What is voice vote: ઈપણ લોકશાહી દેશમાં, બહુમતી મત દ્વારા નિર્ણયો લેવામાં આવે છે, અને ભારતીય સંસદ પણ તેમાંથી બાકાત નથી. જ્યારે કોઈ બિલ અથવા દરખાસ્ત પર સર્વસંમતિ બને છે, ત્યારે સાંસદોની સંમતિ કે અસંમતિ મતદાન દ્વારા નક્કી થાય છે.
કેન્દ્ર સરકાર “MGNREGA” નું નામ બદલીને “વિકસિત ભારત જી રામ જી” (VB-G RAM G) કરી દીધું છે. ગુરુવારે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G બિલને ‘ધ્વનિ મત’ (voice vote) દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. અને રાજ્યસભામાં તેને મોડી રાત્રે પસાર કરવામાં આવ્યું. તમે ઘણીવાર સંસદીય સત્ર દરમિયાન “ધ્વનિ મત” શબ્દ સાંભળ્યો હશે, પરંતુ શું તમે જાણો છો કે બિલ પસાર કરવા માટે “ધ્વનિ મત”ની પ્રક્રિયા શું હોય છે?

આ પણ વાંચો: ગુજરાતમાં 5 વર્ષમાં 11 હજાર લઘુ ઉદ્યોગોને તાળાં લાગી ગયા
સંસદમાં “ડિવિઝન” શું હોય છે?
કોઈપણ લોકશાહી પદ્ધતિમાં, બહુમતી દ્વારા નિર્ણયો લેવામાં આવે છે, અને ભારતીય સંસદ પણ તેનાથી અલગ નથી. જ્યારે બિલ અથવા દરખાસ્ત પર સર્વસંમતિ બને છે, ત્યારે સાંસદોની સંમતિ અથવા અસંમતિ મતદાન દ્વારા નક્કી કરવામાં આવે છે. સંસદીય પરિભાષામાં, આને “ડિવિઝન” કહેવામાં આવે છે. તેનો હેતુ એ નક્કી કરવાનો છે કે ગૃહમાં કેટલા સભ્યો કોઈ ચોક્કસ દરખાસ્તની તરફેણમાં છે કે વિરુદ્ધમાં છે. રાજ્યસભાની કાર્યવાહીના નિયમ 252 થી 254 ચાર અલગ અલગ ડિવિઝન પ્રક્રિયાઓનું વર્ણન કરે છે.

‘ધ્વનિ મત’ એટલે શું છે?
પહેલી પદ્ધતિ ધ્વનિ મત(Voice Vote) છે, જેમાં સ્પીકર એક પ્રસ્તાવ રજૂ કરે છે અને સાંસદોને પૂછે છે કે, જે સભ્યો પ્રસ્તાવની તરફેણમાં છે તેઓ “હા” કહે અને જેઓ બિલની વિરોધમાં છે તેઓ “ના” કહે. બંને તરફથી આવનારા અવાજો સાંભળીને સ્પીકર નિર્ણય લે છે. જો અવાજો વચ્ચેનો તફાવત સ્પષ્ટ ન હોય, તો આગળની પ્રક્રિયા એટલે કે કાઉન્ટિંગ અથવા ઇલેક્ટ્રોનિક મતદાનની મદદ લેવામાં આવે છે. બીજી પદ્ધતિ કાઉન્ટિંગ છે, ત્રીજી ઓટોમેટિક વોટ રેકોર્ડરનો ઉપયોગ છે, અને ચોથી લોબીમાં જઈને મતદાન છે.
આ પણ વાંચો: દાણીલીમડાના રોગચાળા અંગે NHRC નું સચિવ, કલેક્ટર, AMC ને તેડું
શું સ્પીકરના નિર્ણયને પડકારી શકાય છે?
મીડિયા રિપોર્ટ મુજબ, હિમાચલ પ્રદેશ નેશનલ લો યુનિવર્સિટીના પ્રોફેસર ચંચલ કુમાર સિંહ સમજાવે છે કે, સ્પીકર સાંસદોની માંગણીઓ સ્વીકારવા માટે બંધાયેલા નથી કારણ કે સંસદના કાર્યને નિયંત્રિત કરતા નિયમો તેમના વિશેષાધિકારોમાં આવે છે.
જો કે, તેઓ એમ પણ કહે છે કે જો સ્પીકર તેમની સત્તાઓનો ઉપયોગ “મનસ્વી રીતે” કરે છે, તો તેમના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે, અને સુપ્રીમ કોર્ટને આ બાબતની સુનાવણી કરવાનો અધિકાર છે. સંસદ સામાન્ય રીતે ધ્વનિ મત દ્વારા ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરે છે. વિરોધ પક્ષો ઘણીવાર મત વિભાજનની માંગ કરે છે જેથી તેમના વિરોધનો રેકોર્ડ બને, પરંતુ અંતિમ નિર્ણય સ્પીકર દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયા પર આધાર રાખે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3.65 કરોડ લોકો સરકારી અનાજ પર જીવવા મજબૂર











*દેશને વેચવા તૈયાર છે, સાથે સાથે મહાત્મા ગાંધીજીના આત્માની હરાજી પણ કરાશે, એમાં કોઈ સંદેહ રહેતો નથી. જે લોકોને પંદરસો વર્ષની કારમી ગુલામી નાં દર્દો નથી સહ્યાં તેવાં લોકો પાસે ભારતની લગામ હાથમાં આપીને આઝાદ ભારતની તાનાશાહી સાથે ઘોર ખોદવામાં આવી રહી છે! હવે જનતા ક્યારે જાગશે!