ધો.10માં 99 ટકા લાવી 3 દલિત દીકરીઓ બોર્ડ ટોપર બની
ધો.10ની બોર્ડની પરીક્ષામાં દલિત સમાજની ત્રણ દીકરીઓએ 99 ટકા મેળવીને ટોપ 10માં સ્થાન મેળવી મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે.
ધો.10ની બોર્ડની પરીક્ષામાં દલિત સમાજની ત્રણ દીકરીઓએ 99 ટકા મેળવીને ટોપ 10માં સ્થાન મેળવી મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે.
દલિતોની સ્પષ્ટ વાત, “તમે ડો.આંબેડકરની રેલી તમારા ઘરેથી ન નીકળવા દીધી, તો અમે તમારા ભગવાનની યાત્રાને અમારા ઘર પાસેથી કેમ નીકળવા દઈએ.”
પટેલ શખ્સે દલિત સાધુના આશ્રમમાં જઈને ચિકન બનાવવા માટે વાસણ માંગ્યું હતું. સાધુએ ના પાડતા તેના જ ત્રિશૂળથી હુમલો કરી દીધો.
વરરાજાની કાર બાળકીને અડી જતા જાતિવાદી તત્વોએ જાન પર હુમલો કરી દીધો. વરરાજા માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
રિક્ષા ચલાવી પેટિયું રળતા દલિત યુવકને ચાર શખ્સોએ ‘તમે કેવા?’ પૂછીને પાઈપના 35 જેટલા ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે.
ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારો પર મુંગા થઈને બેસી રહેતા અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદો પર હવે તેનો જ સમાજ રોષે ભરાયો છે.
દીકરીઓ ઘરમાં લીંપણ કરવા માટે નદી કાંઠે માટી લેવા માટે ગઈ હતી. વરસાદને કારણે કિનારો લપસણો હોવાથી લપસીને દલિત દીકરીઓ નદીમાં ડૂબી ગઈ.
લુખ્ખા તત્વોએ દારૂ પીવા માટે દલિત યુવક પાસે પૈસા માંગ્યા હતા. યુવકે પૈસા આપવાની ના પાડતા આરોપીઓ તેના કાન કાપી રૂપિયા લૂંટી ગયા.
એક્ટિવિસ્ટ રાજુ સોલંકીએ કરેલા ચેકિંગ મુજબ Wikipedia પર રજૂ કરવામાં આવેલી ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં એક પણ દલિત કવિ-લેખકનું નામ નથી.
સવર્ણોની દાદાગીરી બાદ પોલીસ સુરક્ષા વચ્ચે દલિત યુવક-યુવતીનો વરઘોડો નીકળ્યો. પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની અટકાયત કરી.