150 કરોડના ખર્ચે બન્યું RSS નું હેડક્વાર્ટર Keshav Kunj

દિલ્હીના ઝંડેવાલામાં સ્થિત RSS ના હેડક્વાર્ટરને Kushav Kunj નામ અપાયું છે. 4 એકરમાં ફેલાયેલા સંઘના આ મુખ્યાલય પાછળ રૂ. 150 કરોડ ખર્ચાયા છે.
keshavkunj

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ બુધવારે દિલ્હીમાં તેના નવા કાર્યાલય સંકુલ ‘કેશવ કુંજ’ (Keshav Kunj) નું ઉદ્ઘાટન કર્યું. તે આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને આશરે 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. તેમાં ટાવર, ઓડિટોરિયમ, પુસ્તકાલય, હોસ્પિટલ અને હનુમાન મંદિરનો સમાવેશ થાય છે. આ બિલ્ડીંગ ₹150 કરોડના ખર્ચે જાહેર દાન દ્વારા બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. તેનો ઉદ્દેશ્ય RSS ના વધતા કાર્યને ટેકો આપવાનો છે.

keshavkunj 2

કેશવ કુંજને કાર્યક્રમો, તાલીમ અને મીટિંગ્સ માટે એક આદર્શ સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પુસ્તકાલય સંશોધન કાર્યને ટેકો આપશે, જ્યારે ઓડિટોરિયમમાં મોટા કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. આ સંકુલમાં પાંચ પથારીની એક હોસ્પિટલ પણ છે.

આ પણ વાંચો: RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?

સંઘનું આ કેમ્પસ દિલ્હીના ઝંડેવાલામાં આવેલું છે. 4 એકરમાં ફેલાયેલા કેશવ કુંજ (Keshav Kunj) ના નિર્માણમાં રૂ. ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેના વિશાળ કદને કારણે તે ભાજપના હેડક્વાર્ટર કરતા પણ મોટું છે. તેમાં RSS કાર્યાલય, રહેણાંક જગ્યા અને અન્ય પ્રવૃત્તિઓ માટેની સુવિધાઓ છે.

RSS ના નવા હેડક્વાર્ટરમાં ત્રણ ટાવર છે. તેમનું નામ સાધના (Sadhana), પ્રેરણા (Prerana) અને અર્ચના (archana) રાખવામાં આવ્યું છે. આ ટાવર્સમાં કુલ 300 રૂમ છે. સાધના ટાવરમાં સંગઠનની ઓફિસ છે. બાકીના બેમાં રહેણાંક સંકુલ છે. આ બે રહેણાંક ટાવર વચ્ચે એક મોટી ખુલ્લી જગ્યા છે, જેમાં એક બગીચો અને RSS ના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારની પ્રતિમા મૂકવામાં આવી છે.

keshavkunj1

કેશવ કુંજ (Keshav Kunj) સંકુલમાં ૧૩૫ કાર માટે પાર્કિંગ સુવિધા છે, જેને ભવિષ્યમાં ૨૭૦ કાર સુધી વધારી શકાય છે. રિપોર્ટ અનુસાર, આ સંકુલના નિર્માણ માટે RSS કાર્યકરો અને સંઘ સાથે સંકળાયેલા લોકોએ દાન આપ્યું છે. લગભગ 75,000 લોકોએ 5 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીનું યોગદાન આપ્યું છે.

આ બિલ્ડીંગ પરંપરાગત રાજસ્થાની અને ગુજરાતી સ્થાપત્યથી શણગારેલી છે. તેમાં 1,000 ગ્રેનાઈટ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાકડાનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો છે. આ કાર્યાલયમાં એક પુસ્તકાલય પણ છે જે ‘કેશવ પુસ્તકાલય’ (Keshav Library) તરીકે ઓળખાશે. અહીં RSS નું સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: AAP એ હિન્દુત્વવાદી મતદારો તૈયાર કર્યા, પરિણામ તમારી સામે છે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x