અમદાવાદમાં Air India નું વિમાન ક્રેશ થતા 300થી વધુ લોકોના મોત થયા છે ત્યારે ફરી એકવાર આ એરલાઈન્સ કંપનીની ખરાબ સર્વિસને લઈને પ્રશ્નો થયા છે. ચોંકાવનારી વાત એ છે કે, નજીકના ભૂતકાળમાં એર ઇન્ડિયાની ખરાબ સર્વિસને લઈને ખુદ સત્તાધારી ભાજપના જ મોટા નેતાઓએ તેની સામે ફરિયાદો કરી હતી. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Air India પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા.
25 ફેબ્રુઆરીએ ભાજપના પ્રવક્તા જયવીર શેરગિલે એર ઇન્ડિયા પર પ્રહારો કર્યા હતા અને કહ્યું છે કે એર ઇન્ડિયા એટલી ખરાબ એરલાઇન્સ છે કે તેને તેની ખરાબી માટે ઓસ્કાર આપી શકાય છે. જયવીર શેરગિલે કહ્યું હતું કે, એર ઇન્ડિયાની માત્ર સીટો જ તૂટેલી નથી, પરંતુ સ્ટાફ પણ સૌથી ખરાબ છે. ઓન ગ્રાઉન્ડ સપોર્ટ પણ કશો નથી. જયવીર શેરગિલનો ગુસ્સો એટલો ભડકી ગયો હતો કે તેમણે એમ પણ કહ્યું કે એર ઇન્ડિયા ખરાબ હોવાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.
આ પણ વાંચો: ‘તારે ફોન રેકોર્ડ કરવો હોય તો કરી લે, હું તને પતાવી દઈશ?’
જોકે, શેરગિલના નિવેદન પર એર ઇન્ડિયાનો જવાબ આવ્યો હતો અને માફી માંગવામાં આવી હતી. એર ઇન્ડિયાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘શ્રી શેરગિલ, તમને થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ. કૃપા કરીને અમને તમારી મુસાફરીની વિગતો મોકલો. અમે તમારો સંપર્ક કરીશું. જો કે એ પછી શું થયું તેની કોઈ વિગતો સામે આવી નહોતી.
જયવીર શેરગીલની ફરિયાદના ત્રણ દિવસો પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ એર ઇન્ડિયાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમને તૂટેલી સીટ ફાળવવામાં આવી હતી. શિવરાજ ચંદીગઢની સત્તાવાર મુલાકાત પર હતા ત્યારે તેમને એર ઇન્ડિયાની ખુરશી તૂટેલી જોવા મળી.
If there was an Oscar equivalent for WORST AIRLINES @airindia would win hands down in every category :
> Broken Seats
> Worst Staff
>Pathetic “on Ground” Support Staff
> Give two hoots attitude about customer service !Flying Air India is not a pleasant experience but today…
— Jaiveer Shergill (@JaiveerShergill) February 25, 2025
શિવરાજસિંહે સોશિયલ મીડિયા પર પોતાની કોમેન્ટમાં એમ પણ લખ્યું હતું કે, તેમને એમ હતું કે ટાટા ગ્રુપની આગેવાની હેઠળ આવ્યા પછી એર ઇન્ડિયાની સેવાઓમાં સુધારો થશે, પરંતુ તેમનો ભ્રમ તૂટી ગયો. શિવરાજ સિંહ ચૌહાણની ફરિયાદ બાદ ઘણો હોબાળો થયો હતો. એરલાઇન્સની સુધારણા માટે જવાબદાર સંસ્થા ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ પણ એર ઇન્ડિયા સાથે બેઠક બોલાવી હતી. પણ એ પછી શું થયું, કોઈ પગલાં લેવાયા કે નહીં તે મુદ્દે કોઈ જાણકારી મળી નહોતી.
आज मुझे भोपाल से दिल्ली आना था, पूसा में किसान मेले का उद्घाटन, कुरुक्षेत्र में प्राकृतिक खेती मिशन की बैठक और चंडीगढ़ में किसान संगठन के माननीय प्रतिनिधियों से चर्चा करनी है।
मैंने एयर इंडिया की फ्लाइट क्रमांक AI436 में टिकिट करवाया था, मुझे सीट क्रमांक 8C आवंटित हुई। मैं जाकर…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 22, 2025
હવે એર ઇન્ડિયાના કપાળ પર આ નવો ડાઘ લાગ્યો અને અમદાવાદમાં 300 લોકોનો ભોગ લીધો છે. વર્ષ 2022માં, એર ઇન્ડિયાને ટાટા દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. ત્યારબાદ ગયા વર્ષે ટાટાની ખાસ એરલાઇન્સ વિસ્તારા અને એર ઇન્ડિયાનું પણ મર્જર કરવામાં આવ્યું હતું. ટાટાનું કહેવું હતું કે તેની મદદથી વધુ સારી સેવા સાથે વિશ્વ કક્ષાની એરલાઇન બનાવવાનો ઉદ્દેશ હતો. જે મજબૂત ફૂલટાઈમ સર્વિસ આપી શકે. પરંતુ અમદાવાદની દુર્ઘટના બાદ ટાટાના આ હેતુ પર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: Ahmedabad plane crash: જાણો અત્યાર સુધીમાં શું બન્યું