સુરેન્દ્નગરના કપલે માઉન્ટ આબુના જંગલમાં જઈ ઝેર પીતા મોત

બે દિવસ પહેલા બંને સ્કૂટર ભાડે લઈને જંગલમાં ફરવા નીકળી પડ્યા હતા. શૂટિંગ પોઈન્ટ પાસે ઝેર પીધાં બાદ હોટલ પર ફોન કરી મદદ માગી પણ જીવ જતો રહ્યો.
Mount Abu police station

રાજસ્થાનમાં આવેલા ગુજારાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ફરવા ગયેલા એક ગુજરાતી કપલે પહેલાં આપઘાતનો પ્રયાસ કર્યો અને બાદમાં પોતાને મોતના મુખમાંથી બહાર કાઢવા મદદ માટે ફોન કર્યો.
મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી યુવક અને યુવતી બે દિવસ પહેલાં રાજસ્થાનના માઉન્ટ આબુની મુલાકાતે ગયા હતા અને ત્યાંની એક ખાનગી હોટેલમાં રોકાયા હતાં.

બાદમાં હોટેલ સ્ટાફ પાસે પૂછપરછ કરી ફરવા માટે તેઓએ નજીકમાંથી એક સ્કૂટર ભાડે લીધું અને આબુના જંગલો જોવા નીકળી પડ્યાં. બુધવારે 26 ફેબ્રુઆરીએ બપોરે હોટેલમાંથી નીકળી ગુરૂ શિખરથી શૂટિંગ પોઇન્ટ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે એકાએક હોટેલના એક કર્મચારીને ફોન આવ્યો, સામેથી આ કપલનો અવાજ આવી રહ્યો હતો અને તે પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરી રહ્યા હતાં. કર્મચારીએ તુરંત પોલીસને ફોન કરી જણાવ્યું કે, એક કપલે શૂટિંગ પોઇન્ટ પાસે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

બાદમાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બંનેને હોસ્પિટલ ખાતે ખસેડ્યાં. પરંતુ, બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આ પણ વાંચો: “હવે મારાથી સહન નથી થતું”, ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, ‘હોટેલના કર્મચારીનો ફોન આવ્યા બાદ અમે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે જવા નીકળી ગયા હતાં. જંગલમાં લગભગ બે કિલોમીટર અંદર ગયા બાદ આ કપલ અમને બેભાન અવસ્થામાં મળ્યું. બાદમાં અમે સ્થાનિક લોકોની મદદથી બંનેને ગ્લોબલ હોસ્પિટલ લઈ ગયાં. જોકે, ત્યાં સારવાર દરમિયાન પહેલાં યુવતીનું અને તેના લગભગ એક કલાક બાદ યુવકનું મોત નિપજ્યું હતું.

બાદમાં અમે બંનેના પરિવારજનોને આ મામલે જાણ કરી અને તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે મોકલ્યા છે. જોકે, હજુ સુધી કપલે આપઘાત કેમ કર્યો તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી. અમે આ મામલે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.’

આ પણ વાંચો: ન્યાય માટે દલિત પરિવાર 150 કિ.મી. ચાલીને CMને મળવા પહોંચ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x