સેક્યુલર ભારતમાં પહેલીવાર મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર

બહુ ઓછાં લોકોનું એ દિશામાં ધ્યાન ગયું છે કે, સેક્યુલર ભારત દેશમાં આ પહેલી એવી સરકાર છે, જેની કેબિનેટમાં દેશના 20 કરોડ મુસ્લિમોનું કોઈ પ્રતિનિધિત્વ નથી.

વર્ષ 2024ની લોકસભા ચૂંટણી (2024 Lok Sabha election) માં 400 પારનો નારો લગાવ્યા બાદ 240માં સમેટાઈ ગયેલા ભાજપે (BJP) ચંદ્રાબાબુ નાયડુ (Chandrababu Naidu) અને નીતિશકુમાર (Nitish Kumar) ની કાંખઘોડીના સહારે ફરી એકવાર સત્તા મેળવી લીધી અને નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધાં છે. બિનસાંપ્રદાયિક ભારત (secular India) દેશમાં આઝાદી બાદ આ પહેલી એવી સરકાર છે જેમાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ મંત્રીમંડળમાં સામેલ (not a single Muslim representative) નથી. મોદી 3.0 (Modi 3.0) માં નરેન્દ્ર મોદીની સાથે ૭૧ મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. એમાં કોઈ નવાઈની વાત નથી કે, આ સરકારના મંત્રીમંડળમાં એક પણ મુસ્લિમ ચહેરો નથી (No Muslim face) . આઝાદી પછી આ પહેલી કેન્દ્ર સરકાર છે, જેમાં તેની કેબિનેટની રચનામાં કોઈ મુસ્લિમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો ટ્રેન્ડ ત્રણથી શરૂ થયો હતો અને હવે શૂન્ય પર અટકી ગયો છે.

વડાપ્રધાન મોદીની કેબિનેટ (Narendra Modi cabinet) માં છેલ્લા મુસ્લિમ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની અને પ્રથમ કાર્યકાળમાં નઝમા હેપતુલ્લા, એમ.જે. અકબર અને મુખ્તાર અબ્બાસ નકવીના રૂપમાં ત્રણ મુસ્લિમ મંત્રીઓને મંત્રીમંડળમાં બનાવવામાં આવ્યા. ત્યારપછી કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ ત્રણ મુસ્લિમ મંત્રીઓ સાથેનો ટ્રેન્ડ હવે શૂન્ય પર પહોંચી ગયો છે.

જનસંઘ દ્વારા જનતા પાર્ટી અને બીજેપીના પ્રારંભિક તબક્કાથી પાર્ટીમાં મુસ્લિમ નેતૃત્વ હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ના સમયમાં ભાજપના વરિષ્ઠ મુસ્લિમ નેતાઓમાં સિકંદર બખ્ત, આરીફ બેગ, મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસૈનનો સમાવેશ થતો હતો. સિકંદર બખ્ત અને આરીફ બેગ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ હતા. શાહનવાઝ હુસૈન (Shahnawaz Hussain) અને મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા હતા. શાહનવાઝ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

Read Also: દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની

એમ.જે. અકબર, નઝમા હેપતુલ્લા અને નકવીનું શું થયું?

આમ તો મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ત્રણ મુસ્લિમ હતા, પરંતુ આ જ કાર્યકાળમાં મી ટુ અભિયાનના નિશાના પર બનેલા એમ. જે. અકબર (M.J. Akbar) ને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું, જ્યારે નઝમા હેપતુલ્લા (Najma Heptullah)  રાજ્યપાલ બન્યા હતા અને મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) ને છોડી દેવામાં આવ્યા હતા. એકમાત્ર મુસ્લિમ મંત્રી તરીકે ૨૦૧૯માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત સરકારની રચના થઈ ત્યારે મુખ્તાર અબ્બાસ નકવીને મુસ્લિમ ચહેરા તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. જુલાઈ ૨૦૨૨માં મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) નો રાજ્યસભામાં લઘુમતી કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો. પાર્ટીએ તેમને રાજ્યસભામાં ન મોકલ્યા, જેના કારણે તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને આ સાથે મોદી કેબિનેટમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ ગયું. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નથી.

દેશમાં મુસ્લિમોની વસ્તી અંદાજે 20 કરોડ

દેશમાં જ્યારે મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવી ત્યારે એવી અપેક્ષા હતી કે કોઈ મુસ્લિમને મંત્રી બનાવવામાં આવશે, પરંતુ મંત્રીમંડળમાં હજુ સુધી કોઈ મુસ્લિમને સ્થાન મળ્યું નથી. દેશમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૨૦ કરોડ છે, પરંતુ ભારત સરકારમાં તેમની ભાગીદારી શૂન્ય છે. જો કે, મોદી સરકારમાં લઘુમતી સમાજના ૫ મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં કિરેન રિજિજુ (Kiren Rijiju) અને હરદીપસિંહ પુરી (Hardeep Singh Puri) ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રવનીત સિંહ બિટ્ટુ, જ્યોર્જ કુરિયન અને રામદાસ આઠવલે (Ramdas Athawale) રાજ્યકક્ષાના મંત્રી છે. રિજિજુ અને કુરિયન ખ્રિસ્તી સમાજમાંથી છે, જ્યારે હરદીપસિંહ પુરી અને બિટ્ટુ શીખ સમાજમાંથી આવે છે. રામદાસ આઠવલે બૌદ્ધ ધર્મી છે. પરંતુ મંત્રીમંડળમાં એકેય મુસ્લિમ મંત્રી નથી.

Read Also: Main Stream Media માં 90 ટકા ટોચના પદો પર ઉચ્ચ જાતિઓનો કબ્જો

મુસ્લિમ સમાજ ભાજપથી દૂર જઈ રહ્યો છે

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સાત મુસ્લિમોને અલગ-અલગ બેઠકો પર ટિકિટ આપી હતી, પરંતુ એક પણ મુસ્લિમ નેતા તેમની બેઠક જીતવામાં સફળ થયો ન હતો. એ પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે છ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ પણ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપે કેરળની મલપ્પુરમ બેઠક પરથી અબ્દુલ સલામને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ આ બેઠક પરથી હારી ગયા હતા. આ રીતે મુસ્લિમ સમાજ ભાજપથી અંતર બનાવી રહ્યો છે, અને સામે ભાજપ પણ તેમનાથી અંતર જાળવી રહ્યું છે.

કહેવાતા સેક્યુલર પક્ષો પણ ભાજપને રસ્તે

રાજકીય વિશ્લેષકો કહે છે કે, ભાજપ અને મોદી સરકારમાં મુસ્લિમ ચહેરો હોવો એ માત્ર ઔપચારિકતા છે, પરંતુ ૧૪ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ ન હોવું એ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે હવે દેશમાં મુસ્લિમ રાજકારણ સાવ અપ્રસ્તુત બની રહ્યું છે, માત્ર ભાજપ જ નહીં પણ કહેવાતા સેક્યુલર પક્ષો પણ તેમને ટિકિટ આપવાનું ટાળી રહ્યાં છે અને તેમને રાજકારણમાં આગળ લાવવાથી મોં ફેરવી રહ્યા છે. ચૂંટણી લડવાની મર્યાદિત તકોને કારણે વર્તમાન લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ પણ ઘટ્યું છે. જોવાનું એ રહે છે કે, સેક્યુલર હોવાની વાત કરતી કૉંગ્રેસ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કેટલું જાળવી રાખે છે. આગામી દિવસોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપના સાક્ષી પક્ષ એવા જેડીયુના નેતા નીતિશકુમારની તો મોટી વોટબેંક મુસ્લિમો છે, ત્યારે તેઓ શું ભાજપની તર્જ પર ચાલશે કે પોતાની કથિત સેક્યુલર ઈમેજ જાળવી રાખે છે તે પણ જોવું રહ્યું.

read also: ‘ધ્વજવંદન’ અને ‘તિરંગો ફરકાવવા’ માં શું તફાવત છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x