મહુમાં શરૂ થયો ડો.આંબેડકર જન્મોત્સવ, લાખો ભીમ સૈનિકો પહોંચ્યાં

મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ મહુમાં ત્રિ દિવસીય બાબાસાહેબ જન્મોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે.
dr ambedkar birth anniversary

dr ambedkar birth anniversary: મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થાન મહુમાં ત્રિ દિવસીય બાબાસાહેબ જન્મોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં ભારત સહિત દુનિયાભરમાંથી ડો.આંબેડકરના અનુયાયીઓ પહોંચી રહ્યાં છે. કાર્યક્રમ દરમિયાન, યુવાનોને બંધારણ અને સામાજિક ન્યાય સાથે જોડવા માટે એક ખાસ પહેલ કરવામાં આવી રહી છે. વિવિધ સંસ્થાઓ બંધારણ આધારિત કાર્યશાળાઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા યુવાનોમાં જાગૃતિ ફેલાવી રહી છે.

ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મસ્થાન મહુમાં ત્રિ દિવસીય બાબાસાહેબ જન્મોત્સવ શરૂ થયો છે. ૧૨ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશભરમાંથી બાબા સાહેબના લાખો અનુયાયીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને બંધારણ પ્રેમીઓ મહુ પહોંચી ગયા છે. એ દરમિયાન ફક્ત શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ ઘણા પરિસંવાદો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે.

ગઈકાલે સવારે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત થઈ હતી. એ પછી બંધારણની પ્રસ્તાવના સામૂહિક રીતે વાંચવામાં આવી. ઉપસ્થિત લોકોએ ‘જય ભીમ’ અને ‘હમ ભારત કે લોગ હૈ’ જેવા નારાઓથી સમગ્ર વાતાવરણને બંધારણમય બનાવી દીધું હતું.
આંબેડકરવાદીઓમાં મહુનું ખાસ મહત્વ છે

આ પણ વાંચો: સેલિના જેટલીએ કહ્યું હતું, “બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ”

એપ્રિલ મહિનો દેશભરમાં દલિત ઇતિહાસ મહિના(Bahujan History Month) તરીકે ઉજવવામાં આવે છે, અને એ દરમિયાન મહુ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બને છે. ડૉ. આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. દર વર્ષે આ સ્થળ સામાજિક ન્યાય અને સમાનતાના વિચારોને આત્મસાત કરવા માટે લાખો લોકોને આકર્ષે છે.

રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી

ભારત સહિત દુનિયાભરમાંથી મહુની મુલાકાતે આવતા આંબેડકરવાદીઓ માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહુ ઇન્દોરના ડૉ. આંબેડકર જન્મ સ્થળ સ્મારકના મેનેજિંગ સભ્ય અને મીડિયા ઇન્ચાર્જ રાજીવ કુમાર અંભોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ત્રણ દિવસનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ 12 થી 14 એપ્રિલ સુધી મહુની મુલાકાતે આવનારા તમામ અનુયાયીઓના રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ ભીમસૈનિક અહીં આવ્યા બાદ પ્રાથમિક સુવિધાઓથી વંચિત નહીં રહે. ૧૪ એપ્રિલે સમાજમાં વિશેષ યોગદાન આપનારા લોકોનું સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહનો ઉદ્દેશ બાબા સાહેબની વિચારધારાને આગળ વધારવાનો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારાઓને પ્રોત્સાહન આપવાનો છે. ત્રણ દિવસ માટે બંધારણ, સામાજિક ન્યાય, દલિત અધિકારો અને શિક્ષણ પર આધારિત સેમિનાર, ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોમાં દેશભરના વિદ્વાનો, પ્રોફેસરો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.”

કાર્યક્રમમાં યુવાનો પર ખાસ ધ્યાન અપાશે

આ કાર્યક્રમ દરમિયાન, યુવાનોને બંધારણ અને સામાજિક ન્યાય સાથે જોડવા માટે એક ખાસ પહેલ કરવામાં આવી રહી છે. વિવિધ સંસ્થાઓ બંધારણ આધારિત કાર્યશાળાઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા યુવાનોમાં જાગૃતિ ફેલાવી રહી છે.

એક મુલાકાતીએ જણાવ્યું હતું કે, “આ સ્થળ ફક્ત ડૉ. આંબેડકરનું જન્મસ્થળ જ નથી પણ આપણા આત્માનું કેન્દ્ર છે. દર વર્ષે બાબા સાહેબના જન્મદિવસ પર હજારો લોકો અહીં આવે છે, હું પહેલી વાર આવ્યો છું. અહીં આવીને મને એવું લાગે છે કે હું બાબા સાહેબ સાથે સીધો જોડાયો છું.”
મહુ હવે ફક્ત પૂજા સ્થળ નથી રહ્યું, પરંતુ દલિત ચેતના અને બહુજન રાજનીતિનું પ્રતીક બની ગયું છે. વિવિધ આંબેડકરવાદી સંગઠનો, સામાજિક ચળવળ જૂથો અને રાજકીય પક્ષો પણ અહીં ભાગ લે છે અને સામાજિક ન્યાય પ્રત્યે પોતાના વિચારો રજૂ કરે છે.

મહુમાં પાયાની સુવિધાઓની માંગ ઉઠી

મહુમાં દર વર્ષે લાખો લોકો ભેગા થાય છે, તેમ છતાં અહીં સંગ્રહાલય, કાયમી ગેસ્ટ હાઉસ, સારી પરિવહન અને આરોગ્ય સુવિધા નથી. આ સમય દરમિયાન, સામાજિક સંગઠનોએ સરકાર પાસે માંગ કરી છે કે બાબા સાહેબના નામે જાહેર કરાયેલી યોજનાઓનો અસરકારક રીતે અમલ કરવામાં આવે અને મહુને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રેરણા કેન્દ્ર બનાવવામાં આવે.

આ પણ વાંચો: અહીં ગામ શરૂ થાય એટલે દલિત મહિલાએ ચંપલ હાથમાં લઈ લેવા પડે છે

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x