મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક અત્યંત ભયાનક અને માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં હટ્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના નક્સલ પ્રભાવિત ગામમાં સાત યુવાનોએ ત્રણ સગીર આદિવાસી છોકરીઓ અને એક યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આદિવાસી દીકરીઓ એક લગ્ન સમારંભમાંથી ઘરે પરત ફરી રહી હતી. આ ઘટનાએ ફરી એકવાર મધ્યપ્રદેશમાં આદિવાસી મહિલાઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે દેશમાં આદિવાસીઓ પર સૌથી વધુ અત્યારો જે રાજ્યોમાં થાય છે તેમાં મધ્યપ્રદેશ ટોચ પર છે.
મામલો શું હતો?
આ ઘટના રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે આદિવાસી બાળકીઓ પગપાળા પોતાના ગામ પરત ફરી રહી હતી. તેમની સાથે એક યુવાન પણ હતો, જે તેમનો સંબંધી હોવાનું કહેવાય છે. જ્યારે તેઓ ગામના રસ્તે જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર સવાર 7 યુવાનો ત્યાં પહોંચ્યા અને છોકરીઓનો પીછો કરવા લાગ્યા. જ્યારે દીકરીઓની સાથેના યુવકે તેમનો પ્રતિકાર કર્યો અને છોકરીઓને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ તેને નિર્દયતાથી માર માર્યો, ધમકી આપી અને ત્યાંથી ભગાડી મૂક્યો. એ પછી, બધા આરોપીઓ છોકરીઓને બળજબરીથી ગાઢ જંગલમાં લઈ ગયા, જ્યાં તેમણે વારાફરતી તેમની પર બળાત્કાર ગુજાર્યો.
આ પણ વાંચો: કિંજલ દવે, ગીતા રબારીને સ્ટાર બનાવનારની વિદાય
આ જઘન્ય ગુનાનો ભોગ બનેલી યુવતીઓ ૧૪, ૧૫ અને ૧૬ વર્ષની છે, જ્યારે ચોથી છોકરી ૨૧ વર્ષની છે. આ ઘટના પછી, કેટલીક છોકરીઓની તબિયત ખરાબ થઈ ગઈ હતી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આટલી પીડાદાયક પરિસ્થિતિ છતાં, આદિવાસી દીકરીઓએ હિંમત બતાવી અને આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. બધા આરોપીઓ એક જ ગામના રહેવાસી છે, જે એ પણ દર્શાવે છે કે ગુનેગારો બહારના નહોતા પણ તેના જ સમાજના હતા. આ હકીકત સમગ્ર મામલાને વધુ સંવેદનશીલ બનાવે છે.
આરોપી સામે કેસ નોંધાયો
પીડિતા અને તેમના પરિવારો દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સાતેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે બાકીના લોકોની પણ પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
બાલાઘાટ પોલીસ અધિક્ષક (એસપી) નાગેન્દ્ર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પીડિત છોકરીઓના નિવેદનો નોંધ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે ગેંગરેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: પાણી પીવા જતા આદિવાસી વિદ્યાર્થીને શિક્ષકે પછાડીને માર્યો
અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના 2022 ના અહેવાલ મુજબ, મધ્યપ્રદેશમાં વર્ષ 2022 માં બાળકો વિરુદ્ધ કુલ 20,415 ગુના નોંધાયા હતા, જે મહારાષ્ટ્ર પછી દેશમાં બીજા ક્રમનો સૌથી વધુ આંકડો છે. આમાંથી 6,654 કેસ ફક્ત પોક્સો એક્ટ હેઠળ નોંધાયા છે. સૌથી વધુ કેસ અપહરણ અને લાલચ સાથે સંબંધિત હતા, જે 10,125 હતા. બાળકોની હત્યાના ૧૦૯ કેસ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના ૯૦ કેસ પણ આ અહેવાલનો ભાગ છે.
NCRBના અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે મધ્યપ્રદેશમાં બાળકો વિરુદ્ધ ગુનાઓનો દર પ્રતિ લાખ બાળકોએ 71 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે છે. દિલ્હી પછી મધ્યપ્રદેશ આ બાબતમાં બીજા સ્થાને છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ૯૬.૮% જાતીય ગુનાઓમાં આરોપીઓ પીડિતાના ઓળખીતા હોય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દીકરીઓ માટે સૌથી અસુરક્ષિત સ્થળ તેમનું પોતાનું સામાજિક વર્તુળ છે.
આ પણ વાંચો: પોરબંદરના દરિયામાંથી રૂ. 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Dalito, aadivashio per kyu atyachar hota hai??