ઇન્ટરનેટ સમાજને ભાગલા તરફ દોરી રહ્યું છે: CJI બી.આર.ગવઈ

CJI બી.આર.ગવઈએ લંડનની કેમ્બ્રિજ યુનિ.માં ઈન્ટરનેટ કેવી રીતે સામાજિક ભેદભાવનું નવું માધ્યમ બની રહ્યું છે તેના વિશે વિસ્તૃત વાત કરી હતી.
cji b r gavai

દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું છે કે માહિતી ટેકનોલોજીના યુગમાં, ઇન્ટરનેટ સમાજને વિભાજન તરફ દોરી રહ્યું છે. ‘ન્યાય વિતરણ પદ્ધતિમાં ટેકનોલોજીની બેવડી ભૂમિકા’ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે આજના યુગમાં ઇન્ટરનેટ સામાજિક ભેદભાવનું એક નવું સાધન બની ગયું છે. ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઉપકરણો અને ડિજિટલ સાક્ષરતા સુધી સમાજના તમામ વર્ગોની અસમાન પહોંચના કારણે હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમાજોનો બહિષ્કાર થઈ શકે છે, જેઓ જેઓ પહેલાથી જ ન્યાય માટે અનેક પ્રકારની અડચણોનો સામનો કરી રહ્યા છે.

સીજેઆઈ ગવઈએ કહ્યું, “વાસ્તવમાં ન્યાય પ્રદાન કરવાની દિશામાં પહોંચ અને સમાવેશના આધારે ટેકનોલોજીની ડિઝાઈનનો આધાર હોવો જોઈએ.” તેમણે કહ્યું કે ડિજિટલ સાધનોએ ન્યાયિક તર્કને મદદ કરવી જોઈએ, તેને બદલવું જોઈએ નહીં. ટેક્નોલોજીએ ન્યાયિક કાર્યો, ખાસ કરીને તર્કસંગત નિર્ણય લેવા અને વ્યક્તિગત મામલાના મૂલ્યાંકનને રિપ્લેસ કરવાને બદલે વધારવું જોઈએ. ટેકનોલોજી બધા માટે સુલભ હોય તે રીતે ડિઝાઇન થવી જોઈએ.

આ પણ વાંચો: હવે ‘જજનો દીકરો જજ’ નહીં બને, સુપ્રીમ કોર્ટ Nepotism પર બ્રેક લગાવશે?

AI ના ઉપયોગ માટે માપદંડો વિકસાવવા જોઈએ: CJI

CJI ગવઈ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘ન્યાયની પહોંચ સુધારવામાં ટેકનોલોજીની ભૂમિકા’ વિષય પર બોલી રહ્યા હતા. તેમના સંબોધનમાં તેમણે અદાલતોમાં ટેકનોલોજી-આધારિત ફેરફારોને સંચાલિત કરવા માટે નીતિ માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે એ પણ ભાર મૂક્યો કે અદાલતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ માટે ધોરણો વિકસાવવા જોઈએ.

સ્વચાલિત સાધનો પર આંધળો વિશ્વાસ ન કરો: CJI

સીજેઆઈએ કહ્યું કે નીતિઓમાં હસ્તક્ષેપ વિના ન્યાય વિતરણની પદ્ધતિમાં કોઈ ક્રાંતિ થઈ શકે નહીં. તેમણે સ્વચાલિત કાયદાકીય સાધનો પર આંધળો વિશ્વાસ કરવા સામે પણ ચેતવણી આપી છે. તેમણે અલ્ગોરિધમિક પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ડિજિટાઇઝેશનથી વિલંબ ઓછો થયો છે અને દેખરેખ પદ્ધતિઓમાં સુધારો થયો છે, પરંતુ આ પ્રગતિ બંધારણીય મૂલ્યો દ્વારા સંચાલિત થવી જોઈએ.

નીચલા વર્ગના લોકોને પણ ટેકનોલોજીનો લાભ મળવો જોઈએ: સીજેઆઈ

મુખ્ય ન્યાયાધીશ ગવઈએ વધુમાં જણાવ્યું હતું કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દૂરના વિસ્તારોના વકીલોને પણ સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપીને કોર્ટ સુધી પહોંચનું લોકશાહીકરણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, સમાજના નીચલા વર્ગના લોકોને પણ ટેકનોલોજીનો લાભ મળવો જોઈએ, જે તેમના માટે હજુ પણ એક દૂરનું સ્વપ્ન છે.

આ પણ વાંચો: Justice B R Gavai દેશના પહેલા બૌદ્ધ CJI બન્યાં

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x