5 પોલીસ સ્ટેશનના કાફલા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા મુસ્લિમ સમાજના લોકોએ વરઘોડો અટકાવતા હોબાળો મચી ગયો હતો. મામલો વધુ વકરતા 5 પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી ત્યારે વરઘોડો નીકળ્યો.
dalit grooms

સવર્ણ હિંદુઓનું તો સમજ્યા કે તેઓ વર્ણવ્યવસ્થામાં માને છે અને દલિતોને નિમ્ન ગણીને તેમના પર અત્યાચારની એકેય તક જવા દેતા નથી. પરંતુ ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના ટોડરપુર ગામમાં મુસ્લિમ સમાજના લોકોએ એક દલિત વરરાજાના ઘોડી પર બેસીને વરઘોડો કાઢવા સામે વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ એટલી હદે વધી ગયો હતો કે આજુબાજુના પાંચ પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્મ બોલાવવી પડી હતી, ત્યારે જતો દલિત વરરાજાનો વરઘોડો નીકળી શક્યો હતો.

જાણો શું છે આખો મામલો?

જાતિવાદ અને લુખ્ખાગીરી માટે કુખ્યાત યુપીમાં દલિતો પરના અત્યાચારો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. દરરોજ કોઈને કોઈ જગ્યાએ દલિત સમાજ પર અત્યાચાર થયાની ઘટના બને છે. જો કે, અહીંના સહારનપુર જિલ્લાના ટોડરપુર ગામમાં બનેલી એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે, કેમ કે અહીં કોઈ હિંદુત્વવાદી સવર્ણોએ નહીં પરંતુ મુસ્લિમોએ દલિત વરરાજાને ઘોડી પર બેસીને નીકળવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ચિલકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ અનુસૂચિત જાતિના યુવકના લગ્નના વરઘોડામાં વાગતા ડીજે સામે વાંધો ઉઠાવ્યો હતો અને વરઘોડાને પોતાના વિસ્તારમાંથી જવા દેવાનો ઇનકાર કર્યો હતો. મામલો વધુ વણસતો જોઈને ASP ઘટનાસ્થળે પહોંચ્યા અને બંને પક્ષો સાથે વાત કરી અને સમાધાન કર્યા બાદ ભારે પોલીસ દળની હાજરીમાં વરઘોડો નીકળ્યો હતો.

પોલીસની હાજરીમાં વરઘોડો નીકળ્યો

સમાધાન પછી વરઘોડો એ જ રૂટ પરથી કડક સુરક્ષા વચ્ચે કાઢવામાં આવ્યો હતો, જેમાં ડીજેની બાદબાકી કરવામાં આવી હતી. એ દરમિયાન ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ સન્ની વાલિયા, આયુષ મહારાજ, સૈની સંગઠનના જિલ્લા સચિવ સચિન રામદેવ સૈની, પ્રવીણ કુમાર, સૌરભ, વિશાલ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા. એક શેરીમાંથી વરઘોડો કાઢવાને લઈને ફરી નાનો વિવાદ થયો હતો પરંતુ પોલીસે તેને થાળે પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલો કિસ્સો નથી, દરરોજ આવા કોઈને કોઈ કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે, જ્યાં દલિતોના લગ્નમાં વરઘોડા કે જાન પર હુમલો કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના હુમલાઓ સવર્ણ હિંદુઓ દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ આ ઘટનામાં મુસ્લિમ સમાજ પણ સવર્ણોના વાદે ચડ્યો હોય તેમ જણાય છે. આ પ્રકારની ઘટનાઓથી બહુજન સમાજની એકતાને મોટું નુકસાન થતું હોય છે તે મુસ્લિમોએ સમજવું પડશે. વર્તમાનમાં દલિતો અને મુસ્લિમોની સ્થિતિ એક સરખી છે. એવામાં જો મુસ્લિમો જ પોતાને સવર્ણ સમજીને દલિતો પર આ રીતની દાદાગીરી પર ઉતરી આવશે તો મનુવાદીઓને ફૂટ પડાવવાની તક મળી જશે. આશા રાખીએ કે આ પ્રકારની ઘટનાઓ અહીં જ અટકી જાય.

આ પણ વાંચો: વાલ્મિકી સમાજના કિન્નરને ન્યાય અપાવવામાં પોલીસને રસ નથી

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
3 months ago

આ દેશની પવિત્ર ધરતીને લૂંટવાની કોની કોની દાનત બગડી છે, ક્યાં સુધી અધર્મીઓની નફ્ફટ ભૂમિકા ભજવતા રહેશો, આ દેશમાં કોઈ કોઈનો ધર્મ કોઈને પણ બચાવી શકે તેમ નથી કેમકે આપણું પવિત્ર અને દિવ્ય સંવિધાન આપણા સૌની રક્ષા કરે છે! તે ભૂલવું જોઈએ નહીં. જયભીમ જય સંવિધાન જય ભારત.

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x