ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક દલિત યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. આરોપ છે કે યુવતી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરી દેવામાં આવી છે. યુવતીના શરીર પર ઈજાના અનેક નિશાન હતા અને તેના કપડાં પણ ફાટેલા હતા. મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહને રસ્તા પર મૂકીને વિરોધ શરૂ કર્યો અને આરોપીઓની ધરપકડની માંગ કરી.
મામલો શું હતો?
યુવતી રાણીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાદરગંજની રહેવાસી હતી. તે 4 વર્ષથી માં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરતી હતી. તેના પિતાનું અવસાન થયું છે અને તેની માતા અપંગ છે. હવે યુવતીનું મોત થઈ જતા તેની અપંગ માતા નિરાધાર થઈ ગઈ છે. મૃતક યુવતીની માતાએ જણાવ્યું કે તેમની દીકરી ગુરુવારે સાંજે 6.30 વાગ્યે ફરજ માટે સાયકલ પર હોસ્પિટલ ગઈ હતી. રાત્રે હોસ્પિટલથી ફોન આવ્યો અને મને હોસ્પિટલ આવવાનું કહેવામાં આવ્યું. જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે કર્મચારીઓ સુનીલ કુમાર, વિદ્યા સાગર અને શાહનવાઝે મને ગેટ પર રોકી દીધી અને કહ્યું કે તમારી દીકરીનું મૃત્યુ થયું છે. જ્યારે કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈ કહ્યું નહીં અને મને અંદર પણ જવા દીધી નહીં.
આરોપીઓ લાશને ઘરની સામે મૂકીને ભાગી ગયા
પીડિતાની માતાએ જણાવ્યું કે જ્યારે તે હોસ્પિટલમાંથી ઘરે પહોંચી, ત્યારે થોડી જ વારમાં હોસ્પિટલની એમ્બ્યુલન્સ તેમની પુત્રીના મૃતદેહ સાથે ઘરે પહોંચી ગઈ. આરોપીઓ લાશને ઘરની સામે મૂકીને ભાગવાના હતા, પરંતુ ગામલોકોએ તેમને પકડી લીધા.
A violent protest broke out in #Pratapgarh, #UttarPradesh, after the suspicious death of a 21-year-old #Dalit woman, who worked at a private hospital in the city. The woman’s family has alleged that she was raped and murdered by the hospital staff, sparking major unrest and… pic.twitter.com/Qx8f2hLKyl
— Hate Detector 🔍 (@HateDetectors) March 29, 2025
જ્યારે પુત્રીનો મૃતદેહ જોવામાં આવ્યો ત્યારે શરીરના નીચેના ભાગમાં કપડાં ગાયબ હતા. ઘણી જગ્યાએ ઈજાના નિશાન હતા. તેમણે દીકરી પર બળાત્કાર બાદ હત્યા કરાયાનો આરોપ લગાવ્યો છે.
હોસ્પિટલના ડોક્ટર સહિતના લોકો પર આરોપ
મૃતક યુવતીની માતાએ આરોપ લગાવ્યો કે હોસ્પિટલના ડોક્ટર અમિત પાંડે, સુનીલ કુમાર, વિદ્યાસાગર, શાહબાઝ અને હોસ્પિટલના માલિકે તેમની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેની હત્યા કરી. આ કૃત્યમાં મનોરમા દેવી નામની હોસ્પિટલની દાયણ પણ સામેલ હતી. યુવતીની માતાએ કહ્યું કે તે ઘટનાની રાત્રે જ રાણીગંજ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને ડૉક્ટર સહિત 6 કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Somnath Suryavanshi ના મોતમાં પોલીસ જવાબદાર, તપાસમાં ખુલાસો