વિશન કાથડે દેશના 150 ગાયકો સાથે સૂર રેલાવી રેકોર્ડ સર્જ્યો

બહુજન સાહિત્યકાર વિશન કાથડે મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ ખાતે દેશભરમાંથી આવેલા 150 બહુજન ગાયકો સાથે ગાઈને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
બહુજન સાહિત્યકાર વિશન કાથડે મહારાષ્ટ્રમાં રેકોર્ડ નોંધાવ્યો.

ગુજરાતમાં બહુજન સાહિત્ય અને બહુજન મહાનુભાવોના ગાથાઓને યુવા પેઢી સુધી પહોંચાડવામાં જેમનો મોટો ફાળો રહેલો છે તેવા જૂનાગઢના બહુજન સાહિત્યકાર (Bahujan sahityakar) વિશન કાથડ (Vishan Kathad) ની યથકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. 26મી જાન્યુઆરી 2025ના રોજ તેમણે મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ ખાતે દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા 150 થી વધુ બહુજન ગાયકો સાથે હમ ભારત કે લોગ ગીત ગાઈને રેકોર્ડ સર્જ્યો છે. આ ઘટનાની નોંધ લઈને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડે (World book of record) તેને પોતાનામાં સ્થાન આપ્યું છે.
ડૉ.આંબેડકર રચિત ભારતના બંધારણના 75 વર્ષ અને 26મી જાન્યુઆરીના પરિપ્રેક્ષ્યમાં તેમના વતન રાજ્ય મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ ખાતે યોજાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અશ્વઘોષ આર્ટ એન્ડ કલ્ચર ફેડરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી વિવિધ ભાષા, બોલીના 150થી વધુ બહુજન ગાયકોને ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત તરફથી એકમાત્ર વિશન કાથડને આમંત્રણ મળ્યું હતું.

Read Also: દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની

વિશનભાઈએ આ કાર્યક્રમમાં ભાગ લઈને 150 બહુજન ગાયકો સાથે હમ ભારત કે લોગ ગીત ગાયું હતું. સાંજે 5.30 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં બહુજન ગાયકોએ મહાનાયક ડો.ભીમરાવ આંબેડકર અને તેમના મહાન કાર્યોને પોતાના જોશીલા કંઠથી વાચા આપી હતી. વિશન કાથડે (Vishan Kathad) પણ પોતાના બુલંદ અવાજે મહાનાયક ડો.આંબેડકર અને તેમના કાર્યોને પોતાના ગીતો થકી યાદ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ વિસ્તારથી માણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

આ પહેલીવાર હતું જ્યારે કોઈ એક જગ્યાએ, એક સાથે અલગ અલગ રાજ્યના 150થી બોલી-ભાષાના બહુજન કલાકાઓ સાથે મળીને મહાનાયક ડો.આંબેડકરને યાદ કર્યા હોય. આ ઘટનાની વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડે નોંધ લઈ પોતાનામાં સ્થાન આપ્યું છે. આ સાથે જ વિશન કાથડ આ બુકમાં સ્થાન મેળવનાર પહેલા ગુજરાતી બહુજન સાહિત્યકાર બની ગયા છે.

Read Also: દક્ષિણ છારા ‘કૃપયા ધ્યાન દીજિયે’ વેબ સિરીઝ લઈને આવી રહ્યાં છે…

3.5 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x