મનુવાદી તત્વોને બહુજન મહાનાયકોના વિચારોનો આજેય કેટલો બધો ડર લાગે છે તેનો આ પુરાવો છે. દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં પોતાની જાતિના કારણે વાઈસ ચાન્સેલર અને વિવિધ વિભાગના HOD તરીકે બેસી ગયેલા મનુવાદીઓ ડો.આંબેડકર, પેરિયાર રામાસ્વામી અને ફૂલે દંપતિના ક્રાંતિકારી વિચારો યુવાનો ભણે નહીં તે માટે વિશેષ કાળજી રાખે છે. આવું કંઈક હાલમાં રાજસ્થાન યુનિ.માં થયું છે. અહીં યુનિવર્સિટીએ બી.એ.ના પ્રથમ અને બીજા વર્ષના અભ્યાસક્રમમાંથી ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલેનું એક પ્રકરણ હટાવી દીધું હતું. જેને લઈને ભારે વિરોધ થતા આખરે યુનિ.એ એ પ્રકરણને ફરી પોતાના અભ્યાસક્રમમાં દાખલ કરવું પડ્યું છે.
જ્યોતિબા ફૂલે સાથે સાવરકરને ભણાવવામાં આવશે
રાજસ્થાન યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન અભ્યાસક્રમમાંથી સમાજ સુધારક જ્યોતિબા ફૂલે પરનું એક પ્રકરણ દૂર કરવામાં આવતા વિવાદ ફાટી નીકળ્યો હતો. એ પછી, યુનિવર્સિટીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં જ્યોતિબા રાવ ફૂલેને ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. જોકે, સુધારેલા અભ્યાસક્રમમાં હવે જ્યોતિબા ફૂલેની સાથે ભાજપ અને RSS ના માનીતા વિનાયક દામોદર સાવરકરનો પણ સમાવેશ કરવામાં આવશે. અંગ્રેજોની માફી માંગવા બદલ સાવરકરનું નામ વિવાદાસ્પદ રહ્યું છે.
We severely condemn the Rajasthan University administration for deleting Jyotirao Phule from the BA Political Science Syllabus. We demand the administration to include Jyotirao Phule Phule and Savitribai Phule in the syllabus. @Rajasthanuni #JyotiraoPhule #SavitribaiPhule pic.twitter.com/Z4YDDjlwVZ
— AIOBCSA (@AIOBCSA_Team) September 14, 2025
સાવરકરના સમાવેશ અંગે વિવાદ?
રાજકીય હોબાળા બાદ, યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં ફેરફારની સમીક્ષા કરવા માટે અભ્યાસક્રમ બોર્ડની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યોતિબા રાવ ફૂલેને બીએ પ્રથમ અને બીજા વર્ષના રાજકીય વિજ્ઞાન અભ્યાસક્રમમાં ફરીથી દાખલ કરવામાં આવશે. એમ.એન. રોયનો અભ્યાસક્રમ દૂર કરવામાં આવશે. તેના બદલે, જ્યોતિબા રાવ ફૂલે, અહિલ્યાબાઈ હોલકર અને વિનાયક દામોદર સાવરકરને ભણાવવામાં આવશે. જોકે, અભ્યાસક્રમમાં સાવરકરનો સમાવેશ વિવાદાસ્પદ બની શકે છે.
આ પણ વાંચો: ગુજરાતની 9 ખાનગી યુનિ. સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માંગ
માનગઢ ધામ, કાળીબાઈને પણ અભ્યાસક્રમમાંથી હટાવ્યા?
રાજસ્થાન યુનિવર્સિટીએ રાજકીય વિજ્ઞાન અભ્યાસક્રમમાંથી જ્યોતિબા રાવ ફૂલેને દૂર કરવાના નિર્ણયને પાછો ખેંચી લીધા પછી, શાળા શિક્ષણ વિભાગે હવે તેની સ્પષ્ટતા જારી કરી છે. શિક્ષણ મંત્રી મદન દિલાવરે આદિવાસી શહીદ સ્થળ માનગઢ ધામ અને આદિવાસી ક્રાંતિકારી કાલીબાઈને અભ્યાસક્રમમાંથી દૂર કરવા અંગે સ્પષ્ટતા કરી છે, અને કહ્યું છે કે તેમને અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા નથી પરંતુ નવી શિક્ષણ નીતિ હેઠળ સુધારેલા અભ્યાસક્રમમાં અન્યત્ર સામેલ કરવામાં આવ્યા છે.
जब से भाजपा सरकार में आई है तब से आदिवासियों के योगदान को हर जगह कमतर दिखाने का प्रयास करती रही है। आदिवासी अस्मिता को लेकर भाजपा की तुच्छ मानसिकता का यह परिचायक है कि चौथी कक्षा की किताब से मानगढ़ धाम के इतिहास को हटाने का काम किया है।
इससे पहले, शिक्षा की अलख जगाने वाली वीर… pic.twitter.com/W8LlsCIRnc
— Ashok Gehlot (@ashokgehlot51) September 18, 2025
શિક્ષણમંત્રીએ શું સ્પષ્ટતા કરી?
શિક્ષણમંત્રી મદન દિલાવરનો દાવો છે કે માનગઢ ધામ અને કાલીબાઈ હજુ પણ શાળાના અભ્યાસક્રમનો ભાગ છે. તેમણે અભ્યાસક્રમમાં તેમના સ્થાનની વિગતો આપતી એક પ્રેસ નોટ જારી કરી. જોકે, પ્રેસ નોટમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે તેમને સમાવવામાં આવ્યા છે. તે સ્પષ્ટ નથી કે આ સમાવેશ અગાઉના નિર્ણયને ઉલટાવી દેવામાં આવ્યો હતો કે પછી તેમને અભ્યાસક્રમમાં પહેલાથી જ સ્થાન આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ અગાઉ જણાવ્યું હતું કે ભાજપ હવે શિક્ષણ દ્વારા દેશ પર પોતાની વિચારધારા લાદવા માંગે છે. દેશ અને સમાજ માટે કામ કરનારા મહાપુરુષો સાથે તેને કોઈ સંબંધ નથી. તે ફક્ત અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારનારાઓનો મહિમા કરવા માંગે છે. રાજકીય વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી જ્યોતિબા રાવ ફૂલેને દૂર કરવાથી ઘણો વિવાદ થયો હતો.
અશોક ગેહલોતે ભાજપ પર નિશાન સાધ્યું
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા જ્યોતિબા ફૂલેનું પ્રકરણ દૂર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું કે, “રાજસ્થાન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન અભ્યાસક્રમમાંથી સામાજિક દુષણોને દૂર કરવા અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાત્મા જ્યોતિબા ફૂલે પરના પ્રકરણને દૂર કરવું ખૂબ જ નિંદનીય છે. મહાત્મા ફુલેના વિચારોમાંથી પ્રેરણા મેળવનારાઓ માટે આ એક મોટો ફટકો છે.” ગેહલોતે આરોપ લગાવ્યો કે, ભાજપ અને RSS તેમની વિચારધારા લાદવા માટે શિક્ષણ સાથે ચેડાં કરે છે. તેમણે કહ્યું કે વંચિત અને શોષિતોના કલ્યાણ માટે કામ કરનારા મહાત્મા ફુલે પરના પ્રકરણને દૂર કરવાથી તેમનો એજન્ડા સિદ્ધ થશે તેમ વિચારવું ભાજપ-સંઘની ભૂલ હતી.
सामाजिक कुरीतियों को खत्म करने तथा बालिका शिक्षा को बढ़ावा देने के लिए आजीवन कार्य करने वाले महात्मा ज्योतिबा फुले जी के चैप्टर को राजस्थान यूनिवर्सिटी के पॉलिटिकल साइंस पाठ्यक्रम से हटाया जाना बेहद निंदनीय है एवं महात्मा फुले जी के विचारों से प्रेरणा लेने वालों के लिए बड़ा आघात…
— Ashok Gehlot (@ashokgehlot51) September 17, 2025
આ પણ વાંચો: દિલ્હી યુનિ.એ MA સંસ્કૃતના અભ્યાસક્રમમાંથી મનુસ્મૃતિને હટાવી દીધી
પીએચડીના વિદ્યાર્થીઓએ કુલપતિને પત્ર લખ્યો
અહેવાલ મુજબ, રાજસ્થાન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન વિભાગે 2025-26 સત્ર માટે અભ્યાસક્રમમાં સુધારો કર્યો છે, જેમાં “ઈન્ડિયન પોલિટિકલ થૉટ” વિભાગમાંથી જ્યોતિબા ફૂલે પરનું પ્રકરણ દૂર કરી દીધું હતું. અગાઉ, 2023-24 અને 2024-25 સત્રોમાં ફુલે પરનું પ્રકરણ ભણાવવામાં આવતું હતું, જેમાં તેમના સામાજિક સુધારા, સત્યશોધક સમાજની સ્થાપના અને જાતિવાદ, અસ્પૃશ્યતા, સામાજિક અસમાનતા સામેના તેમના સંઘર્ષને આવરી લેવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કરીને કુલપતિને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જ્યોતિબા ફૂલે પરનું પ્રકરણ ફરીથી સામેલ કરવાની માંગ કરાઈ હતી. વિદ્યાર્થીઓની દલીલ હતી કે, જ્યોતિરાવ ફુલેના વિચારો અને યોગદાનને અભ્યાસક્રમમાંથી દૂર કરવું તે શિક્ષણ ક્ષેત્રે એક ખોટું પગલું નથી, પરંતુ સામાજિક સમાનતા અને સુધારા તરફના તેમના પ્રયાસોને નબળા પાડવાનો પ્રયાસ પણ છે.
સામાજિક સંગઠનો અને વિદ્યાર્થીઓમાં ગુસ્સો
આ નિર્ણયથી સામાજિક સંગઠનો અને વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સો ફેલાયો છે. ઘણી સંસ્થાઓએ તેને વંચિતોના પ્રતીકોને નબળા પાડવાનું કાવતરું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે ફુલેના વિચારો આજે પણ સુસંગત છે અને તેમના ઉપદેશો સમાજમાં સમાનતા સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટી વહીવટ સામે વિરોધ પ્રદર્શનની ધમકી આપી છે અને રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેરાત-ઈન્ટરવ્યૂ વિના સગાઓને આસિ. પ્રોફેસર બનાવ્યા











Users Today : 1736
ભારત ને ચાહવા વાળા, ભારત નેં યોગ્ય દિશા આપનારા, ભારત માટે પોતાની ખુશીઓનું બલિદાન આપનારા, ભારત નેં અંધવિશ્વાસ અને અંધશ્રધ્ધા નાં પંથઉપરથી પાછાં લાવનારા મહાત્મા ઓછી લોકો શું કામ એટલાં ડરે છે કે તેના વિશે જાણકારી આપવામાં આવતું શિક્ષણ બંધ કરવું પડે છે…