આકાશ આનંદ પર કાર્યવાહી બાદ Udit Raj એ બસપાઈઓને શું સલાહ આપી?

Udit Raj એ આકાશ આનંદને BSP ના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા બાદ ફરી Mayawati ની ટીકા કરી. સાથે BSP ના કાર્યકરોને પણ એક સલાહ આપી દીધી. જાણો શું કહ્યું.
Udit raj Akash Anand Mayawati

આકાશ આનંદ(Akash Anand)ને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા બાદ ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા ઉદિત રાજે (Udit Raj) બસપા (BSP) ના વડા માયાવતી (Mayawati) ની આકરી ટીકા કરી છે. તેમણે બસપા નેતાઓને સલાહ આપીને કોંગ્રેસમાં જોડાવાની અપીલ કરી. તેમણે આ મામલે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે બસપા વડાએ બહુજન આંદોલનને પ્રભાવિત કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે બસપા સુપ્રીમોના કાર્યો તેમના પોતાના પક્ષને પતન તરફ દોરી રહ્યા છે.

ઉદિત રાજે (Udit Raj) કહ્યું કે જ્યારે મેં કહ્યું કે માયાવતીએ બસપાનું ગળું દબાવી દીધું છે અને હવે તેમનું ગળું દબાવી દેવું જોઈએ, ત્યારે તેને ખોટા અર્થમાં લેવામાં આવ્યું. મારો કહેવાનો મતલબ ફક્ત એટલો હતો કે બહુજન આંદોલનના લોકોએ બસપાથી દૂર રહેવું જોઈએ. પરંતુ મારા આ નિવેદન પછી મારા પર ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી. મારી હત્યા માટે ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે રવિવારે બસપા વડાએ આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.

ઉદિત રાજે વધુમાં કહ્યું કે આ પહેલા પણ આકાશ આનંદ જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે તેમને ઉત્તરાધિકારી પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. રવિવારે, આકાશને પાર્ટીની બધી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા. હવે આંદોલન સાથે સંકળાયેલા લોકો પાસે કયા વિકલ્પો છે? તેમણે હવે કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. તમારે તમારા હકો માટે લડવું પડશે. કોંગ્રેસ તેમની સાથે છે. હવે બસપા પાસે દલિતો અને પછાત વર્ગોના અધિકારો માટે લડવાનું મિશન નથી રહ્યું.

તમને જણાવી દઈએ કે રવિવારે બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દીધા હતા. એ પહેલા તેમણે આકાશના સસરા અશોક સિદ્દાર્થને પણ દૂર કર્યા હતા. હવે માયાવતીના ભાઈ આનંદ કુમાર અને રામજી ગૌતમને રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. આનંદ કુમાર પહેલાની જેમ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ જાળવી રાખશે. ખાસ વાત એ હતી કે આકાશ આનંદને રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં પણ બોલાવવામાં આવ્યા ન હતા. પાર્ટીના બંને નવા સંયોજકો સીધા માયાવતીને રિપોર્ટ કરશે. માયાવતીએ એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી હું જીવિત છું અથવા મારા છેલ્લા શ્વાસ સુધી પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Durgeshkumar
Durgeshkumar
3 months ago

💙જય ભીમ 👑🙏🏻

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x