PM Modi જન્મથી OBC નથી, તેલંગાણાના સીએમનો ગંભીર આરોપ

રેવંત રેડ્ડીએ PM Modi પર આરોપ લગાવ્યો કે તેમની માનસિકતા OBC વિરોધી છે અને ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા PM Modi સવર્ણ જાતિના હતા.
Revanth Reddy

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (Telangana Chief Minister Revanth Reddy) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી (PM Modi) જન્મથી OBC નથી. રેવંત રેડ્ડીના આ નિવેદનથી ભારે વિવાદ થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેમના આ નિવેદનને અસામાજિક અને બેજવાબદાર ગણાવ્યું છે. તેલંગાણામાં જાતિ સર્વેક્ષણ અંગે ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતી વખતે રેવંત રેડ્ડીએ આ નિવેદન આપ્યું હતું.

રેવંત રેડ્ડીએ પીએમ મોદી પર પછાત વર્ગ વિરોધી માનસિકતા (anti-backward class mindset) ધરાવતા હોવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા સવર્ણ જાતિના હતા. રેવંત રેડ્ડીએ સરકારના જાતિ સર્વેક્ષણના અહેવાલ બાદ આ નિવેદન આપ્યું છે.

ભાજપે પણ આ મામલે વળતો પ્રહાર કર્યો છે. રેવંત રેડ્ડીના નિવેદન પછી ભાજપના નેતાઓએ તેમને નિશાન બનાવતી ઘણી પોસ્ટ કરી. રેવંત રેડ્ડીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી (G Kishan Reddy)એ કહ્યું કે મુખ્યમંત્રીએ તથ્યોના આધારે નિવેદનો આપવા જોઈએ. તેમણે કહ્યું, “રેવંત રેડ્ડી આટલી બેજવાબદારીથી કેવી રીતે બોલી શકે? જ્યારે તમે કોઈ નિવેદન આપો છો, તો તે તથ્યો પર આધારિત હોવું જોઈએ.”

કિશન રેડ્ડીએ એમ પણ કહ્યું કે મોદી સરકારે પછાત વર્ગોના કલ્યાણ માટે અનેક પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે પછાત વર્ગ આયોગને મોદીના વડા પ્રધાન બન્યા પછી જ બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો, જ્યારે કોંગ્રેસની સરકારો દરમિયાન આવું બન્યું ન હતું.

ભાજપે રેવંત રેડ્ડીના નિવેદનનો સખત વિરોધ કર્યો અને પાર્ટીના નેતા એન રામચંદ્ર રાવે તેને સસ્તી લોકપ્રિયતા ગણાવી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારના જાતિ સર્વેક્ષણની નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા માટે આ નિવેદન જાણી જોઈને આપવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું, “કોંગ્રેસના મંત્રીઓએ પોતે કહ્યું હતું કે સમગ્ર વસ્તી ગણતરી ફરીથી જોવી જોઈએ કારણ કે કેટલાક લોકોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.”

આ પણ વાંચો: વર્ષ 2024માં લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો

ભાજપના OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણે (K Laxman) રેવંત રેડ્ડીના નિવેદનને ખોટું ગણાવ્યું અને યાદ અપાવ્યું કે કોંગ્રેસ સરકાર દરમિયાન 1994માં પીએમ મોદીની જાતિને OBC યાદીમાં સામેલ કરવામાં આવી હતી. કે લક્ષ્મણે કહ્યું, “મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનું પીએમ નરેન્દ્ર મોદીની જાતિ અંગેનું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે. ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા પીએમ મોદીની જાતિને વર્ષ 1994માં ગુજરાત સરકારની OBC યાદીમાં 1994માં સામેલ કરવામાં આવી હતી અને એ પછી વર્ષ 2000માં કેન્દ્રની યાદીમાં સામેલ કરાઈ હતી. ”

કેન્દ્રીય મંત્રી બંદી સંજયે (Bandi Sanjay) પણ રેવંત રેડ્ડીને ઘેરતા કહ્યું, “તમારું રિસર્ચ એટલું નિષ્ફળ ગયું કે તમે એક હકીકત ભૂલી ગયા. પીએમ નરેન્દ્ર મોદીની જાતિને વર્ષ 1994માં કોંગ્રેસના શાસનમાં OBC તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.”

ત્યારબાદ બંદી સંજયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને પૂછ્યું, “હવે મને કહો, રાહુલ ગાંધી કઈ જાતિના છે? તેમનો ધર્મ શું છે? શું તેમને ખબર છે? તેમના દાદા ફિરોઝ જહાંગીર ગાંધી હતા. હિન્દુ પરંપરામાં, જાતિ પિતાના વંશ સાથે જોડાયેલી હોય છે.”

તેમણે પડકાર ફેંક્યો કે જો કોઈને ચર્ચા કરવી હોય કે કોણે કાયદેસર રીતે ધર્માંતરણ કર્યું છે તો મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 10 જનપથ (સોનિયા ગાંધીના નિવાસસ્થાન) થી શરૂઆત કરવી જોઈએ..

આ પણ વાંચો: દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારતે આગેવાની લીધી?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x