ચંદ્ર ગોવિંદ દાસ સામે સુરતમાં રાજદ્રોહ-એટ્રોસિટીની અરજી થઈ

ભારતનું બંધારણ લખનાર 'મૂર્ખ' હતા એવું વિવાદાસ્પદ નિવેદન કરનાર ઈસ્કોનના કથિત સાધુ ચંદ્ર ગોવિંદદાસ સ્વામી સામે સુરતમાં વધુ એક અરજી થઈ છે.
chandra govind das

સુરત ઈસ્કોનના કથિત સાધુ અને ભારતનું બંધારણ લખનાર બધાં ‘મૂર્ખ’ હતા તેવું વિવાદાસ્પદ નિવેદન કરી બંધારણના ઘડવૈયાઓનું અપમાન કરનાર ચંદ્ર ગોવિંદદાસ વિરુદ્ધ રાજદ્રોહ અને એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે સુરત શહેરમાં બહુજન સમાજના જાગૃત લોકો દ્વારા પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે. આ અરજીમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર સહિત બંધારણ સભાના 389 સભ્યોનું જાહેરમાં અપમાન કરનાર ચંદ્ર ગોવિંદદાસ સામે રાજદ્ગોહ, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા વિનંતી કરવામાં આવી છે.

સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પૂંજાભાઈ નાગરે સુરત પોલીસ કમિશનરને આપેલી અરજીમાં માંગ કરી છે કે, ઈસ્કોન સાથે જોડાયેલા કથાકાર ચંદ્ર ગોવિંદદાસે જાહેરમાં ભારતીય બંધારણનું અપમાન કરી બંધારણ સભા તથા બંધારણના ઘડવૈયાઓને મૂર્ખાઓ કહી બંધારણને સ્ત્રીઓને વ્યભિચારમાં ધકેલી દેનારું કહી જાહેરમાં બંધારણ સભાના વડા અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણના ઘડવૈયા, વિશ્વવિભૂતિ, આઝાદ ભારતના પ્રથમ કાયદામંત્રી, કરોડો વંચિતો-શોષિતોના મસિહા ડો.આંબેડકર અને બંધારણ સભાના 389 સભ્યોનું જાહેરમાં ધાર્મિક પ્રચાર માધ્યમમાં માઈક પર જાહેર અપમાન કર્યું છે. આથી તેમના પર દેશના સાર્વભૌમત્વ પર શાબ્દિક પ્રહાર કરવા બદલે રાજદ્રોહ અને દલિતો,આદિવાસીઓનું અપમાન કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: કાર ધીમે ચલાવવાનું કહેતા 6 દલિતો પર થાર ચડાવી દીધી

અરજીકર્તા પ્રેમજીભાઈ નાગરે આરોપી ચંદ્ર ગોવિંદદાસ વિરુદ્ધ તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી તેમની ધરપકડની માંગ કરી છે. સાથે જ જાહેરમાં ક્રાઈમ સીનનું રિ કન્ટ્રક્શન કરી તાત્કાલિક ચાર્જશીટ કરી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી વિનંતી કરી છે.

અરજીકર્તા પ્રેમજીભાઈએ ચંદ્ર ગોવિંદદાસ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 (ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને ભયમાં મૂકતું કૃત્ય કરવું), બીએનએસની કલમ 197 (1) (ક થી છ) રાષ્ટ્રીય એકતાને વિધાનક આક્ષેપ કે કથનો કરવા બાબત, બીએનએસની કલમ 352(સુલેહ શાંતિનો ભંગ કરી લોકોને ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવું), કલમ 45-46-57(કૃત્યનું દુષ્પ્રેરણ અથવા 10થી વધુ લોકોને ગુનો કરવા દુષ્પ્રેરણા આપવી), બંધારણની કલમ 14-15-16નો ભંગ કરવો, અને એટ્રોસિટી એક્ટની કલમ 3-1-10 (જાહેર જનતાની નજરે એસસી-એસટી સમાજના સભ્યને નીચો પાડવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન કરવું અને ધમકી આપવી) મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

ફરિયાદી પ્રેમજીભાઈનું કહેવું છે કે, આ મામલે અમે પોલીસ કમિશનર સુરતને ચંદ્ર ગોવિંદદાસ સામે ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહી કરવા માટે અરજી આપી છે. જો એ મુજબ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી અમે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને ચંદ્ર ગોવિંદદાસ સામે કોર્ટમાં જઈશું અને તેને સજા અપાવીશું.

આ પણ વાંચો:  આભડછેટથી કંટાળી કાલબેલિયા સમાજે પોતાના બાળકોની અલગ સ્કૂલ ખોલી
4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*દેશ વિદેશના ઇસ્કોન સાધુ સંતોની વાણી વર્તન પર ભરોસો કરવો નહિ દલિતોએ જાતિવાદી માનસિક અતિક્રમણના વલણનો જબરદસ્ત વિરોધ કરવો જોઈએ.

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x