રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર લગાવવામાં ડો.આંબેડકરનો શું ફાળો હતો?

ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચે ચરખાને બદલે અશોક ચક્ર લગાવવામાં ડો.આંબેડકરનો ખૂબ જ મહત્વનો રોલ હતો.
Ashoka Chakra

26મી જાન્યુઆરીનો દિવસ નજીક આવી રહ્યો છે અને ફરી એકવાર દેશના વિવિધ પ્રતિકોની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પણ શું તમને ખ્યાલ છે કે, ભારતના રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ડિઝાઇન કર્યો હતો? જવાબ છે સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વેંકૈયા, જેમણે 1921 માં ત્રિરંગા ધ્વજ ડિઝાઇન કર્યો હતો, તેના સફેદ પટ્ટામાં એક ચરખો અંકિત કર્યો હતો. આ ધ્વજનો ઉપયોગ ગાંધીજી સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓ તે સમયે બ્રિટિશ શાસન સામે ભારતના ધ્વજ તરીકે કરતા હતા.

આઝાદી પછી પણ આ સિલસિલો ચાલતો રહ્યો. પરંતુ આજે, આપણા રાષ્ટ્રધ્વજમાં ચરખાની જગ્યાએ અશોક ચક્ર જોવા મળે છે, જે નેવી બ્લુ રંગનું છે અને તેમાં 24 આંકા છે. અહીં સવાલ એ થાય કે, રાષ્ટ્રધ્વજમાં ચરખાને બદલે અશોકચક્ર કેમ પસંદ કરવામાં આવ્યું અને અશોક ચક્રને ત્રિરંગાનો અભિન્ન ભાગ કોણે બનાવ્યો? જવાબ છે ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકર. જી હા, એ બાબાસાહેનો જ ફાળો છે કે, આજે રાષ્ટ્રધ્વજમાં ચરખાને બદલે ત્રિરંગામાં અશોક ચક્ર જોવા મળે છે. ચાલો જાણીએ કેવી રીતે ડો.આંબેડકરે રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રને સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: ‘RSS કાર્યકરો નાનપણથી મારો રેપ કરતા હતા, તેમનો વિશ્વાસ ન કરો!’

અશોક ચક્રની કહાની

અશોક ચક્ર હકીકતે ઉત્તર પ્રદેશના સારનાથમાં સ્થિત સિંહ ચતુર્ભૂજ સ્તંભ પર કોતરવામાં આવેલા શિલાલેખમાં મોજૂદ છે. મહાન સમ્રાટ અશોકથી પ્રેરિત આ ચક્ર અશોક સ્તંભનો એક ભાગ છે, તેથી તેનું નામ અશોક ચક્ર છે. આ ચક્રમાં 24 આરા છે, જે દિવસના 24 કલાક અને માનવીના 24 ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. અશોક ચક્રને “ધર્મ ચક્ર” અથવા “કાયદાના ચક્ર” તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગતિ, ન્યાય અને સતત પ્રગતિનું પ્રતીક છે.

ભારતીય રાષ્ટ્રધ્વજમાં તેનો સમાવેશ કેમ કરાયો?

ચરખાના સ્થાને ત્રિરંગાની સફેદ પટ્ટીમાં અશોક ચક્રનો સમાવેશ કરવાનું સૂચન ડૉ.આંબેડકર દ્વારા કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ માનતા હતા કે અશોક ચક્ર, સતત ગતિનું પ્રતીક ઉપરાંત, બૌદ્ધો માટે ધમ્મ ચક્ર પણ છે, જે બૌદ્ધ સંસ્કૃતિનો મૂળભૂત ભાગ છે. આ ચક્ર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોનું પણ પ્રતીક છે. જે વાસ્તવમાં બ્રાહ્મણવાદી સંસ્કૃતિ કરતાં ઘણી રીતે વધુ સારું અને શ્રેષ્ઠ છે. જ્યારે ચરખાને એક જ જગ્યાએ રાખવામાં આવે છે, જે ભારતની ગતિશીલતા પર નકારાત્મક અસર કરી શકે છે.

આ પણ વાંચો: આ ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ છે કે ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’?

અશોક ચક્રને રાષ્ટ્રધ્વજનો ભાગ બનાવવાની મંજૂરી

જ્યારે બંધારણ સભાના ઘણા સભ્યોએ બાબાસાહેબના આ વિચારો સાંભળ્યા, ત્યારે તેઓએ તેમને સાચા માન્યા. ભારત એક વિકાસશીલ દેશ છે અને તેનું પ્રતીક સતત પ્રગતિ અને ગતિશીલતાને પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ, જે લોકોને આગળ વધવા માટે પ્રેરણા આપતું હોય. ઘણી ચર્ચા પછી, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પણ આ સૂચન ગમ્યું અને અશોક ચક્રને ત્રિરંગા ધ્વજમાં સમાવવા માટે મંજૂરી આપી. ત્યારબાદ, 22 જુલાઈ, 1947 ના રોજ, બંધારણ સભાએ અશોક ચક્રને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો, તેને ત્રિરંગામાં સમાવિષ્ટ કર્યો.

ત્રિરંગો રાષ્ટ્રધ્વજ – ભારતના ધર્મનિરપેક્ષતાનું પ્રતીક

જ્યારે આપણે ત્રિરંગાને જોઈએ છીએ, ત્યારે આપણને ખબર પડશે કે ત્રિરંગો ભારતની ધર્મનિરપેક્ષતા તેમજ તેના સતત વિકાસનું પ્રતીક છે. કેસરી રંગ શક્તિ અને હિંમતનું પ્રતીક છે, જ્યારે સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતિનિધિત્વ કરે છે. લીલી પટ્ટી હરિયાળી, વિકાસ અને વૃદ્ધિનું પ્રતીક છે, જે કૃષિ આધારિત ભારતનું પ્રતીક છે. અશોક ચક્ર ફક્ત બૌદ્ધ ધર્મ માટે જ મહત્વપૂર્ણ નથી પણ દરેક ભારતીયને યાદ અપાવે છે કે જીવન ચક્રની જેમ સતત ફરતું રહે છે. જો તમે રોકાઈ જશો, તો સમજો તમે મૃત્યુ પામ્યા છો.

આ પણ વાંચો:  ‘આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી’

ડો.આંબેડકરના વિચારથી સૌ કોઈ પ્રભાવિત થયા

બાબા સાહેબે ઘણા સમય પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો, પરંતુ અશોક ચક્ર પ્રત્યેના તેમના સ્વપ્નદ્રષ્ટા અભિગમે બધાને પ્રભાવિત કર્યા. અશોક ચક્ર હંમેશા આગળ વધવા અને પ્રગતિના માર્ગ પર ચાલવાનો સંદેશ આપે છે.  બાબાસાહેબે 1956 માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તેમણે ધર્માંતરણ પહેલાં જ બૌદ્ધ ધર્મના ઘણા પાસાઓને તેમના જીવનમાં સમાવી લીધા હતા, જેમાં વ્યક્તિના નૈતિક વિકાસ માટે જરૂરી 24 ગુણોનો સમાવેશ થાય છે.બાબા સાહેબનું યોગદાન ફક્ત બંધારણના મુસદ્દામાં જ નહીં પરંતુ દેશને લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્રીય ધ્વજ આપવામાં પણ મહત્વપૂર્ણ હતું.

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Mansukhmohan751
Mansukhmohan751
15 days ago

જય ભીમ નમો બુદ્ધાય

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x