ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 3 કરોડ કરાશે?

રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વર્તમાન સમયમાં ધારાસભ્યોને દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે તે વધારીને ડબલ કરવામાં આવી શકે છે.
mlas grant

ગુજરાતના દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો સારી રીતે કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોને મળતી ગ્રાન્ટની રકમ વધારો કરવાનો નિર્ણય લીધો છે તેવી જાહેરાત નાણાં મંત્રી કનુ દેસાઇ દ્વારા વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્યોને વર્તમાનમાં મળતી રૂ. દોઢ કરોડની ગ્રાન્ટની રકમમાં વધારો કરીને સંભવત: બે થી ત્રણ કરોડની કરવામાં આવી શકે છે.

ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો છે. રાજ્યની અલગ-અલગ બેઠકો પર ચૂંટાતા ધારાસભ્યોને વિકાસના કામ માટે રાજ્ય સરકાર તરફથી દર વર્ષે રૂ. દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે. આ ગ્રાન્ટ દ્વારા ધારાસભ્યો પોતાના વિધાનસભા ક્ષેત્રમાં અલગ-અલગ વિકાસના કામો કરી શકે છે. હવે રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોની ગ્રાન્ટની રકમમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શૈલજા પાઈક :  7 કરોડની ‘જિનિયસ ગ્રાન્ટ’ મેળવનાર પ્રથમ દલિત મહિલા

આ અંગે આજે વિધાનસભા ગૃહમાં નાણાં વિભાગની માંગણીઓની ચર્ચા બાદ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યોને અત્યાર સુધી વિકાસના કામો કરવા માટે દોઢ કરોડ રૂપિયા મળી રહ્યાં છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જો કે, કેટલી રકમનો વધારો કરવો તે મુખ્યમંત્રી દ્વારા નક્કી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન સમયમાં ધારાસભ્યોને પ્રતિ વર્ષ રૂ. દોઢ કરોડની રકમની ગ્રાન્ટ વિસ્તારમાં વિકાસ કામો કરવા માટે ફાળવવામાં આવે છે. સરકારની આ જાહેરાત બાદ દરેક ધારાસભ્યોને મળતી ગ્રાન્ટની રકમ વધારીને બે કરોડ અથવા ત્રણ કરોડ કરવામાં આવી શકે છે. જેથી પ્રત્યેક ધારાસભ્યોને તેમણે મળતી ગ્રાન્ટમાં વાર્ષિક રૂ. 50 લાખથી દોઢ લાખનો વધારો થઈ શકે છે.

વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા કરાયેલી ગ્રાન્ટ વધારવાની જાહેરાત બાદ ગૃહમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યો ખુશ થયા હતા અને તેમણે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો, પેન્શન-ભથ્થું પણ વધ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x