ગુજરાતમાં જન્મતા દરેક બાળક માથે રૂ. 66000નું દેવું

ગુજરાત સરકારની દેવું કરીને ઘી પીવા જેવી નીતિ. હાલ ગુજરાતમાં જન્મતું દરેક બાળક રૂ. 66 હજારનું દેવું લઈને જન્મે છે. જાણો ત્રણ વર્ષ પછી આ આંકડો ક્યાં પહોંચશે.
iconic image

ગુજરાતમાં જન્મતા બાળકના માથે દેવું: રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે રજૂ કરાયેલા બજેટ બાદ તેનું એનાલિસીસ થઈ રહ્યું છે અને તેમાં સરકારે વિકાસના નામે કરેલા જંગી દેવાની પણ પોલ ખૂલી ગઈ છે. મળતી મળતી માહિતી મુજબ ગુજરાતમાં સરકારની સાથોસાથ જનતાના માથે પણ દેવું દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, ગુજરાતની ડબલ એન્જિન સરકારની નીતિ ‘દેવું કરીને ઘી પીવાવાળી છે.

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે, તેની સાથે ગુજરાતની ૬ કરોડની જનતાના માથા પર પણ દિવસેને દિવસે દેવું વધતું જાય છે. ગુજરાત સરકારે જે આંકડા રજૂ કર્યા છે તે મુજબ વર્ષ ૨૦૨૩-૨૪માં જાહેર દેવું ૩,૭૭,૯૬૨ કરોડ રૂપિયા હતું, તે જ પ્રમાણે વર્ષ ૨૦૨૪- ૨૫માં સુધારેલા અંદાજ મુજબ રાજ્યનું દેવું ૩,૯૯,૬૩૩ કરોડ રૂપિયા થયું છે. જો ગુજરાતની ૬ કરોડની વસતી ગણીએ તો તે મુજબ પ્રતિ વ્યક્તિ ૬૬,૦૦૦ દેવું આજે ગુજરાતના દરેક વ્યક્તિના નામે છે. તે નવા જન્મ લેનાર બાળકનાં માથે પણ છે. એજ રીતે વર્ષ ૨૦૨૫-૨૬નો અંદાજ રજૂ થયો છે તેને જોતાં ગુજરાતનું દેવું વધીને ૪,૫૫,૫૩૭ કરોડ રૂપિયા થશે, આગામી ત્રણ વર્ષનો અંદાજ જોઈએ તો વર્ષ ૨૦૨૬-૨૭ના અંતે દેવું વધીને ૪,૭૩,૬૫૧ કરોડ રૂપિયા થશે.

આ પણ વાંચો: દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા

iconic image

ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭ ના અંદાજ પ્રમાણે ગુજરાતનું દેવું ૫,૩૮,૬૫૧ કરોડ રૂપિયા થશે, એટલે ત્રણ વર્ષ પછી વર્ષ ૨૦૨૭-૨૮માં જે બાળક જન્મ લેશે તેના માથે દેવું વધીને રૂ. ૮૯,૦૦૦ થશે, એટલે કે, પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું છે. આ દેવું એટલા માટે વધી રહ્યું છે કે, ઉત્સવો, તાયફા, પોતાના માનીતાઓને લાભ કરાવવાથી દેવું વધી રહ્યું છે, અને તેના માટે બજારમાંથી લોનો લેવાઈ રહી છે તેમ પણ ચાવડાએ જણાવ્યું હતું.

ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં પ્રશ્નોતરીમાં જવાબ આપ્યા છે, તે મુજબ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં બજારમાંથી લોન લીધી એ નાણાંકીય સંસ્થાની લોન લેવાઇ છે અને કેન્દ્રીય દેવું છે. ફક્ત બજારમાંથી લેવાયેલ લોનનો આંકડો જોઈએ તો છેલ્લા બે વર્ષમાં લગભગ રૂ. ૯૪,૦૦૦ કરોડની લોન બજારમાંથી લેવાઇ છે. જેનો સ્પષ્ટ મતલબ છે કે દિવસેને દિવસે રાજય સરકાર દેવું વધારી રહી છે. સરકારની ખોટી નીતિઓને કારણે રાજયનું દેવું વધી રહ્યું છે. રાજ્યના દરેક વ્યક્તિના માથે દેવું વધી રહ્યું છે તેવી નાણાંકીય વ્યવસ્થા આ સરકારે ઊભી કરી છે, જે આગામી દિવસોમાં આપણાં સૌના માટે ખૂબ ચિંતાજનક બાબત છે તેમ પણ ચાવડાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: 80 કરોડ લોકો ગરીબ છે તો કુંભમાં 45 કરોડ કેવી રીતે પહોચ્યાં?

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x