દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા

6 માર્ચે પાવર કોર્પોરેશનમાં 17 ડિરેક્ટરોની પસંદગી થવાની છે. જાતિવાદી તત્વોએ જાણી જોઈને દલિત એન્જિનીયરોને કોલ લેટર ન મોકલ્યા. હવે માત્ર સવર્ણો પસંદગી પામશે?
UPPCL Director call latter issue

જાતિવાદ અને વર્ણ વ્યવસ્થાના એપીસેન્ટર ગણાતા યુપીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લખનૌમાં પાવર કોર્પોરેશન(UPPCL) માં 6 માર્ચે થનાર 17 ડિરેક્ટરો (Directors)ની પસંદગી (apointment)માટે અરજી કરનારા દલિત અને પછાત વર્ગના એન્જિનિયરોને ઇન્ટરવ્યુ માટે કોલ લેટર (Call latter) જ મોકલવામાં ન આવ્યા. હવે આ મામલો ઉગ્ર બન્યો છે અને એન્જિનિયર સંગઠનોએ પાવર કોર્પોરેશન મેનેજમેન્ટ પર મનમાની કરવાનો અને જાતિવાદ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે અરજી કરનારા તમામ એન્જિનિયરોને ઇન્ટરવ્યુ માટે કોલ લેટર મોકલવાની માંગ કરવામાં આવી છે અને પસંદગી પ્રક્રિયા રદ કરવાની સાથે મનસ્વી રીતે વર્તનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સવર્ણ એન્જિનિયરીનો કોલ લેટર મોકલ્યા, દલિતોને બાકાત રાખ્યા
ઉલ્લેખનીય છે કે યુપીના વિવિધ પાવર કોર્પોરેશનોમાં 17 ડિરેક્ટરોની પસંદગી થવા જઈ રહી છે. ઇન્ટરવ્યુ 6 માર્ચે યોજાવાનો છે. ઇન્ટરવ્યુ માટે સવર્ણ જાતિના એન્જિનિયરોને સમયસર કોલ લેટર્સ મોકલવામાં આવ્યા છે. પરંતુ દલિત અને પછાત વર્ગના ઇજનેરોનો આરોપ છે કે તેમને કોલ લેટર મોકલવામાં આવ્યા નહોતા.

આ પણ વાંચોઃ સરપંચ સહિત 5 લોકોએ દલિત યુવકને માર મારી બાઈક તોડી નાખ્યું

આ બાબતે ગઈકાલે સાંજે પાવર ઓફિસર્સ એસોસિએશનની સ્થાનિક કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પસંદગી માટે લાયક હોવા છતાં દલિત અને પછાત વર્ગના એન્જિનિયરોને સમયસર કોલ લેટર ન મોકલવા અને પોતાની જાતિના માનીતા એન્જિનિયરોને બોલાવવા બદલ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર પણ મોકલવામાં આવ્યો હતો
એસોસિએશનના પ્રમુખ આરપી કેન, કાર્યકારી પ્રમુખ અવધેશ કુમાર વર્મા, ઉપપ્રમુખ પીએમ પ્રભાકર, નેકીરામ, વેદ પ્રકાશ કૌશલ, સંગઠન સચિવ હરિશ્ચંદ્ર વર્મા વગેરેએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દલિત અને પછાત વર્ગના એન્જિનિયરોને ઇન્ટરવ્યુ માટે ન બોલાવીને તેમની સાથે ભેદભાવ દાખવી રહ્યું છે. આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંબોધીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં ન્યાય માટે વિનંતી કરવામાં આવી છે. તેમજ ડિરેક્ટરોની પસંદગી પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મહાકુંભમાં રૂદ્રાક્ષથી લઈને ઘી, ચંદન સહિત બધું નકલી વેચાયું

Yogi Adityanath

54 એન્જિનિયરોમાંથી માત્ર 19 ને જ બોલાવ્યા
ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કાઉન્સિલ એન્જિનિયર્સ એસોસિએશને પણ ઉર્જા નિગમોમાં ડિરેક્ટરોની જગ્યાઓ માટેના ઇન્ટરવ્યુમાં જાતિવાદ અને મનમાનીનો આરોપ લગાવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોતાની જાતિના માનીતા લોકોને ડિરેક્ટર બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ જ કારણ છે કે બધા એન્જિનિયરોને ઇન્ટરવ્યુ માટે કોલ લેટર્સ મોકલવામાં આવ્યા નથી. ડિરેક્ટર પદ માટે 54 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમાં ફક્ત 19 વિભાગીય ઇજનેરો છે. જ્યારે 35 બહારના લોકો છે. એસોસિએશનના જનરલ સેક્રેટરી જીતેન્દ્ર સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ઊર્જા નિગમોના ખાનગીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ખાનગી કંપનીઓમાં કામ કરતા બહારના લોકોને ડિરેક્ટર બનાવવાના પ્રયાસોનો વિરોધ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે તાજેતરના ભૂતકાળમાં ઊર્જા નિગમોમાં આંતરિક વિભાગીય ઇજનેરોને પ્રાધાન્ય આપવાને બદલે, અન્ય રાજ્યો/કેન્દ્ર સરકારના ઉપક્રમોના લોકોને ડિરેક્ટરના પદો માટે પસંદ કરવામાં આવ્યા હતા. યુનિયને મુખ્યમંત્રીને પત્ર મોકલીને આ મામલે વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર પ્રક્રિયા રદ કરવા માંગ કરી છે.

આ પણ વાંચોઃ સરપંચની ચૂંટણી હારી જતા મુખીએ દલિતવાસ પર હુમલો કર્યો

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x