chappal tradition: ઓનલાઈન શોપિંગના આજના સમયમાં જ્યાં એક ક્લિક કરીને મહિલાઓ આખા મહિનાનું રાશન અને પગરખા સુદ્ધાંની હોમ ડિલિવરી કરાવી લે છે ત્યારે કોઈ તમને એવું કહે કે ભારતમાં આજે પણ એક રાજ્ય એવું છે જ્યાંના ગામડાઓમાં દલિત મહિલાઓ ચંપલ પહેરીને ગામમાં પ્રવેશી શકતી નથી તો તમે માનો ખરા?
બુંદેલખંડના છતરપુર જિલ્લાનું અંગરૌઠા એક એવું ગામ છે જ્યાં આજે પણ મહિલાઓ વડીલોની સામે ચપ્પલ પહેરીને જઈ શકતી નથી. લોકોના જણાવ્યા પ્રમામે વડીલોનો આદર કરવા માટે સ્ત્રીઓને તેમની સામે તેમના ચપ્પલ ઉતારવાનું કહેવામાં આવે છે. ૨૧મી સદીમાં પણ મહિલાઓને આવી રૂઢિચુસ્ત પરંપરાઓની કિંમત ચૂકવવી પડે છે. આ પ્રથાને રિવાજનું નામ આપીને સ્ત્રીઓને હજુ પણ સમાજની વિચારસરણી હેઠળ દબાવવામાં આવે છે.
ગામની કેટલીક મહિલાઓ હવે આ પ્રથામાંથી બહાર આવવા માંગે છે, પરંતુ સમાજનો ડર હજુ પણ તેમને સતાવે છે. પુરૂષોને જ્યારે આ બાબતે પૂછવામાં આવે છે ત્યારે તેઓ તેને જૂનો રિવાજ ગણાવીને વાત કરવાનું ટાળે છે, પરંતુ આ પ્રથાને ખતમ કરવાની તરફેણ નથી કરતા.
આ પણ વાંચોઃ દલિત મહિલા પર દુષ્કર્મના કેસમાં ભાજપ ધારાસભ્યને પોલીસ રક્ષણ?
જ્યાં એક તરફ આપણા દેશની મહિલાઓ પુરુષો સાથે ખભે ખભો મિલાવીને પ્રગતિ કરી રહી છે, તો બીજી તરફ આ પંથકના અનેક ગામોમાં મહિલાઓને પોતાની પસંદગીના ચપ્પલ પહેરવાનો પણ અધિકાર નથી. સ્ત્રીઓ હજુ પણ રિવાજો અને પરંપરાઓના ચુંગાલમાં કેમ બંધાયેલી છે? શું આ પરંપરાઓ પુરુષોને લાગુ પડતી નથી? કે પછી સમાજને સ્ત્રી પર પ્રતિબંધો લાદવા સિવાય બીજું કંઈ દેખાતું નથી?
અહીંના લલિતપુર જિલ્લામાં સદીઓથી પુરુષોની સામે ચપ્પલ પહેરીને બહાર નીકળવું એ સ્ત્રીઓ માટે એક મોટી સમસ્યા રહી છે. જ્યારે તેઓ ખેતરમાં જાય છે ત્યારે ચપ્પલ પહેરે છે, પરંતુ ગામમાં પ્રવેશતાની સાથે જ તેમણે ચંપલ કાઢીને હાથમાં લઈ લે છે, જેથી મર્યાદાભંગ ન થાય. ગામમાં કોઈ સ્ત્રી ચપ્પલ પહેરતી નથી. એક તરફ જ્યાં મહિલાઓ પુરુષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે, ત્યાં બીજી તરફ આ ગામમાં આજે પણ મહિલાઓ આ પ્રથાના બોજ હેઠળ દબાયેલી અનુભવે છે.
આ પણ વાંચોઃ દલિત વૃદ્ધને મહિલાઓ સામે નગ્ન કરી મોં પર પેશાબ કર્યો
લલિતપુર જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં આ પ્રથા પ્રચલિત છે. આ કુપ્રથાને ખતમ કરવા કરવા માટે ન તો કોઈ નેતાએ વચનો આપ્યા છે, ન તો સ્થાનિક તંત્ર માટે તે મહત્વનો છે. આ પ્રથાને કારણે અનેક વખત હિંસા થઈ હોવા છતાં વહીવટીતંત્ર મૌન રહે છે. લલિતપુર જિલ્લાના મહરોનીમાં 20 વર્ષથી સહજની શિક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જન શિક્ષા કેન્દ્રના કાર્યકરોએ આ કુપ્રથાનો અંત લાવવા માટે મોટા આંદોલનો અને રેલીઓનું આયોજન કર્યું હતું. દલિત મહિલાઓને જાગૃત કરી. એ પછી પણ, હજુ પણ ઘણા ગામડાઓ છે જ્યાં ચંપલપ્રથા હજુ પણ ચાલી રહી છે. રોડ પરના ગામડાઓમાં આ પ્રથા ખતમ થઈ ગઈ છે, પરંતુ અંતરિયાળ ગામડાઓમાં આ પ્રથા હજુ પણ ચાલુ છે.
ચંપલ પ્રથા શું છે?
જે ગામડાઓમાં કથિત ઉચ્ચ જાતિના લોકો રહે છે અને દલિતો પણ રહે છે, ત્યાં દલિત સમાજની મહિલાઓ ચંપલ પહેરીને કથિત સવર્ણ જાતિના લોકોના દરવાજામાંથી પસાર થઈ શકતી નથી. ભલે પછી તે ઘરના પુરૂષો ક્યાંય બહાર બેઠાં હોય, પણ દલિત મહિલાએ તેના ચંપલ હાથમાં લઈને ચાલવું પડે છે. જો દલિત મહિલાઓ સવર્ણોના દરવાજા પાસેથી પસાર થાય છે અથવા ચપ્પલ પહેરીને તેમની સામેથી પસાર થાય છે, તો તેઓ સ્ત્રીઓને કંઈ કહેતા નથી પરંતુ તેમના પુરુષોને ફરિયાદ કરે છે કે તારી બહેન-પત્નીની એટલી હિંમત કે ચંપલ પહેરીને અમારી સામેથી નીકળી. તમારી પુત્રવધૂએ અમારું સન્માન ન કર્યું અને ચપ્પલ પહેરીને અમારા દરવાજા પાસેથી પસાર થવાની હિંમત કરી, તેણે અમારું અપમાન કર્યું. એ પછી, પુરુષો આવીને તેમના ઘરની સ્ત્રીઓને ઠપકો આપે છે અને તેમને ચપ્પલ ઉતારીને ચાલવા કહે છે.
આ પણ વાંચોઃ દલિત યુગલે પ્રેમલગ્ન કરતા પંચે બહિષ્કાર કરી 12 લાખ દંડ કર્યો
લલિતપુર જિલ્લાના મડાવરા તાલુકાના નીમખેડાની રહેવાસી ભગવતીએ 2016 માં ચપ્પલપ્રથા સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. લાંબા સંઘર્ષ બાદ ભગવતી તેમના ગામમાં ચપ્પલ પરંપરાને સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં સફળ રહી. ભગવતીએ કહ્યું, તે આંદોલન પછી ગામના કથિત ઉચ્ચ જાતિના લોકો મને ખૂબ ધમકાવતા હતા. તેમણે સીધું કશું કહ્યું ન હતું કે તે ચપ્પલના કારણે અમારી સાથે આવું કરી રહ્યાં છે, પરંતુ કારણ એ જ હતું જેના કારણે તેમણે મને અને મારા પતિને માર માર્યો, અમને ત્રાસ આપ્યો અને આજે પણ અમે તે કેસ લડી રહ્યા છીએ. એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો. વર્ષ 2016 થી લઈને અમે આજે પણ એ કેસ લડી રહ્યાં છીએ.
ભગવતીએ કહ્યું કે મને આ લડાઈ લડવાની હિંમત સહજની પાસેથી મળી. સહજની એજ્યુકેશન સેન્ટરના મીના દીદીએ અમને જાગૃત કર્યા. તેમણે જ અમને યાદ કરાવ્યું કે, ચપ્પલ હાથમાં રાખવાની વસ્તુ નથી, પણ પગમાં પહેરવાની વસ્તુ છે. પછી અમે તેમની વાત સાંભળી અને ચપ્પલ પહેરીને કથિત ઉચ્ચ જાતિના લોકોના દરવાજા સામેથી ચાલવા લાગ્યા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે
જો આ વિસ્તારના દરેક ગામમાં ભગવતી જેવી સ્ત્રી હોય, તો દરેક ગામમાંથી ચંપલની આ પ્રથા નાબૂદ થઈ શકે છે. પણ બધાં દલિતો આ પ્રકારની હિંમત કરી શકતા નથી. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અહીં મોટાભાગના દલિતો કથિત સવર્ણોના ખેતરોમાં મજૂર તરીકે કામ કરે છે. કહેવાતા સવર્ણોના ખેતરમાં કામ મળે છે તેના કારણે તેમના ઘરનો ચૂલો સળગે છે. બાકી કોઈની પાસે કોઈ કામ નથી. આ જ કારણે આ દબાણને લીધે ચંપલ પ્રથા હજુ પણ મોટાભાગના ગામડાઓમાં બેરોકટોક ચાલી રહી છે અને દલિત મહિલાઓ સવર્ણોના ઘર શરૂ થતાની સાથે જ પગમાં પહેરેલા ચંપલ હાથમાં ઉપાડી લે છે. એકવીસમી સદીના સ્માર્ટ સિટીના સ્વપ્નધારી ભારતની આ પણ એક હકીકત છે.
આ પણ વાંચોઃ માથાભારે પટેલે દલિતોનું સ્મશાન પચાવી પાડી ઘઉં વાવી દીધાં