જ્યારથી RSS પ્રેરિત કટ્ટર હિંદુત્વવાદી ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી છે, ત્યારથી દેશભરમાં દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર જાતિવાદી હુમલાઓ સતત વધી રહ્યા છે. મનુસ્મૃતિની તર્જ પર જાતિ ભેદભાવની ઘટનાઓ પણ વધી છે. તેમ છતાં ભાજપ અને આરએસએસના નેતાઓ પોતાના શાસનની તુલના રામરાજ્ય સાથે કરતા રહે છે. ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી ભાજપ સરકારને સતત રામરાજ્ય તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે.
પરંતુ આ બધી ચર્ચાઓ વચ્ચે એક બીજો મુદ્દો પણ ઉભરી રહ્યો છે. આઝાદી પહેલાં, જ્યારે આપણા દેશનું બંધારણ હજુ ઘડાયું નહોતું, ત્યારે બ્રાહ્મણવાદીઓએ દલિતો અને પછાત વર્ગો માટે સામાજિક ધોરણો નક્કી કર્યા હતા, મહિલાઓના અધિકારો મર્યાદિત હતા, અને ગરીબ, પછાત શુદ્રોએ ક્યારેય સભ્ય સમાજનો ભાગ બનવાનું સ્વપ્ન પણ જોયું ન હતું. એ મનુસ્મૃતિનો સમય હતો.

બ્રાહ્મણો મનુસ્મૃતિ આધારિત જાતિ વ્યવસ્થાના કટ્ટર સમર્થક રહ્યા છે. દેશ આઝાદ થયા પછી તેમણે લોકશાહી રાષ્ટ્ર અને ધર્મનિરપેક્ષતાને સ્વીકારી, પરંતુ ક્યારેય દલિતો અને મહિલાઓની સ્વતંત્રતાને સ્વીકારી નહીં. ઘરની ચાર દિવાલોમાં બંધ સ્ત્રીઓને આઝાદીથી જીવતા જોવી, કદાચ તેમની પુરૂષવાદી માનસિકતાને મોટો ફટકો હતો. અને આજે પણ, બે જૂથો વહેંચાયેલા છે: એક જય શ્રી રામ વાળા છે, બીજા જય ભીમ વાળા છે. એક તરફ, રામ રાજ્યની વાત છે, જ્યારે બીજી તરફ, ડૉ.આંબેડકરનું બંધારણીય શાસન છે. હવે તમારે નક્કી કરવાનું છે કે, આમાંથી સારું ક્યું?
આ પણ વાંચો: શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP

રામરાજ્ય કેવું હતું?
જ્યારે આપણે રામ રાજ્ય વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે ધર્મ પર આધારિત રાજ્યની કલ્પના કરીએ છીએ, જ્યાં દરેક વ્યક્તિ સમાન આદર્શો ધરાવે છે, અને જ્યાં શાસન એક રાજા દ્વારા ચલાવવામાં આવે છે, જે તેની પ્રજાના કલ્યાણ માટે કાર્ય કરે છે. વધુમાં, રાજધર્મ, એક પરંપરા, જે પેઢીઓથી ચાલ્યો આવતો હોય છે, તેનું પાલન ભવિષ્યના શાસકો દ્વારા કરવામાં આવશે, જેઓ નૈતિકતાના આધારે માનવતાને તોલશે. જો કે, રામરાજ્યમાં કેટલીક ખામીઓ ચાલુ રહી. તે પોતાને જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા અને મનુવાદી વિચારસરણીથી અલગ ન કરી શક્યું.
રામરાજ્યમાં બ્રાહ્મણોએ બનાવેલા નિયમોનું પાલન કરવું પડતું હતું
આનો સૌથી મોટો પુરાવો છે શુદ્ધ શંબૂકની રામ દ્વારા નિર્મમ હત્યા. શંબૂકનો એકમાત્ર વાંક એ હતો કે તેણે બ્રાહ્મણો દ્વારા નક્કી કરાયેલા નિયમો તોડીને તપસ્યા કરવાની હિંમત કરી હતી. તે જંગલમાં તપસ્યા કરતો હતો. બ્રાહ્મણોએ રાજા રામને આ અંગે ફરિયાદ કરી હતી, અને મજબૂરીથી, જાતિ વ્યવસ્થાનું રક્ષણ કરવા અને બ્રાહ્મણોના અભિમાનને જાળવી રાખવા માટે શંબૂકની હત્યા કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે રામરાજ્યમાં ગરીબી અને દુઃખ ન હોવા છતાં, જાતિ ભેદભાવનો ડંખ સતત અસ્તિત્વમાં હતો. બ્રાહ્મણોએ બનાવેલા નિયમોનું પાલન કરવું પડતું હતું, નહીં તો સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડતો હતો.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર અને ગાંધીજી પણ જેમની સલાહ લેતા એ કોણ?
ડૉ.આંબેડકરનું બંધારણીય રાજ્ય કેવું છે?
હવે વાત કરીએ ડૉ.આંબેડકરના બંધારણીય રાજ્યની. બાબા સાહેબ પોતે મહાર જાતિના હતા અને બાળપણથી જ અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવનો નજીકથી અનુભવ કરતા હતા, જેના કારણે તેઓ બળવાખોર બન્યા હતા. તેઓ એવા કોઈપણ નિયમનું પાલન કરવાના વિરોધી હતા જે લોકો પર દમન કરે અને તેમને માનવ તરીકેના તેમના ગૌરવથી વંચિત રાખે.
જો કે, અંગ્રેજોએ આ ભેદભાવ સામે કોઈ પગલાં લીધાં ન હતા, ભલે તેમના પોતાના દેશમાં કોઈ જાતિ ભેદભાવ ન હતો. બાબા સાહેબ જાણતા હતા કે લડાઈ લાંબી હશે, પણ વિજય ચોક્કસ થશે… જેમ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કન્યા શિક્ષણ માટે લડ્યા અને જીત્યા.
આ પણ વાંચો: “હું હવે ખ્રિસ્તી છું, જય શ્રી રામ નહીં બોલું..” કહેતા આદિવાસીને ફટકાર્યો
જોકે, બાબા સાહેબને તક મળી અને તેમણે તેનો લાભ લીધો. તેમણે ભારતીય બંધારણનો મુસદ્દો ઘડ્યો, જે આધુનિકતા, વિકાસ અને તર્કસંગત પ્રગતિનો પાયો હતો. તેમણે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને બધા માટે ન્યાય પર આધારિત લોકશાહીનો પાયો નાખ્યો. જેમાં જાતિ વ્યવસ્થા તો હતી, પરંતુ તેની પાસે પોતાના અધિકારો અને તાકાત હતી, જેનો ઉપયોગ કરીને બ્રાહ્મણવાદી વિચારસરણીને પડકારી શકાતી હતી. એક હાથમાં સત્તા કેન્દ્રિત કરવાને બદલે, તેમણે સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું વિભાજન કર્યું, આમ એકાધિકાર દૂર કર્યો.
રાજકીય દ્રષ્ટિએ સમાનતાનો અધિકાર
બધા માટે મૂળભૂત અધિકારો સમાન હતા, ફક્ત સામાજિક જ નહીં પણ આર્થિક અને રાજકીય રીતે પણ. નિર્ણયો રાજાના હાથમાં નહીં પરંતુ લોકોના હાથમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં બધા ધર્મો અને જાતિના લોકોનો સમાવેશ થતો હતો, નહીં કે કોઈ એક જ જાતિના લોકોનો. ડૉ.આંબેડકરનું રાજ્ય, લોકોનું રાજ્ય, મૂળભૂત રીતે એક લોકશાહી રાજ્ય છે, જે તર્કસંગત શક્તિને સશક્ત બનાવે છે. જ્યારે રામરાજ્ય ધાર્મિક આદર્શો પર આધારિત વ્યવસ્થા હતી.
આ સંદર્ભમાં, આપણે કહી શકીએ કે ડૉ.આંબેડકરે એક એવું રાજ્ય બનાવ્યું હતું જે દરેકને મુક્તપણે જીવવાની મંજૂરી આપતું હતું, બધા માનવીઓને માણસ તરીકે માનતું હતું. હવે કહો, તમારા મતે કયું રાજ્ય વધુ સારું?
આ પણ વાંચો: આ ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ છે કે ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’?











*અભણ કે ભણેલો હોય, દેશી કે વિદેશી હોય સૌ કોઈ
“ઊગતા સૂરજ” ને, સૂર્યને જ પૂજે કે નમસ્કાર કરે છે એટલે જ ડો.બાબાસાહેબ આમ્બેડકરના “સ્વહાથે” નિર્માણ થયેલું સંવિધાન સર્વોપરી છે અને તેને હું માનું છું.