‘10 વૃક્ષો વાવીને ફોટા મોકલો’ કહીને હાઈકોર્ટે હત્યારાની આજીવન કેદ માફ કરી

હાઈકોર્ટેના જજોએ મર્ડર જેવા જઘન્ય ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલા આરોપીની  બાકીની સજા માત્ર 10 વૃક્ષો વાવવાનું કહી માફ કરી દીધી!
mp High Court

મધ્યપ્રદેશની હાઈકોર્ટે મર્ડર જેવા જઘન્ય ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક આરોપીને માત્ર 10 વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવાનું કહીને બાકીની સજા માફ કરી દીધી. મર્ડરના કેસમાં જેલની સજા ભોગવી રહેલા મહેશ શર્માએ આજીવન કેદની સજાને રદ કરવા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જસ્ટિસ આનંદ પાઠક અને પુષ્પેન્દ્ર યાદવની ડિવિઝન બેંચે આરોપી મહેશ શર્માની આજીવન કેદની સજા પર રોક લગાવવાનો નિર્ણય લીધો હતો અને તેમને રૂ. 50,000 ના વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.

હાઈકોર્ટે દોષિત મહેશ શર્માની આજીવન કેદની સજા રદ કરી અને તેને 10 ફળ આપતા અથવા લીમડા/પીપળના વૃક્ષો વાવવા અને તેની સંભાળ રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ નિર્ણય એ હકીકતના આધારે લીધો કે મહેશ શર્મા પહેલાથી જ 10 વર્ષથી વધુ જેલમાં વિતાવી ચૂક્યો છે, અને તેના બે સહ-આરોપીઓ, જેમણે લગભગ સમાન સમય જેલમાં પસાર કર્યો હતો, તેમને જામીન આપવામાં આવ્યા હતા.

વર્ષ 2021 માં, મહેશ શર્માને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા) અને 149 (ગેરકાયદેસર રીતે ભેગા થવું) હેઠળ ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. મહેશ શર્માએ મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચમાં હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલી સજા અને આજીવન કેદને પડકારતી અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી

મીડિયા રિપોર્ટ મુજબ, મહેશ શર્માના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટ પહેલાથી જ 10 વર્ષ અને 8 મહિના જેલમાં રહી ચૂક્યા છે અને તેમની સજાને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવી જોઈએ. વકીલે એવી પણ દલીલ કરી હતી કે, “મહેશ સારા કાર્યો દ્વારા સમાજની સેવા કરવા માંગે છે અને તેથી તેમને જામીન આપવા જોઈએ.”

જસ્ટિસ આનંદ પાઠક અને પુષ્પેન્દ્ર યાદવની ડિવિઝન બેન્ચે મહેશ શર્માની આજીવન કેદની સજા પર રોક લગાવવાનો નિર્ણય લીધો હતો અને તેને રૂ. 50,000 ના વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે તેને બે જામીન લાવવાનું પણ કહ્યું અને 10 વૃક્ષો વાવવાનો આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે, આ અપીલના ઉકેલ સુધી જેલની સજા પર રોક રહેશે, પરંતુ તેણે દંડની રકમ જમા કરવી પડશે.

કોર્ટે જણાવ્યું હતું કે મહેશ શર્મા આ વૃક્ષોની સંભાળ રાખવા માટે પણ જવાબદાર રહેશે અને તેણે વૃક્ષોના ઉછેરના ફોટોગ્રાફ્સ તેની જેલમુક્તિના 30 દિવસની અંદર ટ્રાયલ કોર્ટમાં સબમિટ કરવા પડશે. ત્યારબાદ તે દર ત્રણ મહિને ટ્રાયલ કોર્ટમાં આ વૃક્ષોના ફોટોગ્રાફ્સ સબમિટ કરશે.

કોર્ટે જણાવ્યું હતું કે, “એ સ્પષ્ટ કરવામાં આવે છે કે સજા રદ કરીને આ જામીન ત્યારે મંજૂર કરવામાં આવે છે જ્યારે જામીન આપવાનો કેસ બને છે અને ત્યારબાદ વૃક્ષો વાવવાનો નિર્દેશ આપવામાં આવે છે. આ એવો કેસ નથી જ્યાં કોઈ વ્યક્તિ સામાજિક હેતુથી સેવા કરવાનો ઈરાદો રાખે છે, તેને ગુણ દોષ પર વિચાર કર્યા વિના જામીન આપી શકાય.”

કોર્ટેની બેન્ચે મહેશને સેટેલાઇટ/જીઓ-ટેગિંગ/જીઓ-ફેન્સિંગ વગેરે દ્વારા વૃક્ષો પર દેખરેખ રાખવા માટે હાઇકોર્ટના નિર્દેશો પર NISARG એપ ડાઉનલોડ કરીને આ ફોટા સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે મહેશ શર્માને જામીન આપવાનો હેતુ માત્ર સામાજિક સેવા નથી, પરંતુ સમાજમાં અહિંસા, કરુણા અને પ્રેમ જેવા સદ્ગુણોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. કોર્ટે કહ્યું, “આ ફક્ત વૃક્ષ વાવવાનો નહીં, પણ એક વિચારબીજ વાવવાનો છે.”

હાઇકોર્ટે ચેતવણી પણ આપી હતી કે જો આરોપી મહેશ શર્મા ફરિયાદીને કોઈપણ રીતે હેરાન કરશે અથવા કોઈ સમસ્યા ઊભી કરશે તો તેના જામીન રદ કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘ભગવાન નિષ્પક્ષ છે, જાતિ..’, કહી હાઈકોર્ટે દલિતોની તરફેણમાં ચૂકાદો આપ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x