આકાશ આનંદ(Akash Anand)ને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા બાદ ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા ઉદિત રાજે (Udit Raj) બસપા (BSP) ના વડા માયાવતી (Mayawati) ની આકરી ટીકા કરી છે. તેમણે બસપા નેતાઓને સલાહ આપીને કોંગ્રેસમાં જોડાવાની અપીલ કરી. તેમણે આ મામલે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે બસપા વડાએ બહુજન આંદોલનને પ્રભાવિત કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે બસપા સુપ્રીમોના કાર્યો તેમના પોતાના પક્ષને પતન તરફ દોરી રહ્યા છે.
ઉદિત રાજે (Udit Raj) કહ્યું કે જ્યારે મેં કહ્યું કે માયાવતીએ બસપાનું ગળું દબાવી દીધું છે અને હવે તેમનું ગળું દબાવી દેવું જોઈએ, ત્યારે તેને ખોટા અર્થમાં લેવામાં આવ્યું. મારો કહેવાનો મતલબ ફક્ત એટલો હતો કે બહુજન આંદોલનના લોકોએ બસપાથી દૂર રહેવું જોઈએ. પરંતુ મારા આ નિવેદન પછી મારા પર ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી. મારી હત્યા માટે ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે રવિવારે બસપા વડાએ આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.
जब मैंने 17 फ़रवरी को लखनऊ में कहा मायावती जी ने बहुजन आंदोलन का गला घोटा है और अब इनका घोटना है । आज आकाश आनंद को सारे पदों से मुक्त करके उस दिशा में ख़ुद वही काम कर दिया है। कभी उत्तराधिकारी बना देना , फिर उतार देना और आज सभी पदों से मुक्त कर देना । इतना भयंकर भूल कोई न करेगा…
— Dr. Udit Raj (@Dr_Uditraj) March 2, 2025
ઉદિત રાજે વધુમાં કહ્યું કે આ પહેલા પણ આકાશ આનંદ જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે તેમને ઉત્તરાધિકારી પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. રવિવારે, આકાશને પાર્ટીની બધી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા. હવે આંદોલન સાથે સંકળાયેલા લોકો પાસે કયા વિકલ્પો છે? તેમણે હવે કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. તમારે તમારા હકો માટે લડવું પડશે. કોંગ્રેસ તેમની સાથે છે. હવે બસપા પાસે દલિતો અને પછાત વર્ગોના અધિકારો માટે લડવાનું મિશન નથી રહ્યું.
दलितों को घुटने टेकने वाली नेता सुश्री मायावती नहीं चाहिए। 2024 के लोकसभा चुनाव के दौरान मायावती जी ने आकाश आनंद को उत्तराधिकारी बनाने से मना कर दिया था । फिर 47 दिन बाद 23 जून को उत्तराधिकारी बना दिया। इस फ़रवरी में उत्तराधिकारी के पद से हटा दिया। फिर 2 मार्च को सभी पदों से…
— Dr. Udit Raj (@Dr_Uditraj) March 3, 2025
તમને જણાવી દઈએ કે રવિવારે બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દીધા હતા. એ પહેલા તેમણે આકાશના સસરા અશોક સિદ્દાર્થને પણ દૂર કર્યા હતા. હવે માયાવતીના ભાઈ આનંદ કુમાર અને રામજી ગૌતમને રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. આનંદ કુમાર પહેલાની જેમ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ જાળવી રાખશે. ખાસ વાત એ હતી કે આકાશ આનંદને રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં પણ બોલાવવામાં આવ્યા ન હતા. પાર્ટીના બંને નવા સંયોજકો સીધા માયાવતીને રિપોર્ટ કરશે. માયાવતીએ એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી હું જીવિત છું અથવા મારા છેલ્લા શ્વાસ સુધી પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.
💙જય ભીમ 👑🙏🏻