જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશ(uttar pradesh)માં વધુ એક દલિત વરરાજા(Dalit groom)ના વરઘોડા (wedding procession) પર હુમલો(stones pelted) થયો છે. મળતા સમાચાર મુજબ અમરોહા(amroha) જિલ્લાના રહદરા ગામમાં દલિત વરરાજાની જાન જેવી ગામમાં પહોંચી કે તરત યાદવ જાતિના લોકોએ પથ્થરમારો(Stone pelted) શરૂ કરી દીધો હતો. પથ્થરમારો થતા જાનૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી અને 4 લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટોળાંને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. મામલાની જાણ થતા ભીમ આર્મીના કાર્યકરો પણ ગામમાં પહોંચી ગયા હતા.
ગજરૌલા પોલીસ સ્ટેશનના રહદરા ગામની ઘટના
અમરોહાના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રહદરા ગામમાં દલિત વરરાજાના લગ્ન સમારોહ દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, યાદવ જાતિના કેટલાક સ્થાનિકોએ દલિત વરરાજાના વરઘોડા સાથે પહોંચેલા લોકો સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના પછી બંને પક્ષો વચ્ચેનો ઝઘડો હિંસક બન્યો હતો. આ ઘટનામાં લગ્નના ચાર મહેમાનો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે બળપ્રયોગ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિવાદ અગાઉના કોઈ મામલા સાથે સંબંધિત હોઈ શકે છે, જે અચાનક હિંસક બની ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ભીમ આર્મીના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા અને વિરોધ કર્યો છે. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પથ્થરમારાનો માહોલ સર્જાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમને પણ પરિસ્થિતિને કાબુમાં લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
યુપીના અમરોહાના રહદરા ગામમાં યાદવોએ દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો કરતા 4 મહેમાનો ઘાયલ થઈ ગયા. ગામમાં પોલીસ ખડકી દેવાઈ છે. જો કે આરોપીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કરી દીધો હતો. ભીમ આર્મીના કાર્યકરો ગામમાં પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે. #amroha #Dalitgroom #attack #stonepelted pic.twitter.com/Hmqrg6oPQr
— khabar Antar (@Khabarantar01) June 3, 2025
વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરાઈ
હુમલાની આ ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્રે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને તમામ સંબંધિત પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરવી
પોલીસ – વહીવટીતંત્રે અપીલ કરી છે કે, નાગરિકોએ શાંતિ જાળવી રાખવી જોઈએ જેથી કોઈપણ પ્રકારની અફવા કે તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળી શકાય. ઉપરોક્ત કેસના સંદર્ભમાં, ગજરૌલા પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે. કાયદો અને શાંતિ સામાન્ય છે.