ચોરીની શંકાએ અનાથ આદિવાસી બાળકીના ચહેરા પર ડામ દીધાં

10 વર્ષની અનાથ દલિત બાળકીને મોબાઈલ ચોરીના આરોપસર ગરમ તવેથાથી ડામ દીધાં. બાળકીનો ચહેરો વિકૃત થઈ ગયો.
tribal girl brutally tortured in nellore

Tribal Girl Brutally Tortured in Nellore: આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કાકરલાડીબ્બા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં મોબાઇલ ફોન ચોરીના આરોપમાં એક 10 વર્ષની દલિત બાળકી પર ક્રૂર રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. બાળકીને ગરમ ચીમટાથી ડામ દેવામાં આવ્યા. જેના કારણે તેનો ચહેરો ભયાનક રીતે દાઝી ગયો છે. બાળકીની ચીસો સાંભળીને ગામલોકોએ જેમતેમ કરીને રીતે તેને બચાવી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીઓ સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

પડોશીએ મોબાઈલ ચોરીની શંકાએ ત્રાસ ગુજાર્યો

મળતી માહિતી મુજબ, પીડિત છોકરીના પિતાનું મૃત્યુ થયું છે, તેની માતા તેને બાળપણમાં જ છોડીને બીજા લગ્ન કરી ચૂકી છે. બાળકી હાલ તેની માસી સાથે રહે છે.  થોડા દિવસ પહેલા તેના એક પાડોશીને શંકા ગઈ કે બાળકીએ તેનો મોબાઇલ ફોન ચોરી લીધો છે. એ પછી, તેણે તેની માસી સાથે મળીને બાળકી પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. પહેલા તેને ખૂબ માર મારવામાં આવ્યો, પછી તેણે જે કર્યું તે નિર્દયતાની ચરમસીમા હતી.

આ પણ વાંચો: Wikipedia ની ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં દલિતો ગાયબ

બાળકીની ચીસો સાંભળી ગામલોકો પહોંચી ગયા

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, માસી અને આરોપી પાડોશીએ ચીમટો(ખરપીયો) ગરમ કરીને બાળકીના શરીર અને ચહેરા પર ડામ દેવાનું શરૂ કરી દીધું હતું. બાળકી પીડા સહન ન કરી શકતા રાડો પાડીને રડવા લાગી હતી. તેનો અવાજ સાંભળીને ગામલોકો તેના ઘરે પહોંચ્યા. અને ત્યાં તેની સાથે થતી ક્રૂરતા જોઈને ચોંકી ગયા હતા. લોકોએ જેમતેમ કરીને તેને આરોપીઓની ચુંગાલમાંથી બચાવી લીધી અને પછી પોલીસને જાણ કરી.

બાળકીની માસી અને પડોશી આરોપી ફરાર

પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પીડિતા આદિવાસી છે. તેનું નામ ગંડાલા ચેનચમ્મા હોવાનું કહેવાય છે. તેની કાકીનું નામ સન્નારી મણિક્યમ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં, આરોપીઓ પોલીસ પકડથી બહાર છે અને તેમની શોધ ચાલી રહી છે.

વાયએસઆર કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા

આંધપ્રદેશની YSRCP પાર્ટીએ એ આ અમાનવીય ક્રૂરતાની સખત નિંદા કરી છે. તેનું કહેવું છે કે. આ બર્બર કૃત્યે લોકોના અંતરાત્માને હચમચાવી નાખવામાં આવ્યો છે. તેમાં સામેલ તમામ લોકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે. આવી ઘટનાઓ ટીડીપીના નેતૃત્વ હેઠળની સરકાર હેઠળ કાયદો અને વ્યવસ્થાના પતનને ઉજાગર કરે છે. હાલમાં, આ કેસની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: થાનગઢમાં ઝાડ કાપતા દલિત યુવક પર ચાર શખ્સોનો હુમલો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x