એકવીસમી સદીના ભારતમાં પણ આંતરજાતિય કે આંતરધર્મીય લગ્ન કરીને શાંતિથી જીવવું પ્રેમી યુગલ માટે દિવાસ્વપ્ન જેવી બાબત છે. મોટાભાગે પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરતા યુગલને સમાજ જીવતા દેતો નથી. જો ભટકતું જીવન ગાળીને પ્રેમી યુગલ જીવી પણ જાય તો પણ મોકો મળતા તેમને છોડવામાં આવતા નથી. આવું જ કંઈક આ ઘટનામાં બન્યું છે. જ્યાં એક દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને તેના ભાઈ અને માતાએ નિર્દયતાથી માર માર્યો હતો. આ આખી ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ ચાર વર્ષ પહેલાં દલિત યુવક અને મુસ્લિમ મહિલા વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. બંનેના લગ્ન થઈ ગયા, પરંતુ તાજેતરમાં જ્યારે તે મહિલા તેના ગામ પાછી આવી ત્યારે ત્યાં હોબાળો મચી ગયો. યુવકની માતા અને ભાઈ યુવકના ઘરે પહોંચ્યા અને મહિલા પર હુમલો કરી દીધો.
ઘટના જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તર પ્રદેશની છે. અહીંના પ્રતાપગઢ જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. જેઠવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ સંબંધના કારણે એક મુસ્લિમ મહિલાને તેના ભાઈ અને માતા દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ બધું ગામલોકો અને માસૂમ બાળકોની હાજરીમાં બન્યું, જેનો વીડિયો જોઈને કોઈનું પણ હૃદય કંપી જાય તેમ છે.
#प्रतापगढ़: बेरहमी की सारी हदें पार।
प्रतापगढ़ जिले के जेठवारा कोतवाली क्षेत्र में एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां प्रेम प्रसंग के चलते एक युवक ने ग्रामीणों की मौजूदगी में एक महिला को लाठी से बेरहमी से पीटा। यह घटना मासूम बच्चों के सामने हुई, जिससे वहां मौजूद लोग भी… pic.twitter.com/ABZY6o4eVm— UttarPradesh.ORG News (@WeUttarPradesh) March 17, 2025
દલિત યુવક અને મુસ્લિમ મહિલા વચ્ચે ચાર વર્ષ પહેલા પ્રેમ સંબંધ શરૂ થયો હતો. બંનેના લગ્ન થઈ ગયા, પરંતુ તાજેતરમાં જ્યારે તે મહિલા તેના ગામ પાછી આવી ત્યારે ત્યાં હોબાળો મચી ગયો. યુવકની માતા અને ભાઈ યુવકના ઘરે પહોંચ્યા અને મહિલા પર હુમલો કર્યો.
લાકડીઓથી માર મારવામાં આવતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી, પરંતુ નજીકમાં ઉભેલા લોકો મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા હતા અને કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.
વીડિયો વાયરલ થયો, પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી
આ હૃદયદ્રાવક ઘટનાને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વાયરલ વીડિયો બાદ પોલીસે આ બાબતની નોંધ લીધી અને તપાસ શરૂ કરી. ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે પોલીસે આરોપીની શોધ શરૂ કરી છે.
આંતરાજાતિય કે આંતરધર્મીય લગ્ન હજુ અસ્વીકાર્ય
આ ઘટના પ્રેમલગ્ન એમાં પણ આંતરજાતિય કે આંતરધર્મીય લગ્નોમાં નડતા સામાજિક બંધનોને ઉજાગર કરે છે. ડો.આંબેડકરે જાતિના વાડાને તોડવા માટે અન્ય જાતિ કે ધર્મમાં લગ્ન કરવાને એક કારગત હથિયાર ગણાવ્યું હતું. પણ સમાજના વાડાઓને અકબંધ રાખવા મથતા લોકો બાબાસાહેબે સૂચવેલા હથિયારની ધાર કદી નીકળે જ નહીં તે રીતે પ્રયત્નશીલ રહે છે. તેનું જ કારણ છે કે, ઓનર કિલીંગની ઘટનાઓ હજુ પણ સામાન્ય બાબત ગણાય છે. સવાલ એ છે કે,લોકો પ્રેમને ગુનો માનીને આવી હિંસા ક્યાં સુધી કરતા રહેશે.
આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતી અસહિષ્ણુતા અને ક્રૂરતાને ઉજાગર કરી છે. પોલીસને આશા છે કે ગુનેગારોને જલ્દી સજા થશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો: હોળી-ધૂળેટીના બે દિવસમાં અકસ્માતો, મારામારીની વણઝાર