Both dalit daughters of karnaval village in mathura got married : 15 દિવસ પહેલા મથુરામાં બે દલિત બહેનોના લગ્નની જાન પર જાતિવાદી ઠાકુરોએ હુમલો કર્યો હતો. લુખ્ખા તત્વોએ બંને બહેનોને દોડાવીને માર માર્યો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે લગ્ન રદ કરવામાં આવ્યા હતા અને વર પક્ષ જાન પાછી લઈને જતો રહ્યો હતો. એ પછી પીડિતાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકાર અને ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે આ બાબતની નોંધ લીધી અને પીડિત પરિવારને મદદ કરવા આગળ આવ્યા અને પછી પરસ્પર સંમતિથી બંને બહેનોના લગ્ન ફરી એકવાર નક્કી કરવામાં આવ્યા અને ખૂબ જ ધામધૂમથી પૂર્ણ કરવામાં આવ્યા છે.
मथुरा के करनावल गांव में पुलिस के सहयोग से और समाज की सहयोग से दोनों बेटियों का विवाह पूरे धूमधाम से संपन्न किया गया ll@BhimArmyChief @NaginaASP @omveerbauddh @HimanshuValmi13 @AbdulWahid046 @abhijatav07 @Kamalwalia_ @Manjeetsnotiyal @Jeetuch93016403 @VickyParcha17 pic.twitter.com/6z5miZ5QEu
— Dhiraj Bharti (@DhirajB25043880) March 8, 2025
આ પણ વાંચો: વર વિના 20 કન્યાઓના લગ્ન કરી દેવાયા, સર્ટિફિકેટ પણ મળ્યાં!
મામલો શું હતો?
મથુરાના કરનાવલ ગામમાં ગઈકાલે બંને દલિત દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા. ૨૧ ફેબ્રુઆરીના રોજ જાતિવાદી ગુંડાઓએ કરેલા હુમલાને કારણે બંને દીકરીઓની જાન પરણ્યાં વિના જ પરત ફરી હતી. હવે પંદર દિવસ પછી બંનેના લગ્ન કરાવાયા છે.
આ લગ્ન પ્રસંગમાં સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ અને કોંગ્રેસના સાંસદ તનુજ પુનિયાએ હાજરી આપી હતી. બંનેએ દીકરીઓને એક-એક લાખ રૂપિયા આપ્યા. આ દીકરીઓના લગ્ન માધોપુરથી આવેલા બે સગા ભાઈઓ સાથે થયા હતા. લગ્ન સમારોહમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. આઝાદ સમાજ પાર્ટીના પ્રદેશ સચિવ આલોક યાદવે કન્યાદાન તરીકે 21 હજાર રૂપિયા આપ્યા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે વીડિયો કોલ દ્વારા બંને બહેનોને લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત રાજ્યમંત્રી અસીમ અરુણે મંડપમાં સ્થાપિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માળા અર્પણ કરી.
વરરાજાના પરિવારે મંત્રી પાસે બંને જમાઈઓ માટે નોકરી અને બે લાઇસન્સની માંગણી કરી. જે બાદ મંત્રીએ આ માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
शर्म तो नहीं आ रही होगी ना हिन्दुओ तुम्हे अपने आप पर
तुम कहते हो की जातिवाद खत्म हो गया
यहाँ दलित लड़कियों की शादियों में पुलिस का पहरा है
पुलिस फ्लैग मार्च निकाल रहा हैमथुरा के गांव करनावल में आज फिर दलित दुल्हनों की आ रही है बारात सुरक्षा व्यवस्था काफी ज्यादा मजबूत,… pic.twitter.com/kIjmNnm5VM
— sureshmehar (@Sureshmehar__) March 7, 2025
ઘટનાની ગંભીરતાને જોઈને મંત્રીઓ અને સાંસદોએ લગ્નમાં હાજરી આપી દલિત પરિવારને ટેકો આપ્યો હતો. યોગી સરકારના મંત્રી અસીમ અરુણે કહ્યું કે ઘટનાના તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર દલિત સમાજની સાથે છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પગલાં લેશે.
આ પણ વાંચો: મોદી સરકારે SC વિદ્યાર્થીઓની Scholarship 57 ટકા ઘટાડી?