24 દલિતોને ગોળી મારી દેનાર ત્રણેયને ફાંસીની સજા

ચકચારી દિહુલી હત્યાકાંડ(Dehuli Massacre)માં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો.
Dehuli Massacre

Dehuli Massacre: ફિરોઝાબાદમાં થયેલા દિહુલી હત્યાકાંડના 44 વર્ષ પછી આજે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. ૧૯૮૨માં સવર્ણ જાતિઓના ડાકુઓની એક ટોળકીએ દલિત વસ્તી પર હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૪ લોકોની હત્યા કરી નાખી હતી. મૃતકોમાં નિર્દોષ બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. હવે કોર્ટે આ હત્યા કેસમાં 3 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આ ઉપરાંત, પ્રત્યેકને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ૧૧ માર્ચે મૈનપુરી કોર્ટના સ્પેશિયલ જજે ત્રણેય આરોપીઓને હત્યાના દોષિત ઠેરવ્યા હતા.

આજે બપોરે ૩.૩૦ વાગ્યે એડિશનલ સેશન્સ જજ ઇન્દિરા સિંહે ફાંસીની સજા સંભળાવી. ત્રણેય આરોપીઓ પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ૧૮ નવેમ્બર ૧૯૮૧ના રોજ જસરાણા દિહુલી ગામમાં ૨૪ દલિતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચુકાદા બાદ ત્રણેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

કોર્ટે આ હત્યાકાંડને અત્યંત જઘન્ય ગણાવ્યો

ન્યાયાધીશે પોતાના આદેશમાં લખ્યું હતું કે હત્યારાઓને ત્યાં સુધી ફાંસીએ લટકાવીને રાખજો જ્યાં સુધી તેમનું મોત ન થઈ જાય. ત્રણેય દોષિતોની ઉંમર 75 થી 80 વર્ષની વચ્ચે છે. આ હત્યા કેસમાં કુલ 20 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી ૧૩ આરોપીઓના મૃત્યુ થયા છે અને કોર્ટે ચાર ફરાર આરોપીઓની ધરપકડ માટે કાયમી વોરંટ જારી કર્યા છે. આ કેસની દલીલ એડીજીસી રોહિત શુક્લાએ કરી હતી.

તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને દિહુલી આવવું પડ્યું હતું

૪૪ વર્ષ પહેલાં જ્યારે દિહુલીમાં હત્યાકાંડ થયો ત્યારે આખો દેશ અને યુપીની રાજ્ય સરકાર હચમચી ગઈ હતી. તે સમયે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, ગૃહ પ્રધાન વી.પી. સિંહ, મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી અને વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયી પીડિતોનું દુઃખ વહેંચવા માટે દેહુલી પહોંચ્યા હતા. ૧૮ નવેમ્બર, ૧૯૮૧ ના રોજ, ફિરોઝાબાદ જિલ્લાના જસરાણા વિસ્તારના દિહુલી ગામમાં સંતોષ સિંહ ઉર્ફે સંતોષા અને રાધેશ્યામ ઉર્ફે રાધેના ટોળા દ્વારા દલિત સમાજના લોકો પર હુમલો કરીને એક જઘન્ય હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો. તે સમયે તે વિસ્તાર મૈનપુરી જિલ્લામાં આવતો હતો.

હત્યાકાંડના સાક્ષીઓના વર્ણનથી સૌ હચમચી ગયા

હત્યા કેસના મુખ્ય સાક્ષી બનવારી લાલે જણાવ્યું હતું કે તેમના પિતા જ્વાલા પ્રસાદને ખેતરમાં બટાકા ખોદતી વખતે પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની સાથે તેમના મોટા ભાઈઓ મનીષ કુમાર, ભૂરે સિંહ અને પિતરાઈ ભાઈ મુકેશની પણ હત્યા કરવામાં આવી હતી. બનવારી લાલ હત્યાની ધમકી સહિતના ભારે દબાણ છતાં છેલ્લે સુધી પોતાની જુબાની પર અડગ રહ્યાં. જેના કારણે જ આ ત્રણેય દોષીઓને ફાંસીની સજા મળી છે. બનવારી લાલે કહ્યું કે, ભલે મોડું થયું પણ અમને ન્યાય મળ્યો છે. આરોપીઓને ફાંસીથી ઓછી સજા થાય તે ન પાલવે.

આ પણ વાંચો: એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ

બનવારી લાલે વધુમાં જણાવ્યું કે આ હત્યાકાંડનો ભોગ બનેલા મોટાભાગના પરિવારો ગામમાંથી સ્થળાંતર કરી ગયા છે અને ગામમાં ફક્ત ત્રણ પરિવારો રહે છે.

૯૦ વર્ષીય જય દેવી કહે છે કે તેઓ હજુ પણ પોતાના પરિવારના સભ્યોને ગુમાવવાનું દુ:ખ ભૂલી શક્યા નથી. ન્યાય મેળવવામાં ઘણો સમય લાગ્યો છે. તેમણે હુમલાખોરોથી છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો.

દિહુલીના રહેવાસી લાયક સિંહ દ્વારા રાધેશ્યામ ઉર્ફે રાધે, સંતોષ સિંહ ઉર્ફે સંતોષા સહિત 17 લોકો વિરુદ્ધ સામૂહિક હત્યાની ફરિયાદ દાખલ કરી હતી. સાંજે પોલીસનો ડ્રેસ પહેરી હથિયારો સાથે આવેલા સંતોષા અને રાધેની ગેંગના ડાકુઓએ દલિત સમાજના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 24 નિર્દોષ દલિતો મોતને ભેટ્યાં હતા. આજે પણ આ હત્યાકાંડની યાદ આવતા આ ગામના દલિતો થથરી જાય છે.

મૈનપુરીની ખાસ રોબરી કોર્ટમાં કેસ ચાલતો હતો

દિહુલી હત્યાકાંડ પાછળ સંતોષા અને રાધેની ટોળકીની માહિતી આપવા અને કોર્ટમાં જુબાની આપવાનો મુદ્દો મુખ્ય હતો. મુખ્ય ગુંડા સંતોષાએ શંકા હતી કે તેની ગેંગનો એક દલિત સમાજનો વ્યક્તિ તેના માહિતી પોલીસને આપી રહ્યો છે. આથી તેણે દલિતો પર વેર વાળ્યું હતું. આ કેસની સુનાવણી મૈનપુરી જિલ્લા કોર્ટમાં ચાલી રહી હતી, બાદમાં હાઈકોર્ટના નિર્દેશ પર ઓક્ટોબર 2024 સુધી અલ્હાબાદની સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી. જિલ્લા ન્યાયાધીશના આદેશ પર ઓક્ટોબર 2024 માં સંબંધિત કેસ મૈનપુરીની સ્પેશિયલ રોબરી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Dihuli massacre: 24 દલિતોની હત્યામાં 44 વર્ષે ન્યાય મળશે

4.4 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
P c Rajput
P c Rajput
2 months ago

Bahut hi achi khver hai nay tantra pay viswas jaga hai sabhi ko jine ka hak or surcha mile ehi loktantra ka matlab hai Jay ho bharat ka nay tantra

સંજય શૌર્યવંશી
સંજય શૌર્યવંશી
2 months ago

44 साल के बाद मिला न्याय नहीं है यह तो न्याय के सामने ख़ुद अन्याय है। यहा पीड़ित लोग दलित समुदाय की जगह कोई और स्वर्ण लोग होते तो यातोउनको न्याय उचित समय पर मिल गया होता या फ़िर गुनहगार दलितों को ही मार दिया होता। अगर इस तरीके से न्याय मिलेगा तो ईट हमे ईट का जवाब पत्थर से देने की तैयारी रखनी होगी।

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x