Zakia Jafri dies: ગઈકાલે તેઓ તેમની પુત્રી સાથે હતા. સવારે લગભગ 11.15 વાગ્યે તેમનું અવસાન થયું. તેના એક દિવસ પહેલા તેમને રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ગુજરાતમાં ગોધરાકાંડ (Godhra Kand) પછીના રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે બે દાયકા સુધી લાંબી કાનૂની લડાઈ લડવા બદલ તેમને યાદ કરવામાં આવે છે.
ઝાકિયા જાફરી (Zakia Jafri) ના નશ્વર દેહને અમદાવાદના સરસપુર સ્થિત કુત્બી મઝાર કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો હતો. તેમના પતિ અહેસાન જાફરી (Ahsan Jafri) ને પણ આ જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. ઝાકિયા જાફરીએ 1 ફેબ્રુઆરીના રોજ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. વય સંબંધિત બીમારીને કારણે તેમનું અવસાન થયું. ઝાકિયા જાફરી ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની હતા. તેઓ ગુજરાત (Gujarat Riots) માં ગોધરાકાંડ (Godhra Riots) પછીના રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે બે દાયકા સુધી કાનૂની લડાઈ લડવા માટે જાણીતા હતા.
ઝાકિયા જાફરીની પુત્રી નિશરીન (Zakia Jafri’s daughter Nisharin) ઉર્ફે નરગીસ અમેરિકામાં રહે છે. જાન્યુઆરી ૨૦૨૫માં, તે તેની માતા સાથે સમય વિતાવવા અમદાવાદ આવ્યા હતા. નરગીસ કહે છે, તેઓ તો માત્ર માટીભર હતા. આ તેમના અવશેષો માત્ર છે, જેને અમે અહીં દફનાવ્યા છે. તે હંમેશા મારા પિતાની બાજુમાં દફનાવવામાં આવે તેવું ઇચ્છતી હતી. તે ઘણીવાર એક વાતની ચિંતા કરતા હતા કે, ‘જો તેઓ અમદાવાદથી દૂર હોય ત્યારે તેમનું મોત આવી જાય તો?’
Read Also: સેક્યુલર ભારતમાં પહેલીવાર મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર

પુત્ર તનવીર જાફરીએ શું કહ્યું?
ઝાકિયા જાફરી સામાન્ય રીતે તેમના પુત્ર તનવીર સાથે સુરતમાં રહેતા હતા. પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ તે તેમની પુત્રી સાથે હતી. સવારે લગભગ ૧૧.૧૫ વાગ્યે તેમનું અવસાન થયું. તેના એક દિવસ પહેલા, તેને રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. 2024 સુધી ઝાકિયા નિયમિતપણે ગુલબર્ગ સોસાયટીમાં તેના ઘરના ખંડેરોની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું. ખાસ કરીને તેમના પતિ એહસાન જાફરીની ‘હત્યા’ના દિવસે તો તેઓ ચોક્કસ ત્યાં જતા.
ઝાકિયા જાફરીના દીકરા તનવીર જાફરી (Tanveer Jafri) કહે છે, “28 ફેબ્રુઆરીએ પણ તેઓ ગુલબર્ગ સોસાયટી જવાનું આયોજન કરી રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તનવીર કહે છે, જ્યારે પણ તે સોસાયટીમાં આવતી, ત્યારે તેને શાંતિનો અનુભવ થતો. તે હંમેશા ગુલબર્ગ સોસાયટીને યાદ કરતી અને વિચારતી કે એક દિવસ હું અહીં રહેવા માટે પાછી આવીશ.”
કુત્બી મઝાર કબ્રસ્તાન એહસાન જાફરી અને ઝાકિયા જાફરીએ ગુલબર્ગ સોસાયટી (Gulbarg Society) માં સાથે મળીને બનાવેલા ઘરથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલું છે. એજ ઘર, જેનો ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનાના એક દિવસ પછી થયેલા રમખાણોમાં નાશ કરી દેવાયો હતો.
Read Also: ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા
ગુજરાતના રમખાણો સાથે જોડાયેલો ઝાકિયા જાફરી કેસ
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સમાચાર આવ્યા કે સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express) ના કોચમાં જેમાં કારસેવકો મુસાફરી કરી રહ્યા હતા તેને આગ લગાવી દેવામાં આવી છે. એ પછી રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા. બીજા દિવસે, 28 ફેબ્રુઆરી 2002 ના રોજ ગુલબર્ગ સોસાયટી, 29 બંગલા અને 10 ફ્લેટની સોસાયટી – જેમાં મોટાભાગે મુસ્લિમ પરિવારો રહે છે – પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો. સાંજ પડતા સુધીમાં ઘણા લોકો માર્યા ગયા.
માર્યા ગયેલા લોકોમાં કોંગ્રેસના સાંસદ એહસાન જાફરી પણ હોવાનું જાણવા મળ્યું. જો કે, ઇન્ડિયન એક્સપ્રેસ (India Express) નો રિપોર્ટ જણાવે છે કે, એહસાન જાફરીને મૃત જાહેર કરવામાં આવ્યા હોવા છતાં પોલીસ કે તેમના પરિવારને તેમના શરીરના કોઈ અવશેષો મળી શક્યા નહોતા. બાદમાં, ઝાકિયા જાફરીએ તેમના પતિની હત્યા વિરુદ્ધ તત્કાલીન ડીજીપીને પત્ર લખ્યો હતો. તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી (Chief Minister of Gujarat) અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (now Prime Minister Narendra Modi) સહિત 63 લોકો સામે FIR નોંધવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જ્યારે હાઈકોર્ટે (High Court) અરજી ફગાવી દીધી ત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે ગુલબર્ગ કેસ સહિત 8 કેસોની તપાસ માટે એક ખાસ ટીમ (SIT) ની રચના કરી. ગુલબર્ગ સોસાયટી કેસમાં પહેલો સાક્ષી કોર્ટ સમક્ષ હાજર થયો. તેમણે જણાવ્યું કે એહસાન જાફરીએ મોદી સહિત ઘણા લોકોને મદદ માટે ફોન કર્યા હતા. SIT એ નરેન્દ્ર મોદીની કલાકો સુધી પૂછપરછ કરી. બાદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ (Gulbarg Society murder case) માં SIT રિપોર્ટમાં નરેન્દ્ર મોદી (Narendra Modi)ને ક્લીનચીટ (clean chit) આપવામાં આવી હતી. ત્યારબાદ ઝાકિયા જાફરીએ આ ક્લીનચીટ સામે અરજી દાખલ કરી. ઉપરાંત SIT પર ગુજરાત રમખાણો કેસમાં અધૂરો રિપોર્ટ આપવાનો આરોપ મૂક્યો. પરંતુ આ અરજી પહેલા સિટી કોર્ટ પછી હાઇકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
Read Also: દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC-ST-OBC