ભારતમાં મહિલાઓને આજે જે કંઈપણ હક-અધિકારો મળ્યાં છે તે ડો.બાબાસાહેબ આંબેડકરના બંધારણને કારણે મળ્યાં છે. જો કે, ધર્માંધ અને જાતિવાદી સવર્ણ મહિલાઓને એ વાત ગળે ઉતરતી નથી. હજુ પણ ધર્માંધ સવર્ણ મહિલાઓ આભડછેટ અને મનુસ્મૃતિના રિવાજો મુજબ દલિતોનો વિરોધ કરવામાં પાછી પડતી નથી. આવી જ એક ઘટનામાં એક મનુવાદી મહિલાએ દલિત વરરાજા ઘોડી પર ચઢીને નીકળતા તેમના પર પથ્થરમારો કરી દીધો હતો.
ઘટના મધ્યપ્રદેશના બુંદેલખંડની છે. અહીં આજે પણ મનુવાદી વિચારધારાના મૂળિયા ભારે ઉંડા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સવર્ણ મહિલાઓ હજુ પણ દલિતોને પોતાના ગુલામ સમજે છે અને તેમના પર અત્યાચાર કરવામાં જરાય પાછી પાની નથી કરતી. બુંદેલખંડના ટીકમગઢના મોખરા ગામમાં આવી જ એક જડ મનુવાદી મહિલાને દલિત વરરાજા ઘોડી પર બેસીને તેના ઘર પાસેથી પસાર થયા તે ન ગમતા વરરાજા પર પથ્થરમારો કરી દીધો હતો.
આ પણ વાંચો: 26 હજાર હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણને ‘ડો.આંબેડકર’ નામ અપાયું
બડાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મોખરા ગામના દલિત યુવક જિતેન્દ્ર અહિરવારની જાન સાગર ગામે જવાની હતી. બુંદેલખંડના ગામડાઓમાં એક સામાજિક પરંપરા છે કે, વરરાજા જાન લઈને પરણવા માટે જાય તે પહેલા ગામમાં તેમનું ફૂલેકું ફરે છે. બુંદેલખંડમાં આ પરંપરાને રછવાઈ (રાશ) કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં, વરરાજા ઘોડી પર સવારી કરે છે અને ગામમાં ફરે છે, જ્યાં તેના સંબંધીઓ અને સમાજના લોકો તેના કપાળ પર તિલક લગાવે છે અને સન્માન તરીકે રૂપિયા અને ભેટસોગાદ આપે છે.
મોખરા ગામમાં જ્યારે વરરાજા જિતેન્દ્ર અહિરવાર આ પરંપરા મુજબ ઘોડી પર સવાર થઈને બહાર આવ્યો તો ગામના કથિત ઉચ્ચ જાતિના લોકોથી તે સહન ન થયું. એ પછી જ્યારે રછવાઈનો વરઘોડો તેમના ઘરના દરવાજા પાસેથી પસાર થયો ત્યારે ઘરના પુરુષો અને સ્ત્રીઓએ વરરાજા અને તેના પરિવારના સભ્યો અને સંબંધીઓ પર હુમલો કર્યો અને તેમને માર માર્યો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
ઘટના બાદ વરરાજા સહિતના સૌ પીડિતો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે દાદાગીરી કરનાર મનુવાદી મહિલા ભાનકુંવર પરમારની ધરપકડ કરી લીધી છે. જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે.
આ પણ વાંચો: યુપીના રામપુરમાં 11 વર્ષની બહેરી-મૂંગી દલિત બાળકી પર બળાત્કાર
પોલીસ અધિકારી નરેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે બપોરે લગભગ 3:30 વાગ્યે દલિત વરરાજા પર હુમલો થયો હતો. જ્યારે વરઘોડો સૂર્યપાલ પરમાર અને ધ્રિકપાલ પરમારના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની માતા ભાનકુંવર ગુસ્સે ભરાઈ હતી. તેનું માનવું હતું કે એક દલિત છોકરો તેના ઘર આગળથી ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. તે દલિત છે અને દલિતો કદી ઘોડી પર બેસીને વરઘોડો ન કાઢી શકે. આ અધિકાર માત્ર તેમની જાતિના લોકોને જ છે. ઘોર મનુવાદી ભાનકુંવર પરમારે એ પછી વરરાજા અને તેના વરઘોડા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં વરપક્ષના અનેક લોકો ઘાયલ થયા હતા.
હુમલાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મુખ્ય આરોપી ભાનકુંવરની ધરપકડ કરી હતી. જ્યારે તેના ફરાર બે પુત્રો સૂર્યપાલ અને ધ્રિકપાલ પરમાર પોલીસની બીકે ઘર છોડીને ભાગી ગયા છે. પોલીસે બંનેને પકડી પાડવા માટે એક ટીમ કામે લગાડી છે. ટૂંક સમયમાં તેઓ પણ મનુવાદી માતા ભાનકુંવરની જેમ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ જેલના સળિયા ગણતા હશે.
પથ્થરમારાનો વીડિયો સામે આવ્યો
મધ્યપ્રદેશના ટીકમગઢના મોખરા ગામમાં દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. જે ભાનકુંવર પરમાર નામની મનુવાદી મહિલાથી સહન ન થતા તેણે દલિત વરરાજા પર પથ્થરમારો કરી દીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. #MPNews #tikamgarh #dalitgroomattack #castiesm #dalitlivesmatter pic.twitter.com/C84othYX2h
— khabar Antar (@Khabarantar01) April 26, 2025
મનુવાદી ભાનકુંવરે દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો કર્યો તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ભાનકુંવર પથ્થરમારો કરતી દેખાય છે. શુક્રવારે બપોરે જ્યારે જીતેન્દ્ર ઘોડી પર સવારી કરીને બહાર આવ્યો ત્યારે ભાનકુંવરે સૌથી પહેલા તેના પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે સાંજે વાયરલ થયો હતો. હુમલા બાદ વરરાજા જીતેન્દ્ર અહિરવાર અને તેમનો પરિવાર બારાગાંવ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
ભીમ આર્મીએ આ ઘટનાનો વિરોધ કર્યો છે. ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ સંજુ ચૌધરીએ દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો: દલિત વરરાજાની જાન પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો
पहेलगाव में मरे लोगों के लिए ओल इन्डिया श्रद्धांजलि अर्पित कर रहे हैं,
लेकिन दलितो के लिए ये गुंडी महिला आतंकवादी जैसे लोग दिनभर में सेकंडों बार फायरिंग करते हैं, दलित माता पिता बहु बहन बेटियां और छोटे-छोटे बच्चों को भी मौत के घाट उतारा जा रहा है, बहन बेटियां सुरक्षित नहीं है, रेप गेंगरेप बलात्कार सामुहिक बलात्कार नंगी घुमाया जींदा जलाया एसिड फेंकने जैसी वरदात हर-दिन हों रही है, स्कूलों में पानी पीने जैसी बातों पर दलित बच्चों को मौत के घाट उतारा जा रहा है, दलित बस्तियों और घर जलाया जा रहा है, पुलिस केस दर्ज नहीं कर रहीं हैं, मिडिया न्युज छींपा रहे हैं,जाति देखकर अन्याय किया जा रहा है, दलित मौत पर श्रद्धांजलि तो दुर कि बात है, लाशों को समशान में भी घुसने नहीं दिया जा रहा है,
लेकिन तब भारतीयों का ज़मीर क्यु नहीं जाग जाता है?