દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં RSS કાર્યકર આચાર્યને 10 વર્ષની જેલ

તોરણી શાળામાં 6 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરનાર RSS-BJP સાથે જોડાયેલા આરોપી આચાર્યને કોર્ટે આકરી સજા ફટકારી છે.
Dahod girl rape-murder case

ગુજરાતભરમાં ચકચાર મચાવનાર દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં ભણતી ધોરણ 1ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ થયેલી હત્યાના કેસમાં RSS-BJP સાથે જોડાયેલા શાળાના આચાર્ય ગોવિંદ નટને લીમખેડા સેશન્સ કોર્ટ 10 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ ફટકાર્યો છે.
આરોપીના વકીલના જણાવ્યા અનુસાર, કોર્ટે POCSO અને હત્યાના કેસને નકારી દીધો છે અને કોર્ટે ગંભીર બેદરકારી માટે BNSની કલમ 105(2) હેઠળ સજા કરી છે. પોલીસે જે પણ તપાસ કરી હતી અને જે પુરાવા રજૂ કર્યા હતાં તે કોર્ટે માન્ય નથી રાખ્યા. નોંધનીય છે કે, કોર્ટે આ કલમ હેઠળ થતી વધુમાં વધુ સજા આરોપીને આપી છે.

પોલીસ તપાસ સામે સવાલ ઉઠ્યાં

સમગ્ર મામલે પોલીસ તપાસ અને ચાર્જશીટ પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. POCSO અને હત્યાની કલમનો ચાર્જશીટમાં સમાવેશ હોવા છતાં કોર્ટમાં સાબિત ન થઈ શકવાના કારણે આરોપીને POCSO અને હત્યા મામલે નિર્દોશ જાહેર કરાયો અને ગંભીર બેદરકારીના કારણે 6 વર્ષની બાળકીનું મોત થયું હોવાને લઈને કોર્ટે સજા ફટકારી છે. 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીના દાવા કરવામાં આવી રહ્યા હતા. આ મામલે સરકારે 31 સાક્ષી પણ તપાસ્યા હતાં, આ ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતાં. જોકે, માત્ર 34 સુનાવણીમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો: દાહોદના તોરણીમાં આચાર્ય જ બાળકીનો હત્યારો નીકળ્યો

મામલો શું હતો?

વર્ષ 2024માં દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં ભણથી ધોરણ 1ની વિદ્યાર્થિની નિયતક્રમ મુજબ 19 સપ્ટેમ્બર 2024ને ગુરૂવારના રોજ સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નીકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થિનીને લઈને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ હતી.

શાળાનો આચાર્ય જ હત્યારો નીકળ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, શાળામાં ગોવિંદ નટ નામના આચાર્યે બાળકીની હત્યા કરી હતી. આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે તેની માતા પાસેથી લગભગ 10 વાગ્યાની આસપાસ બાળકીને લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ જ્યારે ત્યાં બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું, જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું. આખો દિવસ બાળકીને ગાડીમાં જ રાખવામાં આવી. ગાડીમાં કાળા કાચ હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જોઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી. શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા તેને શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવવામાં આવી અને પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં.

મોંઢુ દબાતા માસૂમે ઊલટી કરી હતી

ગોવિંદ નટે વિદ્યાર્થી સાથે બળજબરી કરી તેનું મોંઢુ દબાવી રાખતા વિદ્યાર્થીનીએ ઉલ્ટી પણ કરી હતી જેનાથી ગોવિંદના કપડા બગડ્યા હતા. જોકે તેમ છતાં તેને મોંઢુ દબાવી રાખી વિદ્યાર્થિનીની હત્યા કરી હતી અને શાળા છુટ્યા બાદ લાશને સ્કૂલમાં મુકી તે તેની બ્રેઝા કારમાં ગોધરામાં તેના બીજા મકાને ગયો હતો. જયાં તેણે બનાવ સમયે પહેરેલા કપડા બદલ્યા હતા અને કારને પણ વોશ કરાવી હતી.

હત્યારા ગોવિંદને મૃતક વિદ્યાર્થિનીની ઉંમરના બે પૌત્રો છે

ગોવિંદ નટની પત્ની અને બે પુત્રો હાલમાં ગોધરામાં રહે છે અને બંને પુત્રો પરિણીત હોઈ બંનેને એક એક સંતાન છે. પોતાના બે પૈાત્રોની ઉંમરની વિદ્યાર્થિની પર દાનત બગાડી તેની પર બળાત્કારનો પ્રયાસ અને હત્યા કરનાર ગોવિંદની કરતુતો સપાટી પર આવતાં ગોવિંદની પત્ની, બંને સંતાનો તેમજ પુત્રવધુઓ પણ સમગ્ર બનાવથી સ્તબ્ધ થયા છે અને તેઓએ આ સંદર્ભે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો હતો.
આરોપી તેના સમાજમાં ૧૦૮ મહંત ગુરુપ્રસાદ તરીકે ઓળખાવે છે

આ પણ વાંચો: ઝારખંડમાં ટોળાંએ મુસ્લિમ યુવકની માર મારીને હત્યા કરી

Dahod girl rape-murder case

ગોવિંદ નટની પાપલીલાનો પર્દાફાશ થતા જ તેના વિશે અનેક ચોંકાવનારી વિગતો હવે સપાટી પર આવવા માંડી છે. ગોવિંદ નટ તેના સમાજનો માત્ર અગ્રણી જ નહી પરંતું સંત તરીકેની પણ છાપ ધરાવતો હોઈ તેના અનુયાયીઓએ તેને સમાજના મહંત અને ૧૦૮ ગુરુપ્રસાદ તરીકેની પણ પદવી આપી હતી અને તે છાશવારે સમાજમાં મહંતના પદે કાર્યક્રમોમાં હાજરી આપતો હતો.

ગોવિંદ નટ RSS-ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો છે

ગોવિંદ નટ લાંબા સમયથી RSS સાથે જોડાયેલો છે અને તે ભાજપના પ્રચારક તરીકે પણ કામગીરી કરી છે. ગોવિંદ નટ વિશ્વ હિન્દુ પરિષદ દાહોદનો અધ્યક્ષ પણ રહી ચુક્યો છે તેમજ રાષ્ટ્રીય સેવક સંઘ તૃતીય વર્ષ શિક્ષિત વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચુક્યો છે. એટલું જ નહી તે RSS ના કેમ્પમાં ભાગ લીધો હોઈ તેના ખાખી ચડ્ડીવાળા તેમજ રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા પણ સોશ્યલ મિડિયામાં વાયરલ થયા હતા.

આ પણ વાંચો: સુરતમાં ભાજપ મહામંત્રીએ મિત્ર સાથે મળી યુવતી પર ગેંગરેપ કર્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
25 days ago

નરાધમ ને માહોલ ઠંડો પડે પછી છોડી મુકવામાં આવે નહીં એ જોવું જરૂરી છે,

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x