિતોને હજુ પણ હિંદુ બનવાનો મોહ કેમ છુટતો નથી? સવર્ણો તેમને તેમના મંદિરોમાં પ્રવેશવા દેતા નથી છતાં દલિતોનો ચોક્કસ વર્ગ પરાણે હિંદુ બનવા જાય છે અને પછી હડધૂત થઈને પાછો ફરે છે. આ લોકોએ સમજી જવાની જરૂર છે કે, મંદિરોમાં જવાથી તેમનું કશું ભલું થવાનું નથી. સારું એ જ રહેશે કે મંદિરમાં જવાનો બહિષ્કાર કરીને શિક્ષણ તરફ વળીએ. જેથી સમાજ અને દેશનું ભલું થઈ શકે. પાલડીના દલિત સરપંચે જો પહેલા જ આ વાત સમજી લીધી હોત તો સારું હતું.

આ પણ વાંચોઃ દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો

 

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ?

(1) રબારી નાથાભાઈ ચેલાભાઈ
(2) રબારી રેવાભાઈ વેલાભાઈ
(3) રબારી રેવાભાઈ ભીખાભાઈ
(4) રબારી પીરાભાઈ ધુડાભાઈ
(5) રબારી જામાભાઈ ચેલાભાઈ
(6) રબારી લક્ષ્મણભાઈ ગોવાભાઈ
(7) રબારી ડાયાભાઈ વીહાભાઈ
(8) રબારી ધુડાભાઈ મશરૂભાઈ
(9) રબારી બાબુભાઈ મલાભાઈ કાનાભાઈ
(10) રબારી(ચેલાણા) સાગરભાઈ નારણભાઈ
(11) રબારી(ચેલાણા) મોહનભાઈ મલાભાઈ
(12) રબારી બાબુભાઈ મલાભાઈ સવદાશભાઈ
(13) રબારી ઈશ્વરભાઈ જગાભાઈ પાંચાભાઈ
(14) રબારી(ચેલાણા) મોતીભાઈ દાંના ભાઈ
(15) રબારી બાબુભાઈ ધુડાભાઈ
(16) રબારી ભાવેશભાઈ ઈશ્વરભાઈ
(17) રબારી ઈશ્વરભાઈ ચેહરાભાઈ
(18) રબારી કલ્યાણભાઈ વશાભાઈ
(19) રબારી ડાયાભાઈ ચેલાભાઈ
(20) રબારી રેવાભાઈ પીરાભાઈ

આ પણ વાંચોઃ સવર્ણોની ધમકી બાદ પોલીસ સુરક્ષા વચ્ચે દલિતનો વરઘોડો નીકળ્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
17 days ago

*પત્થરની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા એ અંધવિશ્વાસ અને અંધશ્રધ્ધાનો વિષય છે! જે બ્રાહ્મણોની દેન છે.
બુદ્ધિહીન ગુલામ સમાજો ક્યારે જાગશે???

શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x