વસ્તી ગણતરી પછી પણ દેશમાં OBC કેટલા તે ખબર નહીં પડે

મોદી સરકારે કમને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવવાનું નક્કી કર્યું છે, પરંતુ એ પછી પણ દેશમાં OBC ની વસ્તી કેટલી છે તે ખબર નહીં પડે.
the census the number of obcs

દેશમાં 2027માં જાતિ ગણતરી થવાની છે. આ વર્ષે વસ્તી ગણતરીમાં સરકારી કર્મચારીઓ પણ જાતિ સાથે જોડાયેલા પ્રશ્નો પણ પૂછશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરીમાં જાતિની ગણતરી કરવામાં આવશે પરંતુ વર્ગની ગણતરી કરવામાં આવશે નહીં. એટલે કે, વસ્તી ગણતરી પછી પણ દેશમાં OBC ની સંખ્યા કેટલી છે તેનો આંકડો જાહેર કરવામાં આવશે નહીં.

આ પાછળનું એક કારણ એ છે કે કેટલાક રાજ્યોમાં OBC જે જાતિઓ છે તે અન્ય રાજ્યોમાં સામાન્ય છે. દરેક વ્યક્તિએ ધર્મની સાથે જાતિ લખવી પડશે. એટલે કે, મુસ્લિમ ધર્મના લોકોએ પણ જાતિ લખવી પડશે. જોકે, સરકાર પાસે જાતિ ખોટી છે કે નહીં તે ચકાસવા માટે કોઈ માપદંડ નહીં હોય.

OBC ની સંખ્યા ગણવામાં આવશે નહીં

અનામતનો લાભ ફક્ત જાતિ પ્રમાણપત્રના આધારે મળે છે. પરંતુ આ ફક્ત જાતિની ગણતરી છે, વર્ગની નહીં, તેમાં OBC ની ગણતરી કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટ ૫૦ ટકા અનામત મર્યાદા પર નિર્ણય લેશે. આ વસ્તી ગણતરીનો પણ સીમાંકન પર પણ કોઈ પ્રભાવ પડશે નહીં. વર્ષ 2026 માં થનાર સીમાંકન પણ 2011ની વસ્તી ગણતરીના આધારે જ થઈ શકે છે. સામાન્ય રીતે વસ્તી ગણતરીમાં ૫ વર્ષ લાગે છે પરંતુ આ વખતે ત્રણ વર્ષ લાગશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે ડિજિટલ રીતે કરવામાં આવશે.

મોદી સરકાર સાચા આંકડાઓ જાહેર કરશે ખરાં?

વિપક્ષો દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા પર ભાર મૂકતી હોવાથી આખરે કેન્દ્ર સરકારે ૩૦ એપ્રિલે કેબિનેટની બેઠકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો. અને હવે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. દેશની બધી જાતિના લોકોની ગણતરી કરવામાં આવશે. આ વસ્તી ગણતરી પછી ખબર પડશે કે દેશમાં કઈ જાતિના કેટલા લોકો રહે છે. જો કે, મોદી સરકારનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ જોતા તે સાચા આંકડા આપશે કે કેમ તેના પર સવાલ છે. અત્યાર સુધીમાં દરેક મહત્વની બાબતોમાં આંકડાઓ છુપાવનાર મોદી સરકાર વસ્તી ગણતરીના સાચા આંકડાઓ જાહેર કરે તે બાબતમાં અનેક શંકાઓ છે.

આ પણ વાંચો: OBC સમાજને સ્થાનિક ચૂંટણીઓમાં બેઠકોની ફાળવણીમાં મોટો અન્યાય

દેશમાં અગાઉ ૨૦૧૧માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જોકે વસ્તી ગણતરી ૨૦૨૧માં થવી જોઈતી હતી, પરંતુ મોદી સરકારે કોરોનાનું બહાનું આગળ ધરીને આજ સુધી વસ્તી ગણતરી કરાવી નથી. સરકારને ડર છે કે, જો કોની કેટલી વસ્તી છે તે આંકડાઓનું સત્ય બહાર આવી જાય તો તે જાતિના લોકો તે મુજબ પ્રતિનિધિત્વની માંગ કરી શકે છે. હાલ તમામ મોટાભાગના પદો પર બ્રાહ્મણોએ કબ્જો જમાવી દીધો છે. જેમની વસ્તી દેશના 5 ટકા પણ નથી.

જાતિ આધારિત વસ્તી ગણતરીમાં કયા પ્રશ્નો પૂછવામાં આવશે?

જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રશ્નોમાં વ્યક્તિનું નામ, લિંગ, માતાપિતાનું નામ, જન્મ તારીખ, વૈવાહિક સ્થિતિ, વર્તમાન અને કામચલાઉ સરનામું, પરિવારના વડાનું નામ અને સૌથી અગત્યનું તેની જાતિનો સમાવેશ થશે. મળતી માહિતી મુજબ આવા ૩૦ પ્રશ્નો પૂછવામાં આવશે.

વસ્તી ગણતરીનો ઇતિહાસ

ભારતમાં વસ્તી ગણતરીના ઇતિહાસ પર નજર કરીએ તો, દેશમાં વસ્તી ગણતરી બ્રિટિશ યુગ દરમિયાન શરૂ થઈ હતી. છેલ્લી સંપૂર્ણ જાતિ વસ્તી ગણતરી ૧૯૩૧માં કરવામાં આવી હતી. એ જ સમયે નક્કી થઈ ગયું હતું કે, દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ વર્ષ 1941માં ગણતરી કરવામાં આવી હતી. જોકે, તેના આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. ત્યારબાજ સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરી વર્ષ ૧૯૫૧ માં હાથ ધરવામાં આવી હતી.

એ વસ્તી ગણતરીમાં પછાત વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. એ પછી ૧૯૬૧ થી ૨૦૦૧ દરમિયાન થયેલી વસ્તી ગણતરીઓમાં જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જોકે, છેલ્લી વખત વર્ષ ૨૦૧૧ માં જાતિઓનો સામાજિક-આર્થિક ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ મોદી સરકારે હજુ સુધી તેના આંકડા જાહેર કર્યા નથી. હવે ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરી વર્ષ 2027માં કરવામાં આવશે

આ પણ વાંચો: સવર્ણોની દલિત મહિલાને ધમકી- ‘ગામમાં દેખાઈ તો રેપ કરીશું’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x