દલિત યુવકને રસ્તા વચ્ચે ‘મુર્ગા’ બનાવી ત્રણ યુવકોએ માર માર્યો

Dalit News: દલિત યુવકને ત્રણ જાતિવાદી તત્વોએ રસ્તા વચ્ચે ઉભો રાખી, મુર્ગા બનાવી માર માર્યો. વીડિયો વાયરલ થતા SC-ST ACT હેઠળ ફરિયાદ નોંધાઈ.
Dalit youth beaten up

Dalit News: મોદી-યોગીના રાજમાં જાતિવાદી તત્વો દિન-પ્રતિદિન બેફામ બનતા જઈ રહ્યા છે. દરરોજ દલિતો-આદિવાસીઓ પર જાતિવાદી તત્વોના હુમલા, હત્યા અને માર મારવાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે. એકબાજુ મનુવાદી તત્વો દેશના સર્વોચ્ચ પદે રહેલા સીજેઆઈ પર જૂતું ફેંકી રહ્યાં છે. અનિલ મિશ્રા નામનો એક મનુવાદી સતત બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કરતો ફરે છે અને તેમ છતાં પોલીસ કે કોર્ટ તેની ધરપકડ નથી કરતી. આ તમામ બાબતો દેશમાં બંધારણ અને બહુજન સમાજ પર વધી રહેલા ખતરાની નિશાની છે.

દેશનું બંધારણ સૌને સમાન ગણે છે પરંતુ જાતિવાદી તત્વો પોતાને બંધારણથી પણ ઉપર ગણીને દલિતો પર અત્યાચારો કરતા રહે છે.

આવી જ એક ચોંકાવનારી ઘટના ઉત્તરપ્રદેશના ઈટાવામાંથી સામે આવી છે. જ્યાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ રસ્તા વચ્ચે ઉભો રાખી, મુર્ગા બનાવીને અપશબ્દો કહ્યા બાદ માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એ પછી પોલીસે ત્રણ લોકો સામે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:  સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘સંકલ્પ દિવસ’ની દબદબાભેર ઉજવણી કરાઈ

પીડિતના જણાવ્યા મુજબ, સામાન્ય બોલાચાલી પછી જાતિવાદી તત્વોએ તેને જાતિસૂચક અપશબ્દો કહીને માર મારવાનું શરુ કરી દીધું હતું. ત્યારબાદ આરોપીઓએ તેને રસ્તા વચ્ચે ઉભો રાખીને મુર્ગા બનાવીને અપમાનિત કર્યો હતો. આરોપીઓએ તેમના મોબાઇલ ફોન પર આ હુમલાનો વીડિયો રેકોર્ડ કરીને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ત્રણ આરોપીઓ સામે SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

આ ઘટના ઈટાવાના ભરથાણાના રાણી નગર વિસ્તારમાં બની હોવાનું જાણવા મળે છે. પીડિત યુવક સુમિત દિવાકરે રાણી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે કામ પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જૂના ભરથાણા શેરીના રહેવાસી નંદન ગુપ્તા, લડ્ડુ ગુપ્તા અને સત્યેન્દ્ર કુમારે તેને રોક્યો હતો.

પીડિત યુવકે આપવીતી જણાવી

સુમિતના જણાવ્યા મુજબ, સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ તેને જાતિવાદી અપશબ્દો કહીને મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ તેને મુર્ગા બનાવીને અપમાનિત કર્યો અને પોતાના મોબાઇલ ફોનમાં હુમલાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં યુવાનની લાચારી અને મારામારી સ્પષ્ટપણે દેખાય છે.

આ પણ વાંચો: બકરી ચરાવવા ગયેલી દલિત મહિલાને બ્રાહ્મણ શખ્સે ઢીંકાપાટુનો માર માર્યો

ઘટના 8 ઓક્ટોબરે બની અને ફરિયાદ 25 ઓક્ટોબરે થઈ

આ ઘટના 8 ઓક્ટોબરની હોવાનું કહેવાય છે. શરૂઆતમાં આ મામલો છુપાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે 25 ઓક્ટોબરના રોજ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે પોલીસે તાત્કાલિક નોંધ લીધી હતી. પીડિતની ફરિયાદ અને વાયરલ વીડિયોના આધારે, ભરથાણા પોલીસે ત્રણ આરોપીઓ સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

એટ્રોસિટીનો કેસ છતાં એકપણ આરોપીની ધરપકડ નહીં

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરવા માટે તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહ્યા છે અને કડક કાર્યવાહી સુનિશ્ચિત કરશે. આ ઘટનાથી આ વિસ્તારમાં રોષ ફેલાયો છે. લોકો કહે છે કે આવી ઘટનાઓ સમાજને શરમજનક સ્થિતિમાં મૂકે છે અને પોલીસે શક્ય તેટલી વહેલી તકે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

એસપી ગ્રામ્યએ આ બાબતે શું કહ્યું?

આ સંદર્ભે એસપી ગ્રામ્ય શ્રીશ ચંદ્રાએ જણાવ્યું હતું કે પીડિત યુવકની ફરિયાદના આધારે ત્રણ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અન્ય ઘટનાઓ પાયાવિહોણી છે, પરંતુ જે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે તે અંગે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ સામે જાતિ ભેદભાવ કે હિંસા સહન કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં પોલીસ કડક કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: ભાઈને પકડવા આવેલી પોલીસને જોઈ દલિત કિશોર નદીમાં કૂદી જતા મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x